- (એ) બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાની,
- (બી) આઝાદી માટેની રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનાર ઉચ્ચ આદર્શોને હ્રદયમાં સંઘરવા અને તેને અનુસરવાની,
- (સી) ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની,
- (ડી) દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થાય ત્યારે તેમ કરવાની,
- (ઈ) ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા વિભાગીય મતભેદોથી પર રહીને ભારતના તમામ લોકો વચ્ચે સંવાદિતા સ્થાપવાની, તથા ભાતૃભાવની ભાવના કેળવવાની અને સ્ત્રીઓના ગૌરવને હાનિકારક વ્યવહારોનો ત્યાગ કરવાની,
- (એફ) આપણી સંયોજિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની તથા તેનું રક્ષણ કરવાની,
- (જી) વનો, સરોવરો, નદીઓ અને વન્ય પ્રાણી સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો વચ્ચે અનુકંપા દર્શાવવાની,
- (એચ) વૈજ્ઞાનિક માનસ, માનવવાદ અને જિજ્ઞાસાવૃત્તિ તથા સુધારાવાદની ભાવના કેળવવાની,
- (આઈ) જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની,
- (જે) રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના ઉચ્ચતર તબક્કાઓ ભણી સતત પ્રગતિ કરતું રહે તે માટે, વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિઓના તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાની,
- (કે) જે પોતાના બાળકોના માતા-પિતા કે પાલ્યના વાલી હોય, તેની તેમના 6થી 14 વર્ષ વચ્ચેની ઉંમરના બાળક કે યથાપ્રસંગ, પાલ્યને શિક્ષણની તકોની જોગવાઈ કરવાની.
"Legal Services and Advocacy: Understanding the Laws and Acts Relevant to Your Case" provides a comprehensive overview of legal services and advocacy, covering various laws and acts that may apply to different types of cases. The article outlines the role of legal advocates in providing support, representation, and guidance within the legal system. It also emphasizes the importance of understanding applicable laws and acts to effectively advocate for one's rights. Additionally, it offers insight
17/02/2024
મૂળભૂત ફરજો
15/02/2024
નાગરિકત્વ - Citizenship of India
Law Sahitya
ભારતના બંધારણના અનુચ્છેદ 5 થી 11 નાગરિકત્વને લગતા છે. ભારત ના બંધારણની નાગરિકતાને લગતી જોગવાઈઓની ચર્ચા કરીશું તે પહેલા નાગરિકત્વ એટલે શું? ભારતનો નાગરિક કોણ બની શકે? અને સાથે સાથે ભારતનો નાગરિક તેનું નાગરિકત્વ કયા સંજોગોમાં ગુમાવે છે ? આમ ભારત દેશની નાગરિકતા મેળવવા તેમજ ગુમાવવા બાબતની વિવિધ જોગવાઈઓની ચર્ચા કરીશું.
- અધિવાસથી નાગરિકત્વ
- સ્થળાંતરથી ભારતમાં આપેલ વ્યક્તિઓનું નાગરિકત્વ
- નોંધણીથી નાગરિકત્વ
અધિવાસથી નાગરિકત્વ
અનુચ્છેદ 5 અધિવસથી નાગરિકત્વ (citizenship by Domicile) કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે વિશે જણાવે છે. આ અનુચ્છેદ 2 શરતો ઠરાવે છે.
- બંધારણનાં પ્રારંભે (એટલે કે 26 જાન્યુ. 1955ના રોજ) તે વ્યક્તિનો અધિવાસ ભારતમાં હોવો જોઈએ. આવી વ્યક્તિ નીચેનામાંથી કોઈ એક શરત પૂર્ણ કરતી હોવી જોઈએ.
- જેનો જન્મ ભારતીય પ્રદેશમાં થયેલ હોય,
- તેના માતા-પિતામાંથી કોઈ એકનો જન્મ ભારતીય પ્રદેશમાં થયેલ હોવો જોઈએ
- બંધારણના પ્રારંભના તરત અગાઉનાં પાંચ વર્ષથી ઓછા નહીં તેટલા સમય માટે ભારતીય પ્રદેશમાં તે સામાન્ય રીતે નિવાસી હોય.
અનુચ્છેદ 5 થી બંધારણના પ્રારંભે અધિવાસથી નાગરિકત્વ પ્રાપ્તિની જોગવાઈ કરાયેલ છે. અધિવાસની વ્યાખ્યા બંધારણમાં આપવામાં આવી નથી. સામાન્ય રીતે અધિવાસ એટલે એવું કાયમી ઘર કે સ્થળ જયાં વ્યક્તિ અચોક્કસ મુદત (એટલે કે કાયમ માટે) રહેવાનો ઈરાદો સેવે છે. અધિવાસના બે પ્રકારો છે.
- મૂળ અધિવાસ (Original domicile) અને
- પસંદગીનો આધિવાસ (Domicile of choice)
સ્થળાંતરથી ભારતમાં આવેલ વ્યક્તિઓનું નાગરિકત્વ
- તે અથવા તેના માતાપિતામાંથી કોઈ એકનો અથવા તેના દાદા-દાદીમાંથી કોઈ એકનો જન્મ ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા એક્ટ, 1935માં વ્યાખ્યા અપાયા પ્રમાણેના ભારતમાં થયો હોય, અને
- આવી વ્યક્તિએ જો 19 જુલાઈ, 1948 પહેલાં સ્થળાંતર કરેલ હોય, અને તેવા પ્રસંગે તે સ્થળાંતરની તારીખથી સામાન્ય રીતે ભારતીય પ્રદેશમાં નિવાસ કરતી હોય, અથવા
- જયારે આવી વ્યક્તિએ 19 જુલાાઈ, 1948ના રોજ અથવા ત્યારબાદ સ્થળાંતર કરેલ હોય, તો ડોમિનિયન ઑફ ઇન્ડિયાની સરકારે નિયત કરેલ નમૂનામાં અને તે રીતે સરકારે આ હેતુ માટે નિયુક્ત કરેલ અધિકારીને આ બંધારણના પ્રારંભ અગાઉ તે માટે આપેલ અરજી પરથી તે અધિકારીએ જેની નોંધણી ભારતના નાગરિક તરીકે કરેલી હોય, તેને બંધારણના પ્રારંભે ભારતનો નાગરિક ગણવામાં આવશે.
પરંતુ જોગવાઈ એવી કરવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિએ અરજી કર્યાની તારીખથી તરત અગાઉના ઓછામાં ઓછા 6 માસ સુધી ભારતના પ્રદેશમાં નિવાસ ન કરેલ હોય, તો તેની ભારતના નાગરિક તરીકે નોંધણી કરવામાં આવશે નહીં.
અનુચ્છેદ 7 ભારતમાંથી પાકિસ્તાન સ્થળાંતર કરી ગયેલ વ્યક્તિઓનાં નાગરિકત્વ અને જોગવાઈ કરાવેલ છે. અનુચ્છેદ 7 ઠરાવે છે કે અનુચ્છેદ 5 અને અનુચ્છેદ 6 માં ગમે તે જોગવાઈ હોવા છતાં, જેણે 1 માર્ચ 1947 પછી ભારતના પ્રદેશમાંથી હવે પાકિસ્તાનમાં સમાવિષ્ટ પ્રદેશમાં સ્થળાંતર કરેલ હોય, તો તે ભારતનો નાગરિક ગણાસે નહી. અનુચ્છેદ 8 મૂળ ભારતની પરંતુ ભારત બહાર રહેતી વ્યક્તિઓનાં નાગરિકત્વ વિશે જોગવાઈ કરે છે. અનુચ્છેદ 8 ઠરાવે છે કે અનુચ્છેદ 5 માં ગમે તે જોગવાઈ હોવા છતાં, જેનો પોતાનો અથવા તેના માતાપિતામાંથી કોઈ એકનો અથવા જેના દાદા-દાદીમાંથી કોઈ એકનો ગવર્નમેન્ટ ઓફ ઈંનિયો એક્ટ, 1935માં વ્યાખ્યા કર્યા મુજબના ભારતમાં જેનો જન્મ થયો હોય અને જે સામાન્ય રીતે આ વ્યાખ્યા મુજબના ભારત બહારના કોઈ દેશમાં નિવાસ કરતી હોય, તે વ્યક્તિ પોતે જયાં નિવાસ કરતી હોય, તે દેશના રાજનીતિક અથવા વાણિજિયક પ્રતિનિધિને આ બંધારણના પ્રારંભ પૂર્વે કે બાદ ડોમિનિયમ ઓફ ઈન્ડીયા કે ભારત સરકારે નિયત કરેલ નમૂનામાં અને તે રીતે તે હેતુ માટે તેણે કરેલ અરજી પરથી અથવા રાજનીતિક કે વાણિજિયક પ્રતિનિધિએ ભારતના નાગરિક તરીકે નોંધણી કરેલ હોય, તો તેને ભારતના નાગરિક ગણવામાં આવશે.
આપણી સંસદે નાગરિકત્વ પારો, 1955 ઘડેલ છે. આ કાયદા અનુસાર ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરવા માટે પાંચ રીતો દર્શાવવામાં આવેલ છે. એટલે કે નાગરિકતા (એ) જન્મથી, (બી) વંશાનુક્રમથી, (સી) નોંધણીથી (ડી) દેશીયકરણથી (ઈ) પ્રદેશનો સમાવેશ થવાથી.
જન્મથી નાગરિકતા :
26 જાન્યુ. 1950ના રોજ અથવા તે પછી ભારતમાં જન્મેલ દરેક વ્યક્તિ જન્મથી ભારતની નાગરિક ગણાય છે, પરંતુ, તેના જન્મ સમયે જો તેના પિતા કાનૂની પ્રક્રિયાથી મુક્તિઓ (exemptions) ધરાવતો હોય, અને તે ભારતનો નાગરિક ન હોય અથવા તેનો પિતા વિદેશમાં રહેતો શત્રુ હોય અને એવા સ્થળે જન્મ થયો હોય કે જે તે સમયે શત્રુના કબજામાં હોય, તો તેને ભારતનો નાગરિક ગણવામાં આવશે નહીં.
વંશાનુક્રમથી નાગરિકતા:
જે વ્યક્તિ 26 જાન્યુ. ના રોજ અથવા ત્યારબાદ ભારતની બહાર જન્મી હોય અને તેનો પિતા જન્મ સમયે ભારતીય નાગરિક હોય તો તે તેના જન્મ સમયે ભારતની નાગરિક બનશે. પરંતુ જો આવી વ્યક્તિનો પિતા ફક્ત વંશાનુક્રમ દ્વારા ભારતનો નાગરિક હોય, તો તે વ્યક્તિ ઉપર મુજબ જન્મ દ્વારા ભારતની નાગરિક ગણાશે નહીં, સિવાય કે તેનો જન્મથી અથવા આ કાયદાના પ્રારંભથી એક વર્ષની મુદતમાં અથવા કેન્દ્ર સરકારની પરવાનગીથી તેના જન્મની ભારતીય દૂતાવાસમાં નોંધણી કરવામાં આવી હોય, અથવા સિવાય કે તેનો પિતા જન્મ સમયે ભારત સરકારની નોકરીમાં હોય, અવિભક્ત ભારત બહાર જન્મેલી કોઈ વ્યક્તિ કે જે બંધારણની શરૂઆતમાં ભારતની નાગરિક હોય અથવા માનવામાં આવતી હોય, તો તેને ફક્ત વંશાનુક્રમ દ્વારા ભારતની નાગરિક ગણવામાં આવશે.
નોંધણીથી નાગરિકતા:
- જે વ્યક્તિ મૂળ ભારતીય હોય, સામાન્ય રીતે ભારતની રહેવાસી હોય અને નોંધણી માટેની અરજી કરતા પહેલા તરતના છ મહિનાથી ભારતમાં રહેતી હોય.
- જે વ્યક્તિ મૂળ ભારતીય હોય અને તે અવિભક્ત ભારત બહાર કોઈ દેશમાં અથવા સ્થળે રહેતી હોય,
- ભારતીય નાગરિકનાં સગીર બાળકો,
- પુખ્ત વયની સમર્થ વ્યક્તિ, કે જે પ્રથમ પરિશિષ્ટમાં નિર્દિષ્ટ કરાયેલ દેશની નાગરિક હોય. જે વ્યક્તિનું ભારતીય નાગરિકત્વ રદ કરાયેલ હોય અથવા જેની નાગરિકતાનો અંત લાવવામાં આવેલ હોય તેની કેન્દ્ર સરકારના હુકમ સિવાય નોંધણી કરી શકાશે નહીં.
દેશીયકરણથી નાગરિકતા :
- પુખ્તવયની સમર્થ વ્યક્તિ દેશીયકરણથી નાગરિકત્વ માટે અરજી કરી શકે. તે પ્રથમ પરિશિષ્ટમાં નિર્દિષ્ટ કરાયેલ દેશની હોવી જોઈએ. તદ્ઉપરાંત તેણે નીચે દર્શાવેલ શરતો પૂરી કરવી જોઈએ.
- તે એવા દેશની નાગરિક ન હોવી જોઈએ કે જ્યાં તે દેશના કાયદા કે રિવાજ દ્વારા ભારતના નાગરિકોને તે દેશના નાગરિક બનતા અટકાવવામાં આવતા હોય.
- તેણે તેના અંગાઉના દેશની નાગરિકતાનો ત્યાગ કરેલ હોવો જોઈએ અને ત્યાંની મધ્યસ્થ સરકારને જાણ કરેલ હોવી જોઈએ.
- અરજીની તારીખથી તરત અગાઉના બાર માસથી તે ભારતમાં રહેલી હોવી જોઈએ અથવા ભારત સરકારની નોકરીમાં હોવી જોઈએ.
- ઉપયુક્ત બાર માસના સમયથી તરત અગાઉના સાત વર્ષના સમગ્ર સમય દરમ્યાન તે ભારતમાં રહી હોવી જોઈએ અથવા ભારત સરકારની નોકરીમાં હોવી જોઈએ અથવા અંશત: એક અગર બીજી રીતે ઍકદર ચાર માસના સમયથી રહી હોવી જોઈએ.
- તે સારા ચારિત્ર્યની હોવી જોઈએ.
- બંધારણના 8મા પરિશિષ્ટમાં નિર્દિષ્ટ કરાવેલ કોઈ ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ, અને
- તેનો ભારતમાં રહેવાનો અથવા સરકારી નોકરીમાં દાખલ થવાનો અગર ચાલુ રહેવાનો અથવા ભારત જેનું સભ્ય હોય તે આંતરરાષ્ટ્રીય સંસ્થાને સેવા આપવાનો અથવા ભારતમાં સ્થાપિત કોઈ સંસ્થા, કંપની અગર વ્યક્તિઓના સમૂહ હેઠળ નોકરી કરવાનો ઈરાદો હોવો જોઈએ.
- જો કદાચ કોઈ વ્યક્તિ ઉપર જણાવેલ તમામ કે કોઈ શરતનું પાલન કરી શકતી ન હોય અને કેન્દ્ર સરકારના મતે તેણે વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કળા, સાહિત્ય, વિશ્વશાંતિ અથવા સામાન્ય રીતે માનવ પ્રગતિ માટે ગણનાપાત્ર સેવાઓ આપી છે, તો તે દેશીયકરણ દ્વારા નાગરિકત્વ પ્રાપ્ત કરી શકે.
- પ્રદેશનો સમાવેશ થવાથી: જો કોઈ પ્રદેશ ભારતનો ભાગ બને, તો તે કારણે કોણ ભારતના નાગરિકો બનશે તે અંગે કેન્દ્ર સરકાર જાહેરાત કરી શકે.
નાગરિકતાની સમાપ્તિ
નાગરિકત્વ ધારો, 1955, ક.9 મુજબ, જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ બીજા દેશનું નાગરિકત્વ પ્રાપ્ત કરે, તો તે ભારતની નાગરિક મટી જાય છે. એટલે કે તેના ભારતીય નાગરિકત્વનો અંત આવે છે. અનુચ્છેદ 9માં પણ જણાવાયેલ છે કે જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાથી વિદેશી રાજ્યનું નાગરિકત્વ પ્રાપ્ત કરે, તો અનુચ્છેદ 5 અન્વયે તે ભારતના નાગરિક રહેશે નહીં અથવા અનુચ્છેદ 8 અનુસાર ભારતનો નાગરિક ગણાશે નહીં.
વિશેષમાં, નાગરિકત્વ ધારો, 1955, ક.10 અનુસાર, તેમાં નિર્દિષ્ટ કરાયેલ કોઈ કારણસર, કેન્દ્ર સરકાર, યોગ્ય તપાસ કર્યા બાદ કોઈ વ્યક્તિની ભારતીય નાગરિકતા રદ કરી શકે છે.
Law Sahitya
ભારતીય બંધારણ નુ આમુખ
અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવાનું અને દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, તક અને દરજ્જાની સમાનતા નિર્ધારિત કરવાનો તેમજ તેઓમાં વ્યક્તિનું ગૌરવ તેમજ દેશ પ્રત્યેની એકતા અને અખંડિતતાને ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો દ્રઢતાપૂર્વક નિર્ણય કરીને તારીખ 29મી નવેમ્બર, 1949ના રોજ આ બંધારણ સભામાં આ બંધારણ અપનાવીને અમે અમારી જાતને સમર્પિત કરીએ છીએ.
ભારતીય બંધારણનું આમુખ
આમુખનું મહત્ત્વ
જયારે કોઈ કાયદાની કલમો અથવા વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતા જણાય, અથવા કાયદા પાછળનો હેતુ સ્પષ્ટ થતો ન હોય, ત્યારે કાયદાનું આમુખ તે કાયદો સમજવા મદદરૂપ બને છે. આમ, બંધારણનું આમુખ બંધારણ ઘડવૈયાનું માનસ સમજાવા માટેની ચાવી છે, પરંતુ બંધારણની સ્પષ્ટ જોગવાઈઓ વિરુદ્ધ તેનું અર્થઘટન કરી શકાય નહીં. બંધારણનું અર્થઘટન આમુખમાં વ્યક્ત કરાયેલ ઉદાત્ત દૃષ્ટિ અને આદર્શોના સંદર્ભમાં જ થવું જોઈએ. પરંતુ, કોઈ અસ્પષ્ટતા ન હોય કે તેનો હેતુ સ્પષ્ટ થતો હોય, ત્યારે આમુખની મદદ લેવાનું જરૂરી નથી. બેરૂબારી યુનિયનના કેસમાં ઠરાવાયું છે કે આમુખ બંધારણનો ભાગ નથી, પરંતુ પાછળથી કેશવાનંદ ભારતીના કેસમાં ઠરાવાયેલ કે આમુખ બંધારણનો ભાગ છે. આ રીતે જોઈએ તો બંધારણની જોગવાઈઓ સમજવામાં આમુખ મહત્ત્વની ચાવી છે, કારણ કે આમુખને બંધારણના ભાગ તરીકે ગણવાથી આમુખનું મહત્ત્વ હવે બંધારણની અન્ય જોગવાઈઓ જેટલું જ સ્થાપિત થાય છે.આમુખનું વિશ્લેષણ
ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા અગત્યના શબ્દો વિશે આપણે વિગતે ચર્ચા કરીયે.
અમે ભારતના પ્રજાજનો' -
બંધારણ(આમુખ)ની શરૂઆત આ શબ્દોથી થાય છે. આપણું બંધારણ બંધારણસભાએ ઘડેલું છે. બંધારણની સ્વીકૃતિ, બંધારણ સભાએ કર્યા પછી તેને લોકમત દ્વારા મંજૂર કરાયેલ નથી. વળી, જે બંધારણ સભાએ બંધારણ ઘડ્યું છે તે બંધારણસભા આમ પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી હતી તેવું પણ કહી શકાય તેમ નથી. “અમે ભારતના પ્રજાજની શબ્દનો અર્થ એ થાય છે કે આ બંધારણ કોઈ પરદેશી રાજયનાએ આપણા પર લાદેલ નથી, તેમજ બંધારલ રાજયોએ અથવા જુદા જુદા રાજયોના લોકોએ ઘડી કાઢયું નથી. આપણું બંધારણ આપણા દેશના જુદા જુદા રાજયોની જુદી જુદી પ્રજાએ સંયુક્ત રીતે ઘડી કાઢેલ છે. આ શબ્દોનો અર્થ એ થાય છે કે, ભારતના પ્રજાજનો આખરી સાર્વભૌમ સત્તા ધરાવે છે અને લોકોની સત્તાના પાયા પર જ તે રચાયેલું છે. બંધારણ લોકો દ્વારા પડાયેલ છે અને લોકોને અર્પણ કરાયેલ છે. એટલે કે બંધારણનો સ્ત્રોત ભારતના લોકો જ છે. ભારતના લોકો કોઈ બાહ્ય સત્તાને તાબેદાર નથી..
- સાર્વભોમ (Sovereign)
કોઈપણ રાજય સાર્વભોમ ત્યારે ગણાય કે જયારે તેની અંદર કોઈ સર્વોચ્ચ અને અમર્યાદિત સત્તા હોય કે જેને અન્ય કોઈની સર્વોપરિતા સ્વીકાર્ય ન હોય. આમ, સાર્વભૌમત્વ એટલે રાજ્યની નિર્ણય લેવાની આખરી સત્તા.
સાર્વભૌમત્વના બે પ્રકાર છે :
(1) બાહ્ય અને
(2) આંતરિક
આંતરિક સાર્વભૌમત્વ એટલે રાજયાદેશનું પાલન કરાવવાની અને તેનો ભંગ થાય તો સજા કરવાની રાજયની સત્તા. આપણા બંધારણમાં સંપ અને રાજય વચ્ચે સત્તાની વહેંચણી કરાયેલી છે. તેમ છતાં ઓસ્ટ્રેલિયાના બંધારણની જેમ આપણે વિભાજિત સાર્વભૌમત્વનો સિદ્ધાંત સ્વીકારેલ નથી, કારણ કે આપણે ત્યાં બંધારણથી સામાન્ય સંજોગોમાં સંઘ અને રાજયો વચ્ચેના સત્તા-વિભાજનને સ્વીકારવામાં આવેલ છે. આમ છતાં, કેટલાંક સંજોગોમાં સંઘની સત્તા રાજ્ય સત્તા કરતાં સર્વોચ્ચ સ્થાને છે. ખાસ કરીને કટોકટીના સમયમાં અથવા રાષ્ટ્ર હિતની બાબતમાં રાજયો કરતાં સંઘનો અવાજ વિશેષ અસરકારક બને છે. આમુખમાં નિર્દિષ્ટ કરાયા પ્રમાણે પ્રજાસત્તાક ભારતનું સાર્વભૌમત્વ ભારતની પ્રજામાં સ્થાપિત થયેલું છે.
- "સમાજવાદી" (Socialist)
ભારતીય સંસદે પસાર કરેલ 42મા બંધારણીય સુધારાથી "સમાજવાદી" શબ્દ નવો ઉમેરાયેલો છે. બંધારણની જોગવાઈઓનો અભ્યાસ કરતાં એમ જણાય છે કે આમુખમાં આવો સુધારો ન કરાયો હોત તો પશુ ભારતીય પ્રજાસત્તાક સમાજવાદી નીતિને અનુસરે છે. આમ છતાં, 26 વર્ષની બંધારણની કામગીરી જોતાં “સમાજવાદી" અને "બિનસાંપ્રદાયિક" શબ્દો ઉમેરીને તેના પર વિશેષ ભાર મૂકવાનું ભારતીય સંસદને યોગ્ય જણાયું છે. "સમાજવાદી" શબ્દનો ખ્યાલ ઘણો વિશાળ છે અને તેથી આ સુધારા પરની ચર્ચા વખતે ઘણા સંસદસભ્યોએ તેવું સૂચન કર્યું હતું કે આપણે કયા પ્રકારનો સમાજવાદ અપનાવવા માંગીએ છીએ તે આમુખમાં સ્પ્ત કરવું જોઈએ.
- બિનસાંપ્રદયિક્તા(Secularism)
તાજેતરમાં પ્રગટ થયેલ એક ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે બંધારણના આમુખમાં “સમાજવાદી" અને “બિનસાંપ્રદાયિકત " શબ્દો 42મા બંધારણીય સુધારાથી નવા ઉમેરાયેલા હોવા છતાં બિનસાંપ્રદાયિકતાનો ખ્યાલ આપણી બંધારણીય વિચારસરણી (Constitutional Philosophy) સાથે વણાઈ ગયેલ છે. બંધારણમાં તેની ક્યાંય વ્યાખ્યા અપાયેલ નથી. તેનું કારણ એ હોઈ શકે કે આ કોઈ ચુસ્ત ખ્યાલ નથી. આ સુધારાથી જે ગર્ભિત હતું તે સ્પષ્ટ કરાયું છે.
બંધારણના આમુખ તેમજ અનુચ્છેદો 14, 15, 16, 25, 26, 29, 30, 44, 51- એ ની સંયુક્ત અસર એ છે કે આપણો દેશ ધાર્મિક રાજ્ય બની શકે નહિ. તેમજ રાજ્ય કોઈ ધર્મની તરફેણ કરી શકે નહિ. રાજય તરફથી દરેક ધર્મ સાથે સરખો વ્યવહાર થવો જોઈએ. રાજયની કોઈ બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિ સાથે ધાર્મિક પ્રવૃત્તિ જોડી શકાય નહિ. બીનસાંપ્રદાયિક પ્રવૃત્તિઓમાં ધર્મની પ્રવેશ પ્રતિબંધિત છે.
બધારણના આમુંખથી જાહેર કરાયું છે તેમ આપણે બિનમાંપ્રદાયિક રાષ્ટ્ર છીએ. બિનસાંપ્રદાયિકતાનો અર્થ નીચે પ્રમાણે છે.
- રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી,
- રાજ્ય ધર્મની બાબતમાં દખલ કરશે નહિં,
- કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિને રાજય કોઈપણ રીતે ટેકો આપી શકે નહિ.
બિનસાંપ્રદાયિકતા બંધારણનું મૂળભૂત તત્વ છે. બંધારણથી તમામ વ્યક્તિઓને ધાર્મિક સ્વાતંત્ર્ય છે, પરંતુ રાજ્યને કોઈ વ્યક્તિની ધાર્મિક માન્યતા સાથે નિસ્બત નથી. રાજ્યની બાબતમાં ધર્મને ક્યાંય સ્થાન નથી. કોઈપણ રાજકીય પક્ષ ધાર્મિક પણ બની શકે નહિ. આનો અર્થ એવો નથી કે રાજ્ય ધાર્મિક બાબતોમાં કોઈ પગલાં ન લઈ શકે, મંદિરો, મસ્જિદોની બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિઓનું નિયમન કરતો કાયદો સંસદ પડી શકે છે. અનુચ્છેદ 44ના અર્થમાં સમાન દીવાની કાયદો ઘડવાનો પણ સંસદને આદેશ છે.
સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં એમ.ટી.એ. પાઈ ફાઉન્ડેશન વિ. સ્ટેટ ઑફ કર્ણાટકના કેસમાં બિનસાંપ્રદાયિકતા વિશે સમજાવતાં જણાવેલ છે કે બંધારણમાં લોકો વચ્ચેની ભિન્નતાનો સ્વીકાર કરાયો છે, પરંતુ તેની સાથે તેમની વચ્ચે ગમે તેટલી ભિન્નતા હોવા છતાં, દરેકને સરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે. કારણ કે, તો જ રાષ્ટ્ર બિનસાંપ્રદાયિક થઈ શકે. બિનસાંપ્રદાયિકતાનું મૂળ તત્ત્વ જ એ છે કે વિવિધ ભાષાઓ અને માન્યતાઓ ધરાવતાં ભિન્ન-ભિન્ન લોકોને માન્યતા અને તેમને એકસરખું મહત્ત્વ આપવું કે જેથી ભારત અખંડિત થઈ શકે.
સર્વોચ્ચ અદાલતે બાલ પાટિલ વિ. યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં ઠરાવેલ છે કે બિનસાંપ્રદાયિક રાજયને કોઈ ધર્મ હોતો નથી. રાજય દરેક ધર્મ સાથે સમાન વલણ પ્રદર્શિત કરે છે અને વ્યક્તિઓના ધર્મ, પૂજાના અધિકારમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહિ.
- 42 મા બંધારણીય સુધારાથી ઉમેરાયેલ શબ્દો
42 મા બંધારણીય સુધારા, 1976થી આમુખમાં "સમાજવાદી", "બિનસાંપ્રદાયિકતા” તેમજ “એકતા” શબ્દો ઉમેરાયા છે. પ્રથમ બે શબ્દો વિશે ઉપર સમજૂતી અપાયેલ છે. ત્રીજા શબ્દ "એકતા" (integrity) વિશે જોઈએ. એકતા
દેશમાં અલગતાવાદી બળો અને વલણો પર પૂર્ણવિરામ મૂકવા માટે આ શબ્દ ઉમેરાયો છે. આ શબ્દ ભારતના લોકોને દેશનો દરેક ભાગ પોતાનો જ સમજવાનું સૂચવે છે. જો કે ભારતનું બંધારણ સમવાયી છે અને તેમાં દેશની એકતાનો ખ્યાલ સમાયેલો છે. અનુચ્છેદ 1માં જણાવાયેલ છે કે, “ભારત રાજ્યોનો સંઘ રહેશે.” કોઈ રાજ્યને ભારત સંઘથી છૂટા પડવાની સત્તા નથી.
ઉપરાંત અનુચ્છેદ 19(2) હેઠળ ભારતની એકતા અને સાર્વભૌમત્વનાં હિતમાં વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર નિયંત્રણ મૂકવા રાજ્યને સત્તા અપાયેલ છે. આમ, એકતા જાળવવા બંધારણમાં પૂરતા પ્રયત્ન કરવામાં આવેલ છે.
- લોકશાહી(Democratic)
આપણા બંધારણના આમુખમાં “પ્રજાસત્તાક” શબ્દ આગળ "લોકશાહી" શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે આપણું પ્રજાસત્તાક રાજ્ય લોકશાહી પ્રકારનું રહેશે. પરંતુ, બંધારણના આમુખની ભાવના અને બંધારણની જોગવાઈઓનો અભ્યાસ કરતા એમ જણાય છે કે આમુખમાં પ્રયોજાયેલ લોકશાહી શબ્દ ફક્ત સરકારનું સ્વરૂપ સૂચવતો નથી, પરંતુ આપણા દેશમાં સમાજિક, આર્થિક અને રાજકીય ન્યાય જે વ્યવસ્થામાં હોય તેવી લોકશાતી રાજ્ય વ્યવસ્થાનું તે સૂચન કરે છે. એટલે કે, આપણા દેશની રાજકીય, આર્થિક કે સામાજિક બાબતમાં પુખ્ત વયના લોકોને ભાગ લેવાનો અપિકાર રહેશે.
ભારતમાં પરોક્ષ લોકશાહી છે. લોકો (સંસદ-વિધાનસભામાં) પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે. આ પ્રતિનિધિઓ સાચી સત્તા ધરાવે છે. સ્વીટ્ઝર્લૅન્ડ પ્રત્યક્ષ લોકશાહી છે, કારણ કે ત્યાંના લોકો જ સત્તા ધરાવે છે.
- પ્રજાસત્તાક(Republic)
"પ્રજાસત્તાક” એટલે એવી રાજ્ય વ્યવસ્થા કે જેમાં રાજ્ય-વ્યવસ્થાની આખરી સત્તા લોકોમાં સ્થાપિત થયેલી હોય છે. આ પ્રકારની વ્યવસ્થામાં લોકો મુક્ત નાગરિકો હોય છે. “પ્રજાસત્તાક સરકાર” એટલે લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનાર સરકાર. તેના સંકુચિત અર્થમાં “પ્રજાસત્તાક” શબ્દ "રાજાશાહી" શબ્દના વિરૂદ્ધ શબ્દ તરીકે પણ પ્રયોજવામાં આવે છે. આપણી રાજયવ્યવસ્થામાં આપણે પ્રજાસત્તાક લોકશાહી સ્વીકારેલ એટલે કે આપણે ત્યાં રાજ્ય વ્યવસ્થા વિશિષ્ટ હકો ધરાવતા કોઈ વર્ગના હાથમાં નથી. પરંતુ રાજયતંત્રના તમામ હોદાઓ ધર્મ, જાતિ કે સ્ત્રી-પુરૂષના કોઈપણ ભેદભાવ વગર કોઈને પણ માટે ખુલ્લા રહે છે. આપણે ત્યાં પરોક્ષ લોકશાહી પ્રજાસત્તાક છે. કારણ કે રાજય વહીવટ લોકોના પ્રતિનિધિઓ દ્વારા ચાલે છે. પરંતુ, આખરી સત્તા તો પ્રજાજનોના હાથમાં જ છે. તેથી આપણું 'રાજ્ય લોકશાહી પ્રજાસત્તાક છે.
- બંધુત્વ(Fraternity)
આપણાં દેશમાં અસંખ્ય જાતિઓ વસે છે. અનેક ભાષાઓ અને બોલીઓ બોલાય છે તેમજ આપણે ત્યાં અનેક ધર્મો અને સંપ્રદાયો છે. આવા ભિન્ન લોકો વચ્ચે બંધુત્વની ભાવના વગર અખંડિતતા સ્થાપી શકાય નહિ. યુનોના ડિકલેરેશન ઓફ હ્યુમન રાઈટ્સમાં પણ બંધુત્વની ભાવનાને સ્વીકૃતિ આપવામાં આવી છે.
ભારત વિવિધ ધર્મો, ભાષાઓ અને સંસ્કૃતિઓનો બનેલ દેશ છે. તેથી બંધુત્વ(કે ભાઈચારા)ની ભાવના વિકસાવવાની ખાસ જરૂર છે. માનવ અધિકારોની વૈશ્વિક ધોષણાના અનુચ્છેદ 1માં પણ બંધુત્વની ભાવના વિકસાવવાની જરૂરતનો સ્વીકાર કરાયો છે.
- ન્યાય(Justice)
આપણા બંધારણના આમુખમાં દરેકને માટે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય સિદ્ધ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તેથી જ આપણા બંધારણમાં જાતિ, જ્ઞાતિ, ધર્મ કે લિંગના કારણસર ભેદભાવ કરવાની રાજ્યને મનાઈ ફરમાવવામાં આવી છે અને દરેકને માટે સમાન તક અને દરજ્જાની જોગવાઈ કરાય છે. તેમજ બંધારણના અનુચ્છેદ 16(2) અને 16(4) થી પછાત વર્ગના લોકોના હિતના રક્ષણાર્થે ખાસ જોગવાઈ કરવામાં આવી છે તેમજ અનુચ્છેદ 46 માં અન્ય નબળા લોકોના હિતોના રક્ષણ માટે રાજયને પ્રયત્ન કરવા જણાવવામાં આવેલ છે.
આમુખની આ જોગવાઈ ઉપરાંત અનુચ્છેદ 38 માં પણ સામાજિક ન્યાય સિદ્ધ કરવા માટે રાજ્યને પ્રયત્ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અનુચ્છેદ 42, અનુચ્છેદ 45, અનુચ્છેદ 23 હેઠળની જોગવાઈઓ દરેક પ્રકારના વર્ગ માટે ન્યાય પ્રાપ્ત કરવાની વાતને સમર્થન આપતી જોગવાઈઓ છે.
સામાજિક, આર્થિક કે રાજકીય ન્યાય સિદ્ધ કરવાની મુખ્ય જોગવાઈઓ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ થયેલી છે. આપણું રાજય કલ્યાણ રાજ્ય છે અને ઉદ્યોગોના કામદારો માટે સમાન વેતન, નિર્વાહ વેતન તેમજ યોગ્ય જીવન ધોરણ માટે અનેક કાયદાઓ ઘડાયા છે. સંપત્તિ અને ઉત્પાદનોમાં સાધનોની જમાવટ અમુક જ હાથોમાં અટકાવવાની જોગવાઈ અનુચ્છેદ-૩૭માં આપવામાં આવી છે તેમજ રાજકીય ન્યાય પ્રાપ્ત કરવા માટે રાજકીય પ્રક્રિયાના દરેક વ્યક્તિ માટે સમાન તકની જોગવાઈ છે. પુખ્ય વયની દરેક વ્યક્તિ માટે મતાધિકાર અપાયેલ છે. અને અનુચછેદ 16 પ્રમાણે ધર્મ, જાતિ, લિંગ કે જન્મસ્થાનના મુદ્દા ઉપર કોઈપણ પ્રકારનો ભેદભાવ સરકારી નોકરીમાં રાખી શકાતો નથી.
- સમાનતા(Equality)
આમુખમાં દરેક નાગરિક માટે દરજજાની તકની સમાનતા સિદ્ધ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. કાયદાનું સમાન રક્ષણ અને કાયદા સમક્ષ સમાનતા એ અનુચ્છેદ-14થી દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. અનુચ્છેદ 15(2)થી સમાનતાના ધોરણે તમામ નાગરિકોને જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો અધિકાર છે. અનુચ્છેદ 16થી રાજ્યના તાબાની તમામ નોકરીઓમાં દરેક વ્યક્તિને સમાન ગણાવામાં આવી છે. આપણી રાજય વ્યવસ્થામાં નાનામાં નાના માણસથી માંડીને છેક રાષ્ટ્રપતિ સુધીની દરેક વ્યક્તિ સમાન છે. ધર્મ, જાતિ, જ્ઞાતિ કે કિંગભેદના કારણસર રાજ્ય ભેદભાવ કરી શકે નહિ.
- સ્વાતંત્ર્ય (Liberty)
રાજ્ય અંગેનો પુરાતન ખ્યાલ એવો હતો કે લોકોના જાનમાલનું રક્ષણ કરવાની જવાબદારી, આથી વિશેષ કોઈ જવાબદારી રાજયની હતી નહિ. પરંતુ વર્તમાન સમયે રાજ્ય એક કલ્યાણ રાજ્ય બન્યું છે અને દરેક વ્યક્તિના વિકાસ માટે એ પ્રયત્નશીલ રહે છે. વ્યક્તિના વિકાસ માટે તેને સ્વતંત્રતાઓની જરૂર પડે છે. આથી આપણા બંધારણમાં વિચાર, વાણી, અભિવ્યક્તિ, ધર્મ, શરીર, જીવન અંગેની અનેક સ્વતંત્રતાઓ મૂળભૂત હકોના સ્વરૂપે દરેક નાગરિકને આપવામાં આવેલ છે. આ સ્વાતંત્ર્યના અમલ માટે આપણાં દેશનું ન્યાયતંત્ર ખૂબ જ આગ્રહી છે.
Law Sahitya
બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા
બંધારણમાં સુધારો
1. સાદી બહુમતી
2. 2/3 બહુમતી
3. ઓછામાં ઓછા અડધા રાજ્ય વિધાનમંડળો તરફથી અનુમોદન
બંધારણ સુધારવાની સંસદની સત્તા પર કોઈ બંધન અથવા નિયંત્રણ છે ?
મૂળભૂત માળખાનો સિદ્ધાંત (પાયાનો સિદ્ધાંત)
1. ગોલકનાથ વિ. સ્ટેટ ઑફ પંજાબ નો કેસ
2. માધવરાવ સિંધિયા વિ. યુનિયન ઓફ ઈન્ડિયા નો કેસ
You May Also Like - ભારતીય બંધારણ - Indian Constitution
રાજયમાં રાષ્ટ્રપતિ શાસન - કટોકટી અંગેની કાયદાની જોગવાઈઓ
કટોકટીના પ્રકારો
- 1. યુદ્ધ, બાહ્ય આક્રમણ અથવા સશસ્ત્ર બળવાના પ્રસંગે કટોકટી,
- 2. રાજયમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જવાના પ્રસંગે કટોકટી.
- 3. નાણાકીય કટોકટી.
1. યુદ્ધ, બાહ્ય આક્રમણ તથા સશસ્ત્ર બળવાના પ્રસંગે કટોકટી
સમયમર્યાદા
- (એ) ઠરાવ પસાર કરી કટોકટીનું જાહેરનામું માન્ય રાખી શકે, અથવા
- (બી) કોઈ પગલાં લેવાનું પસંદ ન કરે, અથવા
- (સી) કટોકટીનું જાહેરનામું નામંજૂર કરે.
કટોકટીના જાહેરનામાની અસરો
2. રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જવાના પ્રસંગે કટોકટી
- (એ) કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા,
- (બી) રાજ્ય સરકારના વ્યવહારોમાં ભયંકર ગેરવ્યવસ્થા,
- (સી) ભ્રષ્ટાચાર અથવા સત્તાનો દુરુપયોગ,
- (ડી) રાષ્ટ્રીય એકતા અથવા સલામતીને ખતરો,
3. નાણાકીય કટોકટી
You May Also Like - ભારતીય બંધારણ - Indian Constitution
કટોકટી દરમ્યાન મૂળભૂત અધિકારોની મોકૂફી કટોકટી દરમ્યાન અનુચ્છેદ 19ની જોગવાઈઓની મોકૂફી
કટોકટી દરમ્યાન મૂળભૂત અધિકારોના અમલની મોકૂફી
અનુચ્છેદ 358 અને અનુચ્છેદ 359 વચ્ચેનો તફાવત:
You May Also Like - ભારતીય બંધારણ - Indian Constitution
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સંબંધમાં કાયદાની જોગવાઈઓ
લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે બેઠકોનું આરક્ષણ
- (એ) અનુસૂચિત જાતિઓ,
- (ભી) આસામની અનુસૂચિત આદિ જાતિઓ સિવાયની અનુસૂચિત આદિજાતિઓ,
- (સી) આસામના સ્વાયત જિલ્લાઓમાં અનુસુચિત આદિ જાતિઓ
લોકસભામાં એંગ્લો ઇન્ડિયન જાતિનું પ્રતિનિધિત્વ
રાજ્યની વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયન જાતિનું પ્રતિનિધિત્વ
બેઠકોનું આરક્ષણ અને ખાસ પ્રતિનિધિત્વ બંધ થવાની જોગવાઈ
અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચ
You May Also Like - ભારતીય બંધારણ - Indian Constitution
અનુસૂચિત જનજાતિઓ માટે રાષ્ટ્રીય પંચ
અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત જાતિઓના કલ્યાણ પર કેન્દ્રનું નિયંત્રણ
પછાત વર્ગોની સ્થિતિની તપાસ માટે પંચની નિમણૂક
અનુસૂચિત જાતિઓનો નિર્ણય
અનુસૂચિત આદિ જાતિઓનો નિર્ણય
You May Also Like - ભારતીય બંધારણ - Indian Constitution
ચૂંટણીઓ - Election Rule
ચૂંટણી પંચની રચના અને કાર્યો
મુખ્ય ચૂંટણી કમિશનરને મળતું બંધારણીય રક્ષણ
ચૂંટણી પંચનાં કાર્યો
ચૂંટણીઓ સંબંધમાં અન્ય બંધારણીય જોગવાઈઓ
ભારતના પ્રદેશમાં વેપાર, વાણિજય અને આંતરવ્યવહાર
ભારતના પ્રદેશમાં વેપાર, વાણિજય અને આંતરવ્યવહાર - Trade, commerce and interaction within the territory of India
14/02/2024
મિલકતનો અધિકાર - Right to property
મિલકતનો અધિકાર - Right to property
- (એ) કાયદાની સત્તા સિવાય કોઈને તેની મિલકતથી વંચિત કરી શકાય નહીં અને
- (બી) માત્ર જાહેર હેતુ માટે મિલકતનું સંપાદન કરી શકાય અને
- (સી) યોગ્ય વળતર ચૂકવાવું જોઈએ.