લેબલ પર્યાવરણ કાયદા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પર્યાવરણ કાયદા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

05/02/2024

પ્રકરણ-18 : ભારતીય વન ધારો, 1927



આરક્ષિત વન (Protected Forests)
1927ના ભારતીય વન્ય ધારા હેઠળ રક્ષિત વન સંબંધી જોગવાઈઓ
સુરક્ષિત વન વન્ય ધારા હેઠળ.

ભારતીય વન ધારો, 1927 અન્વયે રક્ષિત વનો માટે નિયમો કરવાની સત્તા અને પ્રતિબંધિત કાર્ય માટે શિક્ષાની જોગવાઈઓ

રક્ષિત વનોની રચના

રાજ્ય સરકારની મિલકત હોય અથવા જેની પર રાજ્ય સરકારની માલિકી હોય અથવા જેની તમામ વનપેદાશ કે તેના કોઈ ભાગ ઉપર રાજ્ય સરકારનો અધિકાર હોય, તે વન જમીન કે પડતર જમીનને (ખરાબાની જમીન)ને જો રાજ્ય સરકારે અનામત વનમાં સમાવેલી ન હોય. તો તેવી વનજમીન તથા પડતર જમીનને રાજ્ય સરકાર કલમ 29 હેઠળ, સરકારી ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી રક્ષિત વન તરીકે જાહેર કરી શકે છે. આ રીતનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં. તે જાહેરનામામાં જણાવેલ વનજમીન અને પડતર જમીન રક્ષિત વન તરીકે ઓળખાય છે. આવું રક્ષિત વન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાતાં અગાઉ એ રક્ષિત વનમાં સમાવવા ધારેલી વનજમીન અથવા પડતર જમીનમાં કે તેની ઉપર સરકારના તથા ખાનગી વ્યક્તિઓના અધિકારના પ્રકાર તથા તેના પ્રમાણની માપણી કરીને અથવા રાજ્ય સરકારને યોગ્ય જણાય તેવી બીજી કોઈ રીતે તપાસ કરી નોંધણી કરવી જરૂરી છે. આ નોંધણીનું કાર્ય થયા બાદ જ રાજ્ય સરકાર જાહેરનામું પ્રસિદ્ધ કરી શકે છે. જ્યાં સુધી વિરુદ્ધનું સાબિત ન થાય ત્યાં સુધી આવી દરેક નોંધણી સાચી જ છે એમ મનાય છે, પરંતુ જો રાજ્ય સરકારને એમ લાગે કે કોઈ વનજમીન કે પડતર જમીનની બાબતમાં. આવી તપાસ અને નોંધણી જરૂરી છે, પરંતુ તેમ કરવામાં લાંબો સમય જાય તેમ છે અને એ વચગાળાના સમયમાં સરકારના અધિકાર જોખમાય તેમ છે. તો રાજ્ય સરકાર એવી તપાસ તથા નોંધણીની કાર્યવાહી થાય તે દરમિયાનના સમયગાળામાં સંબંધિત વ્યક્તિઓના કે ગામલોકોના કોઈ વિદ્યમાન હકોમાં કોઈ વધઘટ નહીં થાય એ રીતે વનને રક્ષિત વન જાહેર કરી શકે છે. રક્ષિત વનોનું જાહેરનામું બહાર પડતાં જો કોઈ ખાનગી વ્યક્તિને રક્ષિત વનમાં સમાવાયેલ વનજમીન પર અધિકાર હોય કે તેનો કબજો હોય તો તે રાજ્ય સરકારને સોંપી દેવાનો હોતો નથી.

જ્યારે કોઈ વનજમીન સગીરની હોય અને સરકાર તેનો વહીવટ કરતી હોય તો એમ ન કહી શકાય કે સરકારને તેના પર Proprietory Right છે અથવા તો સરકાર તેની સંપૂર્ણ પેદાશ માટે અધિકારી છે અને તેથી સરકાર તેવા વનને રક્ષિત વન જાહેર ન કરી શકે.

સરકાર કલમ 29 હેઠળનું જાહેરનામું માત્ર બહાર પાડે તેટલાથી સરકારને કબજો મળશે નહિ.

રક્ષિત વનોમાં કેટલાંક કાર્યો કરવા પર પ્રતિબંધ મૂકવાની સત્તા

આ કાયદાની જોગવાઈ મુજબ રાજ્ય સરકાર કોઈ વનજમીન કે પડતર જમીનને રક્ષિત વન તરીકે જાહેર કરી શકે છે. આવા રક્ષિત વન જાહેર કરેલા વિસ્તારમાં કેટલાંક કાર્યો કરવા પર પ્રતિબંધ મૂકવાની સત્તા રાજ્ય સરકારને કલમ 30 દ્વારા મળેલ છે. જે મુજબ, રાજ્ય સરકાર સરકારી ગેઝેટમાં જાહેરનામું

પ્રસિદ્ધ કરી તેમાં નિર્દિષ્ટ કરે તે તારીખથી; (1) રક્ષિત વનમાં કોઈ વૃક્ષ કે કોઈ વર્ગના વૃક્ષોને અનામત જાહેર કરી શકે છે.

(2) તે વનનો કોઈ ભાગ બંધ કરી શકે છે.

સય સરકાર પીતાને યોગ્ય લાગે તે પાણે વાતા મા પાણી જાહેરનામામ નિર્દિષ્ટ વનની કોઈ ભાગ બંધ કરી છે. આવા કરેલા ખાનગી ઘેટ અવિમારી હોય તો તે ખવિકારી તે મુદત સુધી સ્થગિત રહે 3. પરંતુ વાજપાયી કરેલા ભાગ ઉપરન સ્વામિત થયેલા અવિકારી ભોગવવા માટે વનની બાકીની ભાગ પૂરતી તથા વાજબી રીતે અનુકૂળ વિસ્તારમાં

હોવો જરૂરી છે. (3) તે વનમાં કેટલાંક કાર્યો કરવા પર પ્રતિબંધ મૂકી શકે છે.

રાજ્ય સરકાર એવા વનમાં ખાણ ખોદી, પથ્થર કાઢવાની કે ચૂના પકાવવાની કે કોલસા પાડવાની ! કોઈ વનપેદાશ એકઠી કરવાની કે તેની પર કોઈ પ્રક્રિયા કરવાની કે તેને બહાર લઈ જવાની અને બાવા વનની જમીનમાં ખેતી કરવા માટે કે મકાન બાંધવા માટે કે હોર બાંધવા માટે કે બીજા કોઈ હેતુ માટે ખોદકામ કરવાની કે તેને સારું કાંઈ કરવાની મનાઈ ફરમાવી શકે છે.

રાજ્ય સરકારે કલમ 30 હેઠળ સરકારી ગેઝેટમાં જાહેર કરેલા આવા જાહેરનામાની લોકોને જાણ થાય તે માટે કલેક્ટરે તે જાહેરનામું સ્થાનિક લોકભાષામાં ભાષાંતર કરી તે ભાષાંતર જાહેરનામામાં જણાવેલા વનની આસપાસના દરેક નગર તેમજ ગામમાં સહેલાઈથી દેખાઈ આવે તેવી જગ્યાએ લગાડવું જોઈએ.

રક્ષિત વનો માટે નિયમો બનાવવાની સત્તા

રાજ્ય સરકાર કલમ 29 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરી કોઈ વનભૂમિ કે પડતર જમીનને રક્ષિત વન જાહેર કરી શકે છે. તેમજ કલમ ૩૦ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરી રક્ષિત વનનાં કેટલાંક વૃક્ષો કે કોઈ વર્ગનાં વૃક્ષોને અનામત જાહેર કરી શકે છે. તો રક્ષિત વનના કેટલાક ભાગને બંધ કરી શકે છે. તેમજ કેટલાંક કાર્યો પર પ્રતિબંધ મૂકી શકે છે. એ જ રીતે, રાજ્ય સરકારને કલમ 32 હેઠળ, રક્ષિત વનો માટે નિયમો બનાવવાની સત્તા છે. જે મુજબ રાજ્ય સરકાર નીચેની બાબતો માટે નિયમો બનાવી શકે છે :

(1) રક્ષિત વનમાંથી વૃક્ષો તથા ઈમારતી લાકડું કાપવા, વહેરવા, રૂપાંતરિત કરવા અને બહાર લઈ જવા માટે તેમજ વનપેદાશ ભેગી કરવા, તેમાંથી કંઈક બનાવવા અને તેને રક્ષિત વનમાંથી બહાર લઈ જવા બાબત. (2) રક્ષિત વનોની નજીકનાં શહેરો અને ગામના રહેવાસીઓને તેમના પોતાના ઉપયોગ માટે

રક્ષિત વનના વૃક્ષો, ઈમારતી લાકડું કે બીજી કોઈ વનપેદાશ લેવા માટે પરવાનો આપવા

બાબત અને એ વ્યક્તિઓએ તે પરવાનો રજૂ કરવા બાબત તેમજ પરત કરવા બાબત.

(3) વેપારના હેતુ માટે રક્ષિત વનમાંથી વૃક્ષો કે ઈમારતી લાકડું કાપવા માટે કે બીજી વનપેદાશ પાડવા માટે અને બહાર લઈ જવા માટે પરવાનો આપવા બાબત અને એ વ્યક્તિઓને તે પરવાનો રજૂ કરવા બાબત તેમજ પરત કરવા બાબત.

(4) ઉપર જણાવેલી વ્યક્તિઓએ, વૃક્ષો કાપવા માટે તેમજ ઈમારતી લાકડું અને અન્ય વનપેદાશો ભેગી કરવા તેમજ બહાર લઈ જવાની પરવાનગી માટે ભરવાની હોય તે રકમો.

(5) આવાં વૃક્ષો, ઈમારતી લાકડું અને પેદાશ માટે, જો તેમણે ભરવાપાત્ર થતી હોય તેવી બીજી રકમો અને તે રકમો ભરવાનું સ્થળ.

(6) તે વનમાંથી બહાર લઈ જવાની વનપેદાશોની તપાસ કરવા બાબત. (7) આવા વનમાં ખેતી માટે કે બીજા કોઈ હેતુ માટે જમીન સારુ કરવા કે ખોદવા બાબત.

(8) આવા વનોમાં પડેલા ઈમારતી લાકડાં તથા કલમ 30 હેઠળ અનામત જાહેર કરેલાં વૃક્ષોનું આગથી રક્ષણ કરવા બાબત.

(9) આવા વનોમાં થતું ઘાસ કાપવા બાબત અને ત્યાં ઢોર ચરાવવા બાબત.

(10) આવા વનોમાં શિકાર કરવા, ગોળી ચલાવવા, માછલાં પકડવા, પાણી ઝેરી બનાવવા તથા છટકા ગોઠવવા કે જાળ પાથરવા બાબત અને જ્યાં હાથીઓની જાળવણી બાબતનો અધિનિયમ, 1879 અમલમાં ન હોય તે વિસ્તારના વનમાં હાથી મારવા કે પકડવા બાબત.

(11) કલમ 30 હેઠળ બંધ કરેલા વનના કોઈ ભાગના રક્ષણ અને વ્યવસ્થા બાબત.

(12) કલમ 29માં દર્શાવેલ અધિકારોના ભોગવટા બાબત.

જ્યારે મજુરીની અછતને ભરણી રક્ષિત વનમાં વૃથી આપવા માટેમાં કારની મુદન લંબાવી આપવામાં આવી હોય. અને જો લાયન નિગમે વૃક્ષોના પુરુપા નાણાં લઈ લીધા હોય તો, મુદત વધારવાની અરજાની અસ્વીકાર કરવી એ ગેરવાજબી ગ

પ્રતિબંધિત કાર્યો માટે શિક્ષા

રાજ્ય સરકારે જજ્યારે કોઈ વનજમીન કે પડતર જમીનને કલમ 29 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરી રશ્ચિત વન તરીકે જાહેર કરી હોય અને તે ક્ષિત વન માટે કલમ 32 અન્વય નિયમો બનાવ્યા હોય તેમજ કલમ 30 મુજબ રક્ષિત વનમાંના કોઈ વૃક્ષ કે વૃક્ષોના સમૂહને અનામત જાહેર કર્યા હોય, તો તેનું કોઈ વ્યક્તિ ઉબાન કરે તો તેને માટે શિક્ષાની જોગવાઈ કલમ ૩૩માં કરેલ છે જે મુજબ, જ્યારે કોઈ વ્યક્તિ-

(1) કલમ 30 હેઠળ અનામત જાહેર કરેલ કોઈ વૃક્ષ પાડે, તેના પર ગોળ કાપા પાડે, તેની ડાળીઓ કાપે, તેમાં કાણાં પાડે, અથવા તેને બાળે અથવા તેની છાલ ઉતારે કે તેના પાંદડા તોડી નાંખે કે કોઈ બીજી રીતે તેને નુકશાન પહોંચાડે,

(2) soil 30 હેઠળ લાદેલા પ્રતિબંધ વિરુદ્ધ કોઈ ખાણ ખોદી પથ્થર કાઢે, ચૂનો પડાવે, કોલસો પાડે, કે કોઈ વનપેદાશ તેના પર ઉત્પાદન પ્રક્રિયા કરવા ભેગી કરે અથવા વનમાંથી બહાર લઈ જાય

(3) કલમ ૩૦ હેઠળ લાટેલા પ્રતિબંધ વિરુદ્ધ કોઈ રક્ષિત વનમાંની કોઈ જમીનને ખેતી કરવા માટે કે બીજા કોઈ હેતુ માટે કાંઈ કરે કે ખોદે.

(4) એવા વનને આગ લગાડે અથવા કલમ 30 હેઠળ અનામત જાહેર કરેલા કોઈ ઊભેલા, પડી ગયેલા કે પાડેલા વૃક્ષને કે આવા વનના કોઈ બંધ કરેલા ભાગ સુધી આગ ફેલાય નહીં તે માટે તમામ વાજબી સાવચેતી રાખ્યા વિના અગ્નિ સળગાવે;

(5) પીતે સળગાવેલો અગ્નિ એવા કોઈ વૃક્ષ અથવા વનના બંધ કરેલા ભાગ નજીક સળગતી છોડી જાય,

(6) કલમ 30 હેઠળ અનામત જાહેર કરેલ વૃક્ષને નુકસાન થાય તે રીતે બીજું કોઈ વૃક્ષ પાડે અથવા ઈમારતી લાકડું ઘસડી જાય;

(7) એવા કોઈ વૃક્ષને ઢોર દ્વારા નુકસાન થવા દે. (8) કલમ 32 હેઠળ બનાવેલા કોઈ પણ નિયમનો ભંગ કરે, તો તે વ્યક્તિને છ મહિના સુધીની કેદની સજા અથવા પાંચસો રૂપિયા સુધીના દંડની સજા અથવા બંને થઈ શકે છે.

જ્યારે રક્ષિત વનમાં જાણીબુઝીને કે ગંભીર બેદરકારીથી આગ લગાડવામાં આવી હોય ત્યારે, આ કલમ હેઠળ કોઈ શિક્ષા થઈ હોય તો પણ રાજ્ય સરકાર પોતાને યોગ્ય લાગે તેટલી મુદત માટે, તે વનમાં અથવા તેના કોઈ ભાગમાં, ઢોર ચરાવવાના અથવા વનપેદાશના કોઈ અધિકારના ભોગવટા સ્થગિત કરી શકે છે.

પરંતુ જ્યારે કોઈ વ્યક્તિએ વન અધિકારીની લેખિત પરવાનગીથી અથવા કલમ 32 અન્વયે બનાવેલા

નિયમોની જોગવાઈ મુજબ અથવા કલમ 29 અન્વયે મંજૂર થયેલા હક રૂએ કોઈ કૃત્ય કર્યું હોય તો તે

શિક્ષાપાત્ર ન બને તેમજ કલમ 30 અન્વયે બંધ કરાયેલ ભાગ સિવાયના વનના બીજા કોઈ ભાગમાં અથવા

કલમ 33 અન્વયે સ્થગિત ન કરાયેલ અધિકારની રૂએ જો કોઈ કૃત્ય કર્યું હોય તો તે પણ શિક્ષાપાત્ર ન બને. કોઈ પણ વ્યક્તિ કલમ 33 હેઠળ શિક્ષાપાત્ર ત્યારે જ બને જ્યારે રાજ્ય સરકારે સરકારી ગેઝેટમાં કલમ 29 અને 30 હેઠળનું જાહેરનામું પ્રસિદ્ધ કરેલ હોય.

વળી કલમ 33 મુજબની જવાબદારી વ્યક્તિએ પોતે કરેલા ગુના માટે જ ઊભી થાય. આવી જવાબદારી પ્રતિનિધિજન્ય સિદ્ધાંતથી ઉદ્દભવી ન શકે.

જ્યારે કલમ 30 (એ) હેઠળના જાહેરનામામાં કઈ તારીખથી વૃક્ષો અનામત ગણાશે એ જણાવ્યું ન હોય, તો યોગ્ય નથી અને તેવા વૃક્ષો કાપવા માટે કલમ ૩૩ હેઠળની સજા ગેરકાયદેસર ગણાય.

કલમ 30 હેઠળનું જાહેરનામું ફક્ત સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ થાય તે પૂરતું નથી. કલમ 31ની જોગવાઈ મુજબ તેની પ્રસિદ્ધિ જરૂરી છે.


વન પેદાશની વ્યાખ્યા આપી, વનપેદાશની તરકુર પર નિયંત્રણ, લાકડા તેમજ બીજી વનપેદાશના હેરફેર પર નિયંત્રણ બાબત ભારતીય વન અધિનિયમની જોગવાઈઓ 



વનપેદાશ (Forest Produce):

નીચેની વસ્તુઓનો વનપેદાશમાં સમાવેશ થાય છે : (એ) ઈમારતી લાકડું. લાકડાનો કોલસો, કંચુક (કાચુ રબર) ના ઉવ વ્યાપાદ એલ રાળ, કુદરતી

વાર્નિશ, ઝાડની છાલ, લાખ, મહુડાના ફૂલી, મહુડાના બી, કવચ, સીંદરાના પાન, તમરુના

પાન, સર્પગંધા, કાચો ગુંદર, હરડે, રોશા ધારા. આ વસ્તુઓ વનમાંથી મેળવવામાં આવી

હોય અથવા લાવવામાં આવી હોય કે નહીં. તો પણ વનપેદાશ કહેવાય છે. (બી) જ્યારે નીચેની વસ્તુઓ વનમાંથી મેળવવામાં આવી હોય અથવા લાવવામાં આવી હોય તો જ વનપેદાશ કહેવાય છે.

(1) ઝાડ અને પાંદડાંઓ, ફળો અને ફૂલો અને અહીં આગળ ન જણાવેલ હોય એવા ઝાડના કોઈ ભાગો અથવા ઝાડની પેદાશો:

(2) ઝાડ ન હોય તેવા કોઈ પણ છોડો (ઘાસ, વેલીઓ, બરૂ અને લીલ સહિતના) તેમજ તેમના કોઈ ભાગો કે તેમની પેદાશો;

(3) જંગલી પ્રાણીઓ અને તેમના ચામડાં, દંતશૂળ (હાથીદાંત), શીંગડા, હાડકાં, રેશમ, રેશમના કીડાનો કોશેટો, મધ, મીણ અને પ્રાણીના શરીરના બીજા ભાગો અથવા તેની પેદાશો:

(4) પીટ (ભેજવાળી જમીનમાં વનસ્પતિ કોહવાઈને સખત બનેલું ઉપલું પડ), સપાટી ઉપરની માટી. ખડક અને (ચૂનાના પથ્થર, છારૂ, ખનિજ તેલ અને ખાણની તથા પથ્થરની ખાણની તમામ પેદાશ સહિત)

ખનિજ પદાર્થો.

વનપેદાશની વ્યાખ્યાને બે ભાગમાં વહેંચી દેવામાં આવેલ છે.

પહેલા ભાગમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવેલ છે કે જે તેના વિશિષ્ટ સ્વરૂપને કારણે વનની પેદાશ ગણાય, પછી ભલે તે વનમાંથી મેળવવામાં આવી હોય કે નહિ અથવા વનમાંથી લાવવામાં આવી હોય કે નહિ.

વિભાગ બેની વસ્તુઓ જો વનમાંથી લાવવામાં આવી હોય, કે વનમાંથી મેળવવામાં આવી હોય તો જ વનની પેદાશ ગણાય. આ વ્યાખ્યા સંપૂર્ણ નથી, કોઈ પણ વસ્તુ કે જે સામાન્ય રીતે વનમાંથી મળે તેને વનપેદાશ કહેવાય.

અહીં વ્યાખ્યામાં વાપરેલ શબ્દ "વનમાંથી મેળવવામાં કે પ્રાપ્ત કરવામાં આવ્યું હોય તે" - તો તેનો અર્થ તે વસ્તુ વનમાંથી કોઈ વ્યક્તિએ શોધી કાઢી હોય એવો નથી થતો. પરંતુ તે વસ્તુ જંગલમાં ઉગતી હોય - પેદા થતી હોય, જેમ કે ઈમારતી લાકડું, ઝાડ, ફળો, ફૂલો વગેરે માટે વપરાયો છે. વળી તે વનમાંથી લાવવામાં આવી હોય એટલે તેને વનમાંથી મેળવી પ્રાપ્ત કરી ત્યાં જ તેને લાવવામાં આવી હોવી જોઈએ. જો માછલી વનમાં આવેલા તળાવ કે પાણીના વહેળામાંથી મેળવાવમાં આવી હોય તો તે વનપેદાશ ગણાય. વળી સરકારી મિલકતમાંથી ભેગી કરેલ 'વનપેદાશ' જ વનપેદાશ ગણાય એવું નથી. ખાનગી વ્યક્તિની મિલકતમાંથી મેળવેલ વનપેદાશ પણ આ કાયદા નીચે વનપેદાશ ગણાય.

એક કેસમાં ઠરાવવામાં આવ્યું કે કાથો અને કચ (Katha and Cutch) એ જંગલનાં ઉત્પાદનો ન ગણાય.

જો કોઈ વ્યક્તિને વનમાં ઢોર ચરાવવાનો પરવાનો હોય અને તે આધારે તે ઢોર ચરાવતો હોય તો તેમનું ભેગું કરેલું છાણ વનપેદાશ ગણાતી નથી.

કલમ 2 (4) (બી) મુજબ વનમાંથી મેળવેલ અથવા વનમાંથી લાવેલ કાજુ-બદામ વનપેદાશ ગણાય નથી. વાંસ એ વનપેદાશ છે, પરંતુ વાંસની ચીપમાંથી બનાવેલ ટોપલા, મુપડા અને પલાસ વનપેદાશ એક ચુકાદા મુજબ વાંસમાંથી બનાવેલ સાદડી (Bamboo mang) વનપેદાશ છે. લાકડાનું તેલ (Wood Oil) જે ઉત્પાદન પ્રક્રિયા પારા બનાવેલ હોય તે પણ વનપેદાશ છે. કાથો પણ વનપેદાશ છે.

વનવિસ્તારમાં હોરને ચરાવવાનો પરવાનો હોય તો તે હોરનું વનવિસ્તારમાં પડેલું છાણ આ વ્યાખ્યાના

અર્થમાં વનપેદાશ ને ગણાય. વન એ રાષ્ટ્રીય સંપત્તિ છે. ઈમારતી લાકડાં તેમજ વનપેદાશ પણ રાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે. તેથી તેની હેરફેર પર જકાત લાદવાની સત્તા સરકારને છે.

ઈમારતી લાકડાં અને બીજી વનપેદાશ ઉપર જકાત લાદવાની સત્તા

ઈમારતી લાકડાં અને બીજી વનપેદાશ ઉપર જકાત લાદવાની કેન્દ્ર સરકારને સત્તા છે. જેની જોગવાઈ કલમ 39માં કરવામાં આવેલ છે. જે મુજબ, કેન્દ્ર સરકાર સરકારી ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી જાહેરનામામાં નિર્દિષ્ટ રીતે, જણાવેલા સ્થળે અને તેમાં નિયત કરેલા દરે

(1) આ કાયદો જ્યાં લાગુ પડતો હોય તે વિસ્તારમાં પેદા થયેલા અને જેની ઉપર સરકારનો કોઈ અધિકાર હોય તેવા;

(2) આ કાયદો જ્યાં લાગુ પડતો હોય તે વિસ્તારમાં બહારથી લાવવામાં આવેલ હોય તેવા તમામ ઈમારતી લાકડાં તથા બીજી વનપેદાશ ઉપર જકાત લાદી શકે છે. કેન્દ્ર સરકાર આવી જકાત જો કિંમત પ્રમાણે લેવાનું ઠરાવે તો. તે વખતે કેન્દ્ર સરકાર જાહેરનામામાં જકાત નક્કી કરવા માટે તેની કિંમત નક્કી કરી શકે છે.

જ્યારે આ કાયદો કોઈ વિસ્તારમાં અમલમાં આવે, તે વખતે તે વિસ્તારની રાજ્ય સરકારની સત્તાને આધીન રહીને ઈમારતી લાકડાં ઉપર અથવા બીજી કોઈ વનપેદાશ ઉપર જકાત લેવામાં આવતી હોય. તો તે તમામ જકાત આ કાયદાની જોગવાઈઓ મુજબ જ યોગ્ય રીતે લેવામાં આવતી હતી અને લેવામાં આવી રહી છે એમ મનાય છે.

આ કલમમાં ગમે તે જોગવાઈ હોય તે છતાં, જ્યાં સુધી સંસદમાં વિરુદ્ધની જોગવાઈ પસાર ન થાય ત્યાં સુધી, બંધારણના આરંભ પહેલાં રાજ્ય સરકાર આ કલમ તે સમયે જે રીતે અમલમાં હતી. તે મુજબ

કાયદેસર રીતે જે જકાત લેતી હતી તે લેવાનું ચાલુ રાખી શકે છે. પરંતુ રાજ્યના ઈમારતી લાકડાં અને બીજી વનપેદાશ તેમજ રાજ્ય બહારના પ્રદેશોની તેના જેવી જ પેદાશ, એ બે વચ્ચે રાજ્યની પેદાશની તરફેણમાં ભેદભાવ કરતો અથવા રાજ્યની બહારના પ્રદેશોના ઈમારતી લાકડાં અને બીજી વનપેદાશની બાબતમાં, એક પ્રદેશના ઈમારતી લાકડાં અને બીજી વનપેદાશ અને બીજા પ્રદેશના તેના જેવા જ ઈમારતી લાકડાં કે બીજી વનપેદાશ વચ્ચે ભેદભાવ ભરેલો જકાત લેવાનો અધિકાર આ પેટાકલમની જોગવાઈથી મળતો નથી.

વનપેદાશની હેરફેરના નિયમન માટે નિયમો કરવાની સત્તા

ઈમારતી લાકડાં તથા બીજી વનપેદાશની જમીનમાર્ગે અથવા તો જળમાર્ગે હેરફેર કરી શકાય છે. નદીઓ તથા તેમના કાંઠાનું તેમજ માર્ગોનું નિયંત્રણ રાજ્ય સરકારમાં સ્થાપિત થયેલ હોય છે. તેથી રાજ્ય સરકાર જમીનમાર્ગે કે જળમાર્ગે ઈમારતી લાકડાં કે બીજી વનપેદાશોની હેરફેર કરવા માટે નિયમો બનાવી શકે છે. રાજ્ય સરકાર પૂર્વવર્તી સત્તાની વ્યાપકતાને અવરોધ્યા વિના નીચે મુજબના નિયમો બનાવી શકે છે.

(1) ઈમારતી લાકડાં કે બીજી વનપેદાશની રાજ્યમાં બહારથી આયાત માટે કે રાજ્યમાંથી બહાર નિકાસ માટે કે રાજ્યમાં અંદર હેરફેર કરવા માટેના માર્ગો નિર્દિષ્ટ કરી શકે છે.

(2) રજાચિઠ્ઠી આપવાનો યોગ્ય રીતે અધિકાર ધરાવતા અધિકારીની રજાચિઠ્ઠી લઈને જ તેમજ તેવી રજાચિઠ્ઠીની શરતો મુજબ જ ઈમારતી લાકડાં કે વનપેદાશની આયાત, નિકાસ કે અંદર હેરફેર કરી શકાય એમ ઠરાવી શકે.

(3) આવી રજાચિટ્ટી આપવા. રજૂ કરવા તથા પરત કરવા બાબત તેમજ એવી રજાચિઠ્ઠી મેળવવા માટે ભરવાની કીની રકમ બાબત જોગવાઈ કરી શકે.

(4) જેની ઉંમત તરીકે અથવા તેના ઉપરના કોઈ કર. કી. રોયલ્ટી કે લાગત તરીકે મરકારને નાણાં ભરવાનું હોવાનું માનવાને કારણ હોય. તે ઈમારતી લાકડા કે બીજી વનપેદાશ અથવા આ(થરાના હેતુઓ માટે જેના પર નિશાની કરવી યોગ્ય હોય્ ને ઈમારતી લાકડા ! બીજી વનપેદાશને લઈ જવાતી અટકાવવા, તેનો રીપોર્ટ કરવા કે તેને તપાસવા કે તેની ઉપર નિશાની કરવા અંગે નિયમો બનાવી શકે છે.

(5) એવા ઈમારતી લાકડાં કે બીજી વનપેદાશ તપાસવાનો તેના પર એવાં નાણાં લેવાનો કે તેના પર નિશાનીઓ કરાવવાની જેને સત્તા છે, તેવી વ્યક્તિએ તે ઈમારતી લાકડાં કે બીજી વનપેદાશ તપાસવા, એવા નાણાં ભરવા કે તેના પર નિશાની કરાવવા જે સ્થળે લઈ જવી જોઈએ તે ડિપીની સ્થાપના કરવા અંગે તેમજ તેના સંચાલન માટે નિયમો કરી શકે છે. વળી આવા ઈમારતી લાકડાં કે બીજી વનપેદાશને ડિપોમાં લઈ જવાની, તેનો સંગ્રહ કરવાની કે ત્યાંથી ખસેડવા માટેની શરતો નક્કી કરી શકે છે. (6) ઈમારતી લાકડાં કે બીજી વનપેદાશની હેરફેર માટે વપરાતો નદીનો માર્ગ કે કાંઠો બંધ કરવા ઉપર અથવા તેમાં અવરોધ ઊભો કરવા ઉપર અને એવી નદીમાં ઘાસ, ઝાંખર, ડાળીઓ કે પાંદડા નાંખવા ઉપર અથવા એવી નદીને બંધ કરે અથવા તેમાં અવરોધ ઊભો કરે એવાકોઈ કાર્ય પર પ્રતિબંધ મૂકી શકે છે. (7) એવી નદીના માર્ગમાં કે કાંઠામાં થતો અવરોધ અટકાવવા કે તેને દૂર કરવા અંગેની જોગવાઈઓ કરી શકે છે. વળી જેના કાર્ય કે બેદરકારીને કારણે એવો અવરોધ અટકાવવા કે દૂર કરવાની જરૂર પડી હોય. તે વ્યક્તિ પાસેથી તે અવરોધ અટકાવવા કે દૂર કરવા થયેલો ખર્ચ વસૂલ કરવા અંગેની જોગવાઈ કરી શકે છે.

(8) નિર્દિષ્ટ કરેલી સ્થાનિક હદમાં લાકડાં વહેરવા માટે ખાડા પાડવાની, ઈમારતી લાકડાનું રૂપાંત કરવાની, કાપવાની, બાળવાની, સંતાડવાની કે તેની ઉપર નિશાની પાડવાની, તેની ઉપરની કોઈ નિશાની બદલવાની કે ભૂંસી નાખવાની અથવા ઈમારતી લાકડાં ઉપર નિશાની પાડવા માટેના હથોડા કે બીજા સાધનો રાખવાની કે સાથે લઈ જવાની સંપૂર્ણ મનાઈ કરી શકાશે અથવા તે અંગેની શરતો મૂકી શકાશે.

(9) ઈમારતી લાકડાં માટે માલિકી-ચિહ્નોના ઉપયોગનું અને આવા ચિહ્નોની નોંધણીનું નિયમન કરવા અંગેના નિયમો બનાવી શકે છે. વળી આવી નોંધણીની કાયદેસરતાની સમયમર્યાદા, તેમજ નોંધણી માટેની ફી નક્કી કરી શકે છે. વળી એક જ વ્યક્તિ કેટલી સંખ્યાના માલિકી ચિહ્નો નોંધાવી શકે તેની મર્યાદા નક્કી કરી શકે છે.

(10) આ રીતે બનાવેલો કોઈ નિયમ કોઈ નિર્દિષ્ટ કરેલી જાતના ઈમારતી લાકડાંને અથવા બીજી કોઈ વનપેદાશને કે નિર્દિષ્ટ સ્થાનિક વિસ્તારમાં લાગુ પડશે નહીં એવું પણ રાજ્ય સરકાર ઠરાવી શકે છે.

આ રીતે રાજ્ય સરકાર ઈમારતી લાકડાં તથા બીજી વનપેદાશની પોતાના રાજ્યમાં હેરફેર માટે તેમજ પોતાના રાજ્યમાં આયાત માટે કે રાજ્યમાંથી નિકાસ માટે નિયમો બનાવી શકે છે. તે જ રીતે કેન્દ્ર સરકારને પણ નિયમો બનાવવાની સત્તા છે.

કેન્દ્ર સરકાર પોતે ઠરાવે તે પ્રમાણેની જકાત સરહદ પાર કરીને, ઈમારતી લાકડાં કે બીજી વનપેદાશ.

આ કાયદો લાગુ પડતો હોય તેવા પ્રદેશોમાં અથવા તેવા પ્રદેશોમાંથી આયાત કરવા કે નિકાસ કરવા અથવા તેની અંદર હેરફેર કરવાના માર્ગો, કેન્દ્ર સરકાર નિયમો બનાવી નિયત કરી શકે છે. કેન્દ્ર સરકારે આ રીતે કરેલા નિયમ રાજ્ય સરકારે કરેલા નિયમની ઉપર રહેશે. એટલે કે કલમ 41 હેઠળ રાજ્ય સરકારે બનાવેલ નિયમોનો અમલ, કેન્દ્ર સરકારે કરેલા નિયમોને આધીન રહીને થઈ શકે.

એક કેસમાં જમીન વન અનામત તરીકે જાહેર કરવામાં આવેલ ન હતી. પરંતુ ક. 20 હેઠળ તે બાબત વિચારણા હેઠળ હતી. આ કેસમાં હેરફેર ફ્રી (transit fee) વસૂલ કરી શકાય કે કેમ તે પ્રશ્ન હતો. આ કેસમાં ઠરાવાયું કે જમીન અનામત વન જાહેર કરાયેલ ન હોવાથી હેરફેર ફી વસૂલ કરી શકાય નહીં.


એક કેસમાં એવું કલવાયું છે કે જયારે કોઈ વ્યક્તિ antiદાશ બહારથી લાગેલ હોય એવું ગિલ અને પુરાતાથી સાબિત કરી આપે ન આપવાની ના ન પાડી શકાય. તેને તે રાજ્યમાંથી બહાર લાઈ જવા માટેની પરવાનગી (Yame Perma)

ખાનગી વનની વનપેદાશની હેરફેર માટે પણ પરવાનો (રજાપેિઢી) હોવી કોઈર એવો નિયમ બનાવી શકાય. આવા નિયમીને કારણે વ્યક્તિના બંધારણીય અધિકાર ઉપર ઊરવાજબી પ્રતિબંધ આવો નથી કે તેને હાનિ થતી નથી. આવા નિયમો લોકોના હિત માટે જરૂરી છે.

નિયમોના ભંગ બદલ શિક્ષા

રાજ્ય સરકાર ઈમારતી લાકડાં તથા બીજી વનપેદાશની હેરફેર માટે નિયમો બનાવી શકે છે. રાજ્ય સરકારે પીતે બનાવેલા આવા કલમ 41 હેઠળના નિયમોના ઉલ્લંઘ માટે છ મહિના સુધીની કેદની સજા અથવા પાંચસો રૂપિયા સુધીના દંડની અથવા બંને શિક્ષા નક્કી કરી શકે છે.

વળી જો આવો કોઈ ગુનો સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી કરવામાં આવ્યો હોય અથવા કાયદેસરના સત્તાધિકારીનો સામનો કરવાની તૈયારી કર્યા પછી કરવામાં આવ્યો હોય અથવા ગુનેગાર તેવા જ ગુના માટે અગાઉ પણ દોષિત ઠર્યો હોય ત્યારે, ઉપર જણાવેલ શિક્ષા કરતાં બમણી શિક્ષા કરવાની જોગવાઈ કરી શકે છે.

વનપેદાશને થયેલ નુકસાન બાબત

જ્યારે કોઈ ઈમારતી લાકડાં કે બીજી વનપેદાશ આ કાયદાની કલમ 41 હેઠળ બનાવેલા નિયમો પૈકીના કોઈ નિયમ મુજબ સ્થપાયેલ ડિપોમાં હોય ત્યારે અથવા આ કાયદાના હેતુઓ માટે બીજા કોઈક સ્થળે રોકી રાખેલ હોય ત્યારે, તે ઈમારતી લાકડાં કે બીજી વનપેદાશને થયેલ કોઈ હાનિ કે નુકસાન માટે સરકાર જવાબદાર રહેશે નહીં. વળી વન અધિકારી પણ જવાબદાર રહેશે નહીં, પરંતુ જો વન અધિકારીની ઉપેક્ષાથી કે તેણે દ્વેષપૂર્વક કે કપટથી હાનિ કે નુકસાન પહોંચાડેલ હોય તો તે જવાબદાર બનશે.

આ કાયદાની કલમ 41 હેઠળ કરાયેલા નિયમો પૈકીના કોઈ નિયમ મુજબ સ્થપાયેલ ડિપોમાંની કોઈ મિલકત જોખમમાં મૂકાય એવો કોઈ અકસ્માત થાય કે આફત આવે, ત્યારે એવું જોખમ ટાળવા માટે અથવા તેવી મિલકતને નુકસાન કે હાનિથી બચાવવા માટે કોઈ વનઅધિકારી અથવા કોઈ પોલીસ ઑફિસર મદદ માંગે, ત્યારે તે ડિપોમાં, સરકારે કે ખાનગી વ્યક્તિએ કામ કરવા રાખેલ દરેક વ્યક્તિએ, તેને મદદ કરવી જોઈએ.

ઈમારતી લાકડાની માહિતી

તણાઈ આવેલા તથા વેરવિખેર થયેલ ઈમારતી લાકડાં ભેગા કરવા અંગેની જોગવાઈઓ

સામાન્ય રીતે અનામત વનમાંના ઈમારતી લાકડાં તથા બીજી વનપેદાશની માલિકી સરકારની ગણાય છે. કેટલીકવાર ડિપોમાં રાખેલા ઈમારતી લાકડાં કે જળમાર્ગ દ્વારા વહન માટે લઈ જતાં સરકારી માલિકીના કે ખાનગી વ્યક્તિની માલિકીના ઈમારતી લાકડાં કોઈ અકસ્માત કે તોફાનને કારણે કે કોઈ અન્ય અણધાર્યા કારણને લીધે ક્યાંક ફેંકાઈ જાય છે તે તણાઈ જાય છે તો તેવે વખતે તેની માલિકી નક્કી કરવી જરૂરી બને છે.

ઈમારતી લાકડાની માલિકી

(1) તણાઈ આવેલા, કાંઠા ઉપર ફેંકાઈ આવેલા, વેરવિખેર થઈ ગયેલા અથવા તળિયે બેસી ગયેલા હોય તેવા તમામ ઈમારતી લાકડા;

(2) કલમ 41 હેહન કરાયેલા નિયમ મુજબ, જેની નોંઘણી બીજા કારણે બદલાઈ ચન્દો ધરાવના અવાય કેશા ઉપરથી વિભે અગ્નિને કારણે કે કોઈ બીજા કારણે બદલાઈ ગયેલ બેથ કે અગડતો ગયેલ હોય કે ભૂંસાઈ ગયેલ હોય તેવા તમામ લાકડી કે ઈમારતી લાકડા અને કે (૩) સજયી સરકાર સૂચના આપે તે વિસ્તારમાં આવેલા ચિહ્ન વિનાના તમામ લાકડા તથા

ઈમારતી લાકડાં. આ કાયદામાં જોગવાઈ કર્યા પ્રમાણે. તેમની ઉપર કોઈ વ્યક્તિ પોતાનો હક તથા ઈલાખો (માલિકી) સાબિત ન કરે ત્યાં સુધી સરકારની મિલકત હોવાનું ગણાશે.

આવા ઈમારતી લાકડાં વનઅધિકારી અથવા આ કાયદાની કલમ કા હેઠળ બનાવેલા નિયમો મુજબ,

તેવા લાકડા ભેગાં કરવાનો જેને હકક હોય તેવી અન્ય વ્યક્તિ, તેવા ઈમારતી લાકડાં ભેગા કરે છે. આવા ભેગા કરેલા ઈમારતી લાકડા, વન અધિકારીએ તણાઈ આવેલા ઈમારતી લાકડાં ભરવા માટે જે ડિપો નક્કો કર્યો હોય તેમાં લઈ જવામાં આવે છે. (ક. 45) આવા ભેગા કરેલા ઈમારતી લાકડાંના માલિકને શોધી કાઢવા માટે. વન અધિકારી વખતોવખત જાહેર નોટિસ આપે છે. જેમાં ઈમારતી લાકડાનું વર્ણન દર્શાવે છે તેમજ તે નોટિસની તારીખથી બે મહિનાથી ઓછી નહિ તેટલી નિર્દિષ્ટ મુદત દર્શાવે છે. આવી નિર્દિષ્ટ મુદતમાં તે ઈમારતી લાકડાં માટે હક્કદાર વ્યક્તિએ

તે વન અધિકારી સમક્ષ પોતાના હક્ક અંગે લેખિત રજૂઆત કરવાની હોય છે. (ક. 46)

જ્યારે કોઈ વ્યક્તિ આવી માંગણી કરતી રજૂઆત કરે છે ત્યારે વન અધિકારી પોતાને યોગ્ય લાગે તે તપાસ કરે છે પછી તે અંગેનાં કારણોની નોંધ કરી માંગણી મંજૂર કે નામંજૂર કરે છે. જો તે માંગણી મંજૂર કરે તો તે, ઈમારતી લાકડાં માંગણી કરનારને સોંપી દે છે. જ્યારે આવા ઈમારતી લાકડાં માટે એકથી વધુ વ્યક્તિઓ માંગણી કરે ત્યારે, વન અધિકારી –

(1) તેઓ પૈકી જે વ્યક્તિનો તે ઈમારતી લાકડાં પર હક્ક હોવાનું તેને લાગે તેને સોંપી દે અથવા દઈ શકે છે, અથવા

(2) માંગણી કરનારાઓને દીવાની કોર્ટમાં જઈ તે ઈમારતી લાકડાંનો માલિકીહક્ક નક્કી કરાવી આવવા જણાવી શકે છે અને જ્યાં સુધી કોર્ટનો હુકમ ન આવે ત્યાં સુધી તે ઈમારતી લાકડાં પોતાની પાસે રાખી મૂકી શકે છે.

જ્યારે કોઈ વ્યક્તિએ ઈમારતી લાકડાની માંગણી કરતી રજૂઆત કરી હોય. પણ તેની માંગણી જો નામંજૂર કરવામાં આવી હોય તો, તેવી વ્યક્તિ, પોતે માંગણી કરેલા ઈમારતી લાકડાંનો કબજો મેળવવા માટે, એવી નામંજૂરીની તારીખથી ત્રણ મહિનાની અંદર દાવો માંડી શકે છે.

પરંતુ આવી નામંજૂરીને કારણે અથવા ઈમારતી લાકડાં રોકી રાખ્યા હોવાને કારણે કે ખસેડવાને કારણે અથવા આ કલમ હેઠળ અન્ય કોઈ વ્યક્તિને સોપવાને કારણે સરકાર અથવા વન અધિકારી પાસેથી કોઈ પણ વ્યક્તિ, કંઈ પણ વળતર કે ખર્ચ વસૂલ કરી શકતી નથી. આ કલમની જોગવાઈ મુજબ, જ્યાં સુધી ઈમારતી લાકડાં સોંપી દેવામાં ન આવે અથવા તેને માટે દાવો માંડવામાં ન આવે ત્યાં સુધી એ લાકડાંને કોઈ દીવાની, ફોજદારી કે મહેસૂલી કોર્ટનો કાર્યવાહી હુકમ લાગુ પડતો નથી. (ક. 47)

જ્યારે કલમ 45 હેઠળ ભેગા કરેલા લાકડાં અંગે વખતોવખત જાહેર નોટિસ આપવા છતાં,

(1) કોઈ દ્વારા માંગણી ન કરવામાં આવે; અથવા

(2) કલમ 46 હેઠળ કાઢેલ જાહેર નોટિસમાં જણાવેલ રીતે તેમજ તેમાં નિર્દિષ્ટ કરેલ મુદતમાં હક્કદાર પોતાની માંગણી રજૂ ન કરે; અથવા

(3) તેણે માંગણી કરી હોય, પરંતુ વન અધિકારીએ તે નામંજૂર કરી હોય અને કલમ 47થી નક્કી કરેલ વધારાની મુદતમાં આવા ઈમારતી લાકડાંનો કબજો મેળવવા માટે હક્ક દાવો ન કરે;

ત્યારે એવા ઈમારતી લાકડાંની માલિકી સરકારમાં સ્થાપિત થશે અથવા જો આવા ઈમારતી લાકડાં, કલમ 47 હેઠળ અન્ય વ્યક્તિને સોંપવામાં આવ્યા હોય. તો પોતે ઊભા ન કરેલા તમામ બોજાથી મુક્ત રીતે તે અન્ય વ્યક્તિને તેની માલિકી પ્રાપ્ત થશે. (ક. 48)

જ્યારે આ કાયદાની કલમ 15 હેઠળ, કોઈ ઈમારતી લાકડાં ભેગા કરવામાં આવ્યા હોય, તો તેવા ઈમારતી લાકડાને કોઈ હાનિ કે નુકસાન થયું હોય તો તે માટે સરકાર કે કોઈ વન અધિકારી જવાબદાર બનતા નથી. પરંતુ જો કોઈ વન અધિકારીની બેદરકારી, દ્વેષ કે કપટથી તે ઈમારતી લાકડાને બાનિ કે નુકસાન પહોંચ્યું હોય તો, તે માટે તે વન અધિકારી જવાબદાર બને છે. (ક. 49)

આવી રીતે ઈમારતી લાકડાં મેળવનારે તે મેળવવા માટે જેટલી રકમ ભરપાઈ કરવાનું ઠરાવેલું હોય. તેટલી રકમ ભરપાઈ કરવી પડે છે. પછી જ તેને ઈમારતી લાકડાનો કબજો મળે છે.

વન અધિકારી

વન અધિકારીની સત્તાઓ અને અસમર્થતાઓ 

રાજ્ય સરકારે અથવા રાજ્ય સરકારે અધિકૃત કરેલા અધિકારીએ, આ કાયદાના બધા જ અથવા કોઈ પણ એક હેતુ પાર પાડવા માટે અથવા આ કાયદા નીચે કે તે નીચે બનાવેલ નિયમો મુજબ જે કરવું હોય

તે કરવા માટે નીમેલ વ્યક્તિને વન અધિકારી કહેવામાં આવે છે. તમામ વન અધિકારીઓ ભારતીય ફોજદારી ધારાની કલમ 21 મુજબ જાહેર નોકરો ગણાય છે. (कलम 73)

જાહેર નોકરોએ શુદ્ધબુદ્ધિથી કરેલાં કાર્યો માટે તેમની સામે દાવો થઈ શકતો નથી. વન અધિકારીઓ પણ જાહેર નોકરો હોઈ તેમણે શુદ્ધબુદ્ધિથી કરેલાં કાર્યો માટે તેમની સામે દાવો થઈ શકતો નથી. શુદ્ધબુદ્ધિથી કરેલાં કાર્યો એટલે પ્રમાણિકતાથી કરેલાં કાર્યો એવું જનરલ ક્લોઝીઝ એક્ટ મુજબ કહી શકાય. (કલમ 74)

વન અધિકારીની સત્તાઓ

વન, વનપેદાશના રક્ષણ માટે તેમજ વનપેદાશ અને ઈમારતી લાકડાંની હેરફેર નિયંત્રિત રાખવા તેમજ તેના પર જકાત લેવા જેવા કાર્યો કરવા વન અધિકારીને કેટલીક સત્તાઓ હોવી જરૂરી છે. તેથી આ કાયદાએ વન અધિકારીને એ માટે કેટલીક સત્તાઓ આપી છે જે મુજબ વન અધિકારીઓને નીચેની સત્તાઓ મળેલ છે.

(1) મિલકત કબજે લેવાની સત્તા (ક. 52) :

આ કાયદાની જોગવાઈ મુજબનો જો કોઈ વન અંગેનો ગુનો અથવા વનપેદાશ સંબંધી ગુનો કરવામાં આવ્યો હોવાનું માનવાને કારણ હોય ત્યારે, વન અધિકારી તેવો ગુનો કરવામાં વપરાયેલ તમામ સાધનો. હોડીઓ, ગાડા, ઢોર, વાહનો સહિત તે વનપેદાશનો કબજો લઈ શકે છે.

અહીં વન અધિકારી વન અંગેનો ગુનો કે વન પેદાશ સંબંધી ગુનામાં વપરાયેલ સાધનો કબજે લઈ શકે છે. એટલે ખરેખર હકીકતમાં વપરાયેલાં સાધનો હોય તે જ કબજે લઈ શકે છે. જો વપરાયેલા છે એવું માનતો હોય તેટલા માત્રથી સાધનો કબજે લઈ શકે નહીં.

એક કેસમાં અદાલતે ઠરાવ્યું છે કે વન અંગેનો ગુનો કરવામાં વપરાયેલાં સાધનોને જપ્ત કરવાની વન અધિકારીને સત્તા છે તો તેમાં ખરેખર વપરાયેલાં સાધનો જ તે જપ્ત કરી શકે છે. વપરાયેલા હોવાની શક્યતા હોય તેવાં નહીં.


(2) કબજે લીધેલ મિલકત મુક્ત કરવાની સત્તા (ક. 53) :

આ કાયદાની જોગવાઈ મુજબનો જે કોઈ વન અંગેનો ગુનો અથવા વનપેદાશ સંબંધી ગુનો કરવામાં આવ્યો સેવાનું માનવાને કારણ હોય ત્યારે વન અધિકારીએ તેવો ગુનો કરવામાં વપરાયેલ તમામ સાધનો સહિત તે વનપેદાશનો કબજો લીધેલ હોય ત્યારે જો તે મિલકતનો માલિક, તેવા ગુનો સાંભળવાની હકુમત પરાવતા મેજિસ્ટ્રેટ સમક્ષ જ્યારે માંગવામાં આવે ત્યારે, તે મિલકત રજૂ કરવાનો મુચરકો લખી આવે તો. રેન્જરના દરજ્જાથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા કોઈ વન અધિકારી અથવા તેની નીચેના વન અધિકારી, તેવી કબજે લીધેલ મિલકત મુક્ત કરી શકે છે.

3) વોરંટ વગર પકડવાની સત્તા (ક. 64) : (

આ કાયદાની જોગવાઈ મુજબ એક મહિના કે તેથી વધુ મુદતની કેદની શિક્ષાને પાત્ર થવાય તેવા કોઈ વન અંગેના ગુનામાં સંકળાયેલ હોવાનો જે વ્યક્તિ પર શક હોય, તે વ્યક્તિને મેજિસ્ટ્રેટના હુકમ વગર વન અધિકારી પકડી શકે છે. જ્યારે આ રીતે વન અધિકારીએ કોઈની ધરપકડ કરી હોય. ત્યારે તેવી વ્યક્તિને તેણે વિનાવિલંબે આ કાયદાની જોગવાઈઓ મુજબ જો તેને મુચરકાને આધારે છોડી શકાતો હોય તો. એ ગુનો સાંભળવાની હકૂમત ધરાવતા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ. અથવા નજીકના પોલીસ સ્ટેશનનો હવાલો ધરાવતા અધિકારી સમક્ષ રજૂ કરવો જોઈએ. પરંતુ આ કાયદાની કલમ 30 (સી) હેઠળ જેની મનાઈ કરવામાં આવેલ હોય તે સિવાયના આ કાયદાના પ્રકરણ-4 હેઠળના કોઈ ગુનાહિત કૃત્ય માટે આ રીતે ધરપકડ કરવાનો અધિકાર આ કલમની જોગવાઈથી મળતો નથી.

(4) પકડેલ વ્યક્તિને મુચરકાને આધારે છોડવાની સત્તા (ક. 65) :

જ્યારે કોઈ વન અધિકારીએ કોઈ વ્યક્તિની કલમ 64ની જોગવાઈ મુજબ વોરંટ વગર ધરપકડ કરી હોય તો તેવી વ્યક્તિને જો તે વ્યક્તિ તેને હુકમ કરવામાં આવે તો અને ત્યારે તે ગુનો સાંભળવાની હકૂમત ધરાવતા મેજિસ્ટ્રેટ સમક્ષ કે સૌથી નજીકના પોલીસ સ્ટેશનનો હવાલો ધરાવતા અધિકારી સમક્ષ હાજર રહેવાનો મુચરકો લખી આપે તો, રેન્જરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા કોઈ વન અધિકારી અથવા તેની સત્તા નીચેના અધિકારી તે પકડેલ વ્યક્તિને છોડી શકે છે.

(5) ગુનો થતો અટકાવવાની સત્તા (ક. 66) :

દરેક વન અધિકારીએ વન અંગેનો ગુનો થતો અટકાવવો જોઈએ. એ માટે તે કોઈ પણ રીતે દરમિયાનગીરી કરી શકવાની સત્તા ધરાવે છે.

(6) ગુના અંગે સમાધાન કરવાની સત્તા (ક. 68) :

આ સત્તા વન અધિકારીને રાજ્ય સરકાર સરકારી ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી આપી શકે છે. જે મુજબ,

(1) જ્યારે આ કાયદાની કલમ 62 અથવા 63માં નિર્દિષ્ટ કરેલા ગુના સિવાયનો બીજો કોઈ વનસંબંધી ગુનો કર્યો હોવાનો વાજબી શક જેના પર હોય તે વ્યક્તિ પાસેથી, જે ગુનો કર્યાનો તેની ઉપર શક હોય તે ગુના બદલ વળતર તરીકે નાણાંની રકમ અથવા તે વન અધિકારીના સ્વવિવેક અનુસાર એવી નાણાંની રકમ ભરવાની લેખિત બાંયધરી સ્વીકારવાનો; અને

(2) સરકાર દ્વારા જપ્ત થવાને પાત્ર હોય તેવી કોઈ પણ મિલકત જ્યારે વન અધિકારીએ કબજે લીધેલ હોય તો, તે વન અધિકારી તેવી મિલકતની જે કિંમત ઠરાવે તે કિંમત ભરવામાં આવે ત્યારે અથવા વન અધિકારીની વિવેકબુદ્ધિ અનુસાર, તેની કિંમત ભરવાની લેખિત બાંયધરી આપવામાં આવે તો, તે મિલકત છૂટી કરવાની સત્તા વન અધિકારીને મળેલ હોય છે. જે મુજબ જ્યારે તેને નાણાં ભરપાઈ કરી આપવામાં આવે કે લેખિત બાંયધરી આપવામાં આવે ને તે જો તે સ્વીકારે તો તેણે, શકદાર વ્યક્તિને જો કસ્ટડીમાં રાખેલ હોય તો મુક્ત કરવી પડે છે. તેમજ મિલકત પણ માળા મળતા અથયા હોખિત બાંયધરી સ્વીકારતા છૂટી કરવી પડે છે. વળી આ રીતે કરવી પછી, જરૂર પડે તો આ કાયદાની કલમ કર મુજબ સરકારના લેણાં વસૂલ કરવા માટે જે કાર્યવાહી દર્શાવેલ છે તે મુજબ સર્યવાહી કરી શકે છે એ સિવાયની બીજી કોઈ પણ પ્રકારની કાર્યવાહી તે મિલકત કે તે વ્યક્તિ વિરુદ્ધ ક શકાતી નથી. આ કલમની જોગવાઈ મુજબ ગુનામાં સમાધાન કરવાની મત્તા રેન્જરથી ઉતરતા દરજ્જાના ઊંથ તેવા કોઈ વન અધિકારીને મળતી નથી. એટલે કે રેન્જરથી ઉપરના દરજ્જાના વન અધિકારી જ વન અંગેના ગુના અંગે આ કલમની જોગવાઈ મુજબ સમાધાન કરી શકે છે. વળી, શકદારને મુક્ત કરવા માટે, વળતર તરીકે સ્વીકારવાની રકમ કે તેની લેખિત બાંયધરીમાં પણ મહત્તમ મર્યાદા બે હજાર રૂપિયાની છે. તેથી વધુ રકમ તે સ્વીકારી શકતો નથી, જ્યારે બાંયધરી મુજબનાં નાણાં ન આપવામાં આવે તો વન અધિકારી બીજી કોઈ પણ દીવાની કે કોજદારી કાર્યવાહી કરી શકતો નથી. તેણે તો ફક્ત કલમ 82 મુજબ સરકારી લેણાની વસૂલી માટે જે કાર્યવાહી છે તે જ કરવાની રહે છે.

જ્યારે કલમ ૩૩ હેઠળના ગુના માટે જવાબદાર વ્યક્તિઓમાંથી જો કોઈ આ કલમ 68 (1) નીચે સમાધાન કરે તો, તેની સાથેના બીજા આરોપીઓ અદાલતમાં હાજર થાય તેની રાહ જોયા વિના તે વ્યક્તિ સામેનો કેસ પાછો ખેંચી લઈ શકાય.

જ્યારે આ કલમ નીચે સમાધાન કરવામાં આવ્યું હોય તો જ્યારે સંપૂર્ણ રકમ ભરપાઈ થાય તો જ તે સંપૂર્ણ થાય છે. જો કોઈ વ્યક્તિ પોતે કરેલા ગુના માટે વળતર ભરે, પરંતુ કબજે લીધેલ મિલકત માટે વન અધિકારીએ નક્કી કરેલ રકમ ન ભરે તો વન અધિકારી તેની સામે સમાધાન ન થયું હોય તે જ રીતે કામ ચલાવી શકે તેવી કાર્યવાહી કરી શકે છે. પરંતુ તેને નક્કી કરેલ રકમ ભરી મિલકત છોડાવવા ફરજ ન પાડી શકે.

(7) પ્રાણીઓને ડબામાં પૂરવાની સત્તા (ક. 70) :

જ્યારે અનામત વન કે રક્ષિત વનનો કોઈ ભાગ ઢોરોને (પ્રાણીઓને) ચરવા માટે કાયદેસર રીતે બંધ કર્યો હોય તો, તેમાં જો કોઈ ઢોર અનધિકૃત રીતે દાખલ થઈ જાય તેવા ઢોર સામે ઢોર અતિક્રમણ धारी, 1871 (Cattle Trespass Act, 1871) नी कसम 11 मु४५ वा डोरने वन अधिकारी पकडीने डनामां પુરવાની સત્તા ધરાવે છે.

(8) રાજ્ય સરકારે આપેલી સત્તાઓ (ક. 72) :

રાજ્ય સરકાર વન અધિકારીને નીચેની તમામ કે કોઈ સત્તા આપી શકે છે :

(1) કોઈ જમીનમાં પ્રવેશ કરવાની અને તેની માપણી કરવાની, તેમાં નિશાનીઓ કરવાની અને તેનો નકશો બનાવવાની;

(2) સાક્ષીઓને હાજર થવાની અને દસ્તાવેજો તથા મહત્ત્વની વસ્તુઓ રજૂ કરવાની ફરજ પાડવાની દીવાની અદાલતની સત્તા;

(3) ફોજદારી કાર્યવાહી પદ્ધતિ હેઠળ ઝડતીનું વોરંટ કાઢવાની સત્તા;

(4) વન અંગેના કોઈ ગુનાની તપાસ કરવાની અને તે તપાસ દરમિયાન પુરાવા સ્વીકારવાની અને તેની નોંધ લેવાની સત્તા, જ્યારે આવા પુરાવા આરોપીની હાજરીમાં - તેની સામે લીધા હશે તો તેવા પુરાવા પછીની કોઈ પણ મેજિસ્ટ્રેટ સામેની કાર્યવાહીમાં પુરાવા તરીકે ગ્રાહ્ય ગણાય છે.

વન અધિકારીની અસમર્થતાઓ

વન અધિકારીને આ કાયદાએ કેટલીક સત્તાઓ આપી છે. તો તેની સાથે કેટલીક કાર્યવાહી કરવા માટે તેની સાથે મનાઈ પણ કરમાવી છે. જે મુજબ કેટલાંક કાર્યો વન અધિકારી કરી શકતો નથી અને જો સે તેવા કાર્યો કરે તો તેને શિક્ષા થાય છે.

(1) વન અધિકારીઓને વેપાર કરવાની મનાઈ (8. 75) :

રાજ્ય સરકારની લેખિત પરવાનગી સિવાય, કોઈ પણ વન અધિકારી, માલિક તરીકે કે કોઈના પ્રતિનિધિ તરીકે, ઈમારતી લાકડાનો કે બીજી કોઈ પણ વનપેદાશનો વેપાર કરી શકતી નથી. તેમજ આ કાયદો જે વિસ્તારમાં લાગુ પડતો હોય તે વિસ્તારમાં કે તેની બહારના કોઈ પણ વિસ્તારમાં આવેલ વનનો ભાડાપટ્ટો કે વનમાં કામ કરવાના કોઈ કરારમાં હિત રાખી શકશે નહિ કે કોઈ રીતે હિતાધિકારી થઈ શકશે નહિ.

(2) ગેરકાયદેસર કબજે લેવા બદલ શિક્ષા (ક. 62) :

આ કાયદાની જોગવાઈ મુજબ સરકાર જપ્ત થવાને પાત્ર મિલકત કબજે લેવાને બબને જો કોઈ વન અધિકારી ત્રાસદાયક અને બિનજરૂરી રીતે મિલકત કબજે લે તો. તે વન અધિકારી છ મહિના સુધીની કેદની સજા અથવા પાંચસો રૂપિયા સુધીના દંડની સજા અથવા બંનેને પાત્ર થાય છે.

(3) પકડેલ વ્યક્તિને છોડવા બાબત (ક. 65) :

આ કાયદાની કલમ 64 હેઠળ પકડેલ વ્યક્તિને, રેન્જરથી ઉતરતા દરજ્જાનો વન અધિકારી મુક્ત કરી શકતો નથી.

(4) વન અંગેના ગુનામાં સમાધાન કરવા બાબત :

આ કાયદાની કલમ 68 મુજબ વન અંગેના કલમ 62 અથવા 63માં નિર્દિષ્ટ કરેલ ગુના સિવાયના કોઈ ગુના અંગે સમાધાન કરવાની સત્તા રેન્જરથી ઉતરતા દરજ્જાના વન અધિકારીને નથી.

વન અધિકારીઓને મદદ કરવા બંધાયેલ વ્યક્તિઓ (ક. 79)

અનામત વનમાં કે રક્ષિત વનમાં કોઈ પણ પ્રકારનો અધિકાર ધરાવનાર અથવા એવા વનમાંથી કોઈ પણ વનપેદાશ લઈ જવાની અથવા ઈમારતી લાકડું કાપવાની અને ખસેડવાની અથવા ઢોર ચરાવવાનો અધિકાર ધરાવનાર વ્યક્તિ તેમજ તેણે એ વનમાં નોકરીએ રાખેલ તમામ વ્યક્તિઓ અને આવા વનની લગોલગ આવેલા કોઈ ગામમાં સરકારે નોકરીએ રાખેલ અથવા લોકોની સેવા બજાવવા માટે સરકાર તરફથી મળતર મેળવનાર દરેક વ્યક્તિને.

જો કોઈ વન અંગેનો ગુનો થયાની અથવા કરવાના ઇરાદાની માહિતી હોય તો તે, તે માહિતી વિના-વિલંબે સૌથી નજીકના વન અધિકારી કે પોલીસ અધિકારીને આપવા બંધાયેલ છે. વળી તેને વન અધિકારીએ કે પોલીસ અધિકારીએ કરવા કહ્યું હોય કે નહિ કહ્યું હોય. તો પણ તે વ્યક્તિ નીચેના કાર્યો કરવા બંધાયેલ છે.

(1) પોતાને જાણ કે માહિતી હોય તેવો. તે વનમાં લાગેલ દાવાનળ ઓલવવા (બુઝાવવા),

(2) તેને જાણ કે માહિતી હોય તેવી વનની આસપાસની આગને, પોતાના કાબુ હેઠળના કાયદેસરના કોઈ પણ સાધનો વડે તે વનમાં ફેલાતી અટકાવવા.

વળી જ્યારે કોઈ વન અધિકારી કે પોલીસ અધિકારી તેવી વ્યક્તિની –

(1) એ વનમાં કોઈ વન અંગેનો ગુનો થતો અટકાવવા માટે; અને

(2) એ વનમાં જો કોઈ વન અંગેનો ગુનો થયો હોવાનું માનવાને કારણ હોય તો, ત્યારે તેવા ગુનેગારને શોધી કાઢવા તથા તેને પકડવા માટે: મદદ માગે તો તેણે મદદ આપવી પડે છે. જો આવી કોઈ વ્યક્તિ

(1) વન અંગેનો ગુનો થયાની કે કરવાના ઇરાદાની પોતાને જાણ હોય છતાં માહિતી ન આપે.

(2) કોઈ અનામત વન કે રક્ષિત વનમાં લાગેલ દાવાનળ ઓલવવા યોગ્ય પગલાં ન લે. અથવા

(3) વનની આસપાસ લાગેલી આગને વનમાં ફેલાતી અટકાવવા યોગ્ય પગલાં ન લે, અથવા

(4) એ વનમાં કોઈ વન અંગેનો ગુનો થતો અટકાવવામાં અથવા એવા વનમાં એવો કોઈ ગુનો કરવામાં આવ્યો છે એમ માનવાને કારણ હોય ત્યારે તેવા ગુનેગારને શોધી કાઢવામાં કે તેને પકડવામાં પોલીસ અધિકારી કે વન અધિકારી જે મદદ માંગે તે ન આપે તો તે, એક મહિના સુધીની કેદની શિક્ષા અથવા બસો રૂપિયા સુધીના દંડની શિક્ષા અથવા બંનેને પાત્ર થાય છે. આ શિક્ષા ત્યારે જ થાય જો તે વ્યક્તિ આવી મદદ આપવા બંધાયેલ હોય. પોતે આવી મદદ આપવા બંધાયેલ નથી એવું સાબિત કરવાનો બોજો જે તે વ્યક્તિ ઉપર રહેલ છે.



પ્રકરણ-17 : પર્યાવરણ (સુરક્ષા) ધારો, 1986

પર્યાવરણ સુરક્ષા ધારો, 1986 અન્વયે કેન્દ્ર સરકારની સત્તાઓ જણાવો. ટૂંક નોંધ લખો : પર્યાવરણ સુરક્ષા ધારો, 1986 અન્વયે કેન્દ્ર સરકારની સામાન્ય સત્તાઓ. 


પર્યાવરણ (સુરક્ષા) ધારાનો મુખ્ય હેતુ પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખવાનો, પર્યાવરણીય પ્રદૂષણ થતું અટકાવવાનો અને પર્યાવરણીય પ્રદૂષણ ઓછું કરવાનો છે. આ કરવા માટે કેન્દ્ર સરકારને આ કાયદા દ્વારા સત્તા આપવામાં આવેલ છે.

કેન્દ્ર સરકારની સામાન્ય સત્તાઓ (ક. 3)

આ કાયદાની કલમ 3માં, કેન્દ્ર સરકારને પર્યાવરણની સુરક્ષા માટે પર્યાવરણમાં રહેલા પ્રદૂષણને ઘટાડવા કે અંકુશમાં રાખવા માટે કેટલીક સત્તાઓ આપવામાં આવેલ છે, જે નીચે મુજબ છે :

(1) પર્યાવરણની ગુણવત્તાના રક્ષણ માટે અને સુધારણા માટે તેમજ પર્યાવરણમાં રહેલા પ્રદૂષણને ઘટાડવા, નિયંત્રણમાં રાખવા કે અટકાવવા માટે, કેન્દ્ર સરકારને જે પગલાં લેવાનું યોગ્ય અને જરૂરી લાગે તે બધાં જ પગલાં લેવાની સત્તા છે. [ક. ૩ (1)]

(2) આ કાયદાના હેતુઓને અથવા આ કાયદાના હેતુઓને લગતા જે તે સમયે અમલમાં હોય તેવા અન્ય કાયદાના હેતુઓને લગતા રાજ્ય સરકારોના કે અન્ય સત્તા મંડળોનાં કાર્યોનું

संकलन ६२. [४. 3(2) (1)] (3) પર્યાવરણના પ્રદૂષણને અટકાવવા, નિયંત્રણમાં રાખવા કે ઘટાડવા માટેના રાષ્ટ્રવ્યાપી

કાર્યક્રમનું આયોજન કરવું અને તેને અમલી બનાવવા. [8. 3(2) (ii)] (4) વિવિધ પાસાઓમાં પર્યાવરણની ગુણવત્તા અંગેનું ધોરણ નિર્દિષ્ટ કરવું. [ક. 3(2) (M)]

(5) જુદાં જુદાં સાધનોમાંથી છોડવામાં આવતા કે ફેંકાતા પર્યાવરણીય પ્રદૂષકો માટે ધોરણો નિર્દિષ્ટ કરવા. સાધનોની અલગ અલગ રચના અને તેમાંથી ફેંકાતા કે છોડાતા પર્યાવરણીય પ્રદૂષકોનું પ્રમાણ, ગુણવત્તા ને ધોરણો ઉપર મુજબના ધોરણો અલગ અલગ હોઈ શકે. [ક. 3(2) (iv)]

(6) કેટલાક ઉદ્યોગો, પ્રક્રિયાઓ કે કાર્યો માટે અમુક વિસ્તારો પ્રતિબંધિત જાહેર કરવા કે કેટલીક વિશિષ્ટ સલામતીઓની જોગવાઈઓને આધીન રહી, શરૂ કરી શકાય એવાં નિયંત્રણો મૂકવા [5. 3(2) (v)]

(7) પર્યાવરણ પ્રદૂષિત થઈ શકે તેવા અકસ્માતો અટકાવવા માટે સલામતીના પગલાંની વ્યવસ્થા કરવી અને તેવા અકસ્માતો માટે ઉપાયોની કાર્યરીતિ નક્કી કરવી. [ક. 3(2) (vi)]

(8) જોખમકારક (હાનિકારક) પદાર્થ હાથ ધરવા માટેની કાર્યપદ્ધતિ અને સલામતીની વ્યવસ્થા नडी १२वी. [१. 3(2) (vii)]

(9) જેનાથી પર્યાવરણ પ્રદૂષિત થવાનો સંભવ હોય તેવી ઉત્પાદન પ્રક્રિયાઓ, ચીજવસ્તુઓની तपास ६२वी. [३. 3(2) (viii)]

(10) પર્યાવરણના પ્રદૂષણની સમસ્યા અંગે તપાસ કરવી અને તે અંગે સંશોધન કરવા કે કરાવવા. [8.3(2) (ix)]

(1) કોઈ પણ સ્થાળ. પ્લાન્ટ સાધનસામગ્રી, મણીનરી, ઉત્પાદનની & અન્ય પ્રક્રિયા કે પદાર્થોની તપાસ કરવી અને પર્યાવરણનું પ્રદૂષણ અટકાવવા, તેને નિયંત્રિત કરવા કે ઓછું કરવા માટેના જરૂરી પગલાં લેવા માટે જે તે સત્તામંડળને સૂચનાઓ આપવી, ($. 3(2)(6))

(12) આ કાયદા હેઠળ સોંપાયેલાં કાર્યો કરવા માટે પર્યાવરણીય પ્રયોગશાળાઓ સ્થાપવી કે તેને मान्यता आपवी. (s. 3(2) (xi)]

(13) પર્યાવરણના પ્રદૂષણને લગતી બાબતોને લગતી માહિતીઓ ભેગી કરવી અને તેનો પ્રચાર ३२. [8. 3(2) (xii)] (14) પર્યાવરણના પ્રદૂષણને અટકાવવા, નિયંત્રણમાં રાખવા કે ઘટાડવા અંગેની માર્ગદર્શિકાઓ

કે આચારસંહિતાઓ બનાવવી. [ક. 3(2) (xi||)] (15) આ કાયદાની જોગવાઈઓના અસરકારક અમલ માટે, કેન્દ્ર સરકારને જરૂરી અને યોગ્ય લાગે તેવી બીજી કોઈ પણ બાબતોને લગતી કાર્યવાહી કરવાની સત્તા છે. ($. 3(2) (ivx)]

કેન્દ્ર સરકારને મળેલી આ સત્તાઓ સામાન્ય સ્વરૂપની છે અને તેનો ઉપયોગ આ કાયદાની જોગવાઈને અનુલક્ષીને કરવાનો છે. વળી આ કલમની પેટાકલમ (૩) કેન્દ્ર સરકારને લગભગ પોતાની સત્તાની સોંપણી કરવા જેવી જ સત્તા આપે છે. જે મુજબ, સરકારી ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી, કેન્દ્ર સરકાર કોઈ સત્તામંડળ અથવા સત્તામંડળોની રચના કરી શકે છે. આ રીતે રચાયેલ સત્તામંડળ, પર્યાવરણની સુરક્ષા અને સુધારણા માટે, તેમજ આ કલમની પેટાકલમ (2)માં જણાવેલ કોઈ પણ પગલાં લઈ શકે છે. પર્યાવરણના પ્રદૂષણને અટકાવવા માટે અદાલતે આપેલી સૂચનાનું પાલન ન કરવા બદલ જે તે અધિકારીને અદાલતના તિરસ્કાર બદલ જવાબદાર ઠેરવી શકાય.

આ કાયદાના હેતુઓ ખર પાડવા માટે સમિતિની રચના કરવાની ફરજ કેન્દ્ર સરકારને પાડી શકાય.

અધિકારીઓની નિમણૂક અને તેમની સત્તા અને કાર્યો

આ કાયદાનો હેતુ પર્યાવરણની સુરક્ષા જાળવવાનો અને પર્યાવરણની શુદ્ધતા જાળવી રાખવાનો છે. આ હેતુની પૂર્ણતા માટે કેટલાંક કાર્યો કરવા જરૂરી બને છે. કેન્દ્ર સરકારને આવાં કાર્યો કરવા માટે અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા આ કલમ દ્વારા આપવામાં આવી છે. જે મુજબ, આ કાયદાના હેતુઓ માટે, કલમ 3 (3)ની જોગવાઈઓને બાધ આવ્યા સિવાય, કેન્દ્ર સરકાર, પોતાને યોગ્ય લાગે તે હોદા પર અધિકારીઓ નીમી શકશે અને આ કાયદા હેઠળનાં પોતાને યોગ્ય લાગે તે કાર્યો અને સત્તા સોંપી શકશે. આ રીતે નીમાયેલા અધિકારીઓ, કેન્દ્ર સરકારે કલમ ૩(૩) હેઠળ રચેલ અથવા ઉત્પન્ન કરેલ સત્તામંડળ અથવા સત્તામંડળોની સહાયમાં કાર્ય કરશે. આ અધિકારીઓ હેઠળ કેન્દ્ર સરકારના સામાન્ય નિયંત્રણ અને આદર્શને આધીન રહેશે અને જો સરકાર આદેશ આપે તો, કલમ ૩(૩) હેઠળ રચાયેલ સત્તામંડળ કે સત્તામંડળોને પણ આધીન રહેશે.

આદેશો આપવાની સત્તા

આ કાયદા હેઠળની પોતાની સત્તાઓ અને કાર્યો માટે કોઈ વ્યક્તિ, અધિકારી કે સત્તામંડળને લેખિત સૂચનો આપે તો હુકમ કરવાની સત્તા આ કલમ નીચે આપવામાં આવી છે. જે મુજબ, બીજા કોઈ પણ કાયદામાં ગમે તે જણાવાયું હોવા છતાં, આ કાયદાની જોગવાઈઓને આધીન રહીને, આ કાયદા હેઠળનાં પોતાનાં કાર્યો કરવા માટે અને સત્તાઓ વાપરવા માટે, કોઈ પણ વ્યક્તિ, અધિકારી કે સત્તામંડળને લેખિત હુકમો આપી શકશે, કે જેનું પાલન કરવા સંબંધિત વ્યક્તિ, અધિકારી કે સત્તામંડળ બંધાયેલ રહેશે. નીચેની બાબતો અંગે હુકમો કરી શકાય છે :

(1) કોઈ ઉદ્યોગ, કાર્યવાહી કે પ્રક્રિયાને સદંતર બંધ કરી દેવા, તેના પર પ્રતિબંધ મૂકવા કે તેનું નિયમન કરવા અંગેની બાબત.

પર્યાવરણ કાયદાઓ (2) વીજળી પાણી કે અન્ય કોઈ વિવાની પુરવઠો બંધ કરી દેવા કે તેનું નિયમન કરવા ખંડોની

આવત... એક કેસમાં અદાલતને હરાવ્યું હતું કે જો કોઈ ફેકટરી બંધ કરવા માટેનો હુકમ યોગ્ય કારણોસર હોય તો તેને અમાન્ય (Invand) ઠેરવી ન શકાય.

એક કેશમાં અદાલતે હરાવ્યું કે. બોર્ડને ભયજનક કચરી ગમે તે જગ્યાએ નાંખવા કે ઉકરડો અટકાવવા બહોળી સતા છે. કેન્દ્ર સરકારની પર્યાવરણીય પ્રદૂષણનું નિયમન કરવા માટે નિયમો બનાવવાની સત્તા

આ કાયદા નીચે કેન્દ્ર સરકારને બે કલમો નીચે નિયમો બનાવવાની સત્તા મળેલ છે. કલમ 6 અને 25, જેમાં આ કલમ કે નીચે કેન્દ્ર સરકાર પર્યાવરણીય પ્રદૂષણનું નિયમન કરવા અંગેના નિયમો બનાવી શકે છે. જયારે કલમ 25 અન્વયે કલમ 25 (2)માં જણાવેલી બાબતો અંગે નિયમો બનાવી શકે છે. કેન્દ્ર સરકાર પર્યાવરણીય પ્રદૂષણના નિયમન માટે કલમ ૩માં આપેલી બાબતો અંગે તેમજ આ કલમની પેટાકલમ (2)માં જણાવેલી બાબતો અંગે નિયમો બનાવી શકે છે. આ કલમની પેટાકલમ (I) મુજબ, કેન્દ્ર સરકાર, સરકારી ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી, કલમ 3મો

જણાવેલ બધી બાબતો માટે કે કોઈ પણ બાબત માટે નિયમો બનાવી શકે છે. આ ઉપરાંત પેટાકલમ (2) મુજબ. કેન્દ્ર સરકાર નીચેની બધી બાબતો અંગે અગર કોઈ બાબત માટે. ખાસ કરીને અને પૂર્વવર્તી સત્તાની વ્યાપકતાને અવરોધ્યા વિના નિયમો બનાવી શકશે;

(1) વિવિધ વિસ્તારો માટે અને અલગ અલગ હેતુઓ માટે હવા, પાણી અને જમીનની ગુણવત્તાનાં

ધોરણો નક્કી કરવા: (2) વિવિધ વિસ્તારોમાં પોંઘાટ સહિત. વિવિધ પર્યાવરણીય પ્રદૂષકોની જલદતાની સહ્ય, માત્રાની મહત્તમ મર્યાદાઓ નક્કી કરવી:

(3) હાનિકારક (જોખમકારક) પદાર્થોને હાથ ધરવા માટેની કાર્યવાહીઓ અને રક્ષણ વ્યવસ્થાની જોગવાઈઓ:

(4) વિવિધ વિસ્તારોમાં હાનિકારક (જોખમકારક) પદાર્થને હાથ ધરવા પ્રતિબંધ અને નિયંત્રણ મૂકવા;

(5) વિવિધ વિસ્તારોમાં ઉદ્યોગોની સ્થાપના કરવા, કાર્યવાહીઓ કરવા અને પ્રક્રિયાઓ કરવા ઉપરના પ્રતિબંધી અને નિયંત્રણ મૂકવા;

(6) પર્યાવરણીય પ્રદૂષણ કરી શકે તેવા અકસ્માતો અટકાવવા માટેની કાર્યવાહીઓ અને રક્ષણ વ્યવસ્થા ગોઠવવી અને આવા અકસ્માતો બને ત્યારે લેવાના ઉપાયલક્ષી પગલાં અંગેની જોગવાઈ નક્કી કરવી.

પર્યાવરણ સુરક્ષા ધારા, 1986 હેઠળ 

(1) દાખલ થવાની અને નિરીક્ષણ કરવાની સત્તા.

(2) નમૂનો લેવાની સત્તા અને તેનો સંબંધમાં અનુસરવાની રીત.

(3) પર્યાવરણ પ્રયોગશાળા.


(1) પ્રવેશ કરવાની અને તપાસ કરવાની સત્તા (ક. 10)

આ કાયદાનો હેતુ પર્યાવરણનું પ્રદૂષણ થતું અટકાવવાનો ને તેને નિયંત્રણ રાખવાનો છે. આ હેતુનું પાલન કરવા માટે સરકારને કેટલીક વિશિષ્ટ સત્તાઓ મળેલ છે. તેમાંની એક છે. કોઈ પણ સ્થળે પ્રવેશ કરવાની અને તે સ્થળે તપાસ કરવાની સત્તા. કલમ 10માં આ વિશે જોગવાઈ કરાયેલ છે. જે મુજબ, કેન્દ્ર સરકારે પોતાના વતી અધિકૃત કરેલ કોઈ પણ વ્યક્તિ તેને યોગ્ય લાગે તેટલા મદદનીશો સાથે વાજબી સમયે કોઈ પણ સ્થળે નીચેના હેતુઓ માટે પ્રવેશ કરવા અધિકારી છે

(1) કેન્દ્ર સરકારે તેને સોંપેલ કોઈ પણ કાર્ય કરવા માટે:

(2) આ કાયદા હેઠળની કોઈ જોગવાઈઓ અથવા તે જોગવાઈઓ હેઠળ બનાવેલ નિયમો મુજબનાં કાર્યો કરવામાં આવે છે કે કેમ અને જો કરવામાં આવતા હોય. તો કેવી રીતે કરવામાં આવે. છે. તે અથવા આ કાયદા હેઠળ આપેલ કોઈ પણ નોટિસ આપેલ કોઈ પણ હુકમ આપેલ કોઈ પણ સૂચના અથવા મંજૂર કરેલ કોઈ પણ અધિકારપત્રનું પાલન કરવામાં આવી રહ્યું છે કે કેમ અને જો કરવામાં આવી રહ્યું હોય તો કેવી રીતે તે નક્કી કરવા માટે,

(3) કોઈ પણ નિયંત્રિત સાધન, ઔદ્યોગિક પ્લાન્ટ, રેકર્ડ, રજિસ્ટર, દસ્તાવેજ અથવા બીજી કોઈ પણ મહત્ત્વની વસ્તુની તપાસ કરવા માટે તેમજ તેનું પરીક્ષણ કરવા માટે અથવા જે સ્થળે આ કાયદા હેઠળનો અથવા આ કાયદા હેઠળ બનાવેલા નિયમો હેઠળનો કોઈ ગુનો થયો છે અથવા થઈ રહ્યો છે અથવા થવાની તૈયારીમાં છે તેવું માનવાને તેને વાજબી કારણ હોય તો. તેવા કોઈ પણ સ્થળની જડતી લેવા માટે અને આ કાયદા હેઠળના અથવા આ કાયદા હેઠળ બનાવેલ કોઈ પણ નિયમો હેઠળની કોઈ શિક્ષાપાત્ર ગુનો બન્યો હોવાના પુરાવા પૂરા પાડી શકે અથવા તે વસ્તુને કબજામાં લેવાથી પર્યાવરણનું પ્રદૂષણ અટકાવી શકાશે અથવા તેનું નિયમન કરી શકાશે એવું માનવાને તેને કારણ હોય. તો તે નિયંત્રિત સાધન, ઔદ્યોગિક પ્લાન્ટ, રેકર્ડ, રજિસ્ટર, દસ્તાવેજ અથવા બીજી કોઈ પણ મહત્ત્વની વસ્તુને કબજામાં લેવા માટે.

પેટાકલમ (2) મુજબ, દરેક વ્યક્તિ કે જે કોઈ ઉદ્યોગ, કાર્યવાહી અથવા પ્રક્રિયા કરતી હોય અથવા કોઈ હાનિકારક (જોખમકારક) પદાર્થને હાથ ધરતી હોય. તે દરેક વ્યક્તિ કેન્દ્ર સરકારે કલમ 10 (1) હેઠળ અધિકૃત કરેલ વ્યક્તિને તે કલમ હેઠળનાં તેનાં કાર્યો કરવા માટે તમામ મદદ કરવા બંધાયેલા છે. જો કોઈ વાજબી કારણ અથવા બહાના વગર જો તેઓ તેમ કરવામાં નિષ્ફળ જશે તો. તેઓ આ કાયદા નીચે ગુના માટે દોષિત ઠરશે. વળી, જે કોઈ વ્યક્તિ કેન્દ્ર સરકારે અધિકૃત કરેલ વ્યક્તિને, તેનું કાર્ય કરવા આડે વિઘ્ન (અવરોધ) ઊભું કરશે. અથવા વિલંબ કરાવશે. તો તે વ્યક્તિ આ કાયદા હેઠળ ગુનાને પાત્ર બનશે. પ્રવેશ કરવાની અને તપાસ કરવાની આ સત્તામાં ભારતીય ફોજદારી કાર્યવાહી કાયદાની કલમ 94માં જણાવ્યા મુજબની જ છે. એટલે કે, આ કાયદા નીચે જે રીતે પ્રવેશ કરવાની અને તપાસ કરવાની સત્તા છે, તે મુજબની જ સત્તા આ જોગવાઈ નીચે કરવામાં આવેલ છે. જમ્મુ અને કાશ્મીર રાજ્ય અથવા બીજા વિસ્તારો કે જ્યાં આ ભારતીય ફોજદારી કાર્યવાહી કાયદો અમલમાં નથી. ત્યાં જે તે સમયે પ્રવર્તમાન તતTસમાન કાયદાની જોગવાઈ મુજબની જ સત્તા આ કલમ હેઠળ પણ મળેલ ગણાશે.

(2) નમૂના લેવાની સત્તા અને તે માટે અનુસરવાની કાર્યપદ્ધતિ (ક. 11)

આ કલમ કેન્દ્ર સરકાર અથવા તેણે અધિકૃત કરેલ કોઈ પણ અધિકારીને પૃથક્કરણના હેતુ માટે કોઈ પણ કારખાનું, જગ્યા અથવા બીજા કોઈ પણ સ્થળેથી નિયત કરેલી રીતે હવા, પાણી, જમીન અથવા બીજા કોઈ પણ પદાર્થનો નમૂનો લેવાનો અધિકાર આપે છે. આવા નમૂનાના પૃથક્કરણ માટે અનુસરવાની કાર્યપદ્ધતિ અને તેના પરિણામની કાનૂની કાર્યવાહીમાં પુરાવા તરીકેની ગ્રાહ્યતા અંગેની જોગવાઈ પણ આ જ કલમની પેટાકલમો (3) અને (4)માં જણાવવામાં આવેલ છે. જે મુજબ, નમૂનાને પૃથક્કરણ માટે લેવામાં આવે ત્યારે નીચેની કાર્યવાહી કરવી જોઈએ. જો એ કાર્યવાહી કરવામાં ન આવી હોય, તો આવા નમૂનાના પૃથક્કરણના પરિણામનો હેવાલ કોઈ પણ કાનૂની કાર્યવાહીમાં પુરાવા તરીકે ગ્રાહ્ય ગણાતો નથી.

નમૂનાના પૃથક્કરણ માટે અનુસરવાની કાર્યપદ્ધતિ [ક. 11(3) અને (4)] :

જ્યારે નમૂનો પૃથક્કરણ માટે લેવામાં આવે ત્યારે પૃથક્કરણ માટે નમૂનો લેનાર વ્યક્તિએ -

(1) જે તે સ્થળના ભોગવટેદાર અથવા તેના પ્રતિનિધિને અથવા તે સ્થળનો અખત્યાર ધરાવનાર વ્યક્તિને નિયત નમૂનામાં તે વસ્તુનું પૃથક્કરણ કરાવવા અંગેના તેના ઇરાદાની નોટિસ તે જ સ્થળે અને તે જ સમયે આપવી જોઈએ.

(2) વસ્તુની નમૂની જે તે સ્થળના ભોગવોદાવી આઈી. તેના પ્રતિનિધિ અથવા તે સ્થળનો અખત્યાર ધરાવતી વ્યક્તિની હાજરીમાં

(3) પૂલકરણ માટે લીધેલ વસ્તુને પાત્ર પથ નવા લેનાર વ્યક્તિ તેમજ જુનિશાની કરી પરાકરણ) મારવી જોઈએ. આના ઉપર ન મંતો સોળનો અખત્યાર ધરાવનાર આચ્છના સોગચહદાર અથવા તેના પ્રતિનિષિબે અથવા તે સ્થળનો અખત્યાર ધરાવનાર વ્યક્તિય સહી કરવી જોઈએ. (4) સ િરીતે તૈયાર કરેલ પાત્ર અથવા પાત્રો વિના વિલંબે કલમ 12 હેઠળ કેન્દ્ર સરકારે સ્થાપેલ અથવા માન્ય કરેલ પ્રયોગશાળાને પૃથક્કરણ માટે મોકલવા જોઈએ.

(5) પૃથક્કરણ માટે નમૂનો લેતી વ્યક્તિએ નમૂનો લેતી વખતે જે તે સ્થળના ભોગવટેદાર કે તેના પ્રતિનિધિ કે વ્યક્તિને નોટિસ આપી હોય છતાં -

(એ) ભોગવટેદાર અથવા તેનો પ્રતિનિધિ કે વ્યક્તિ જાણીબુઝીને ગેરહાજર રહે, તો નમૂનો લેનાર વ્યક્તિએ નમૂનો લઈ તેને પાત્રમાં મૂકી તેના ઉપર નિશાની કરી તેને મહોર મારવી જોઈએ અને તેના ઉપર નમૂનો લેનારે સહી કરવી જોઈએ." 
(બી) જો ભોગવટેદાર અથવા તેનો પ્રતિનિધિ કે વ્યક્તિ નમૂનો લેતી વખતે હાજર રહે. પરંતુ નમૂનાના નિશાની અને મહોરવાળા પાત્ર કે પાત્રો ઉપર સહી કરવાની ના પાડે તો નમૂનો લેનારે તેના ઉપર સહી કરવી જોઈએ.

આ રીતે તૈયાર કરેલ પાત્ર અથવા પાત્રો વિનાવિલંબે આ કાયદાની કલમ 12 હેઠળ સ્થાપેલ ? નિર્દિષ્ટ કરેલ પ્રયોગશાળાને મોકલવા જોઈએ. નમૂનો લેનાર વ્યક્તિએ આ કાયદાની કલમ 13 હેઠળ નિમાયેલ સરકારી પૃથક્કારનો નમૂનો લેતી વખતે સ્થળના ભોગવટેદાર કે તેના પ્રતિનિધિ કે વ્યક્તિની જાણીબુઝીને ગેરહાજરીની વિગત અથવા સ્થળના ભોગવટેદાર કે તેના પ્રતિનિધિ કે વ્યક્તિની નમૂનાના તૈયાર કરેલ પાત્ર કે પાત્રો ઉપર સહી કરવાના ઇન્કાર કરવા અંગેની વિગત લેખિત જણાવવી જોઈએ. આ રીતે લીધેલ નમૂના પૃથક્કારને બનતી ત્વરાએ પહોંચાડવા જોઈએ. કેટલીકવાર નમૂના પહોંચાડવા વિલંબ થતાં તે પૃથક્કરણ માટે યોગ્ય રહેતા નથી.

(3) પર્યાવરણીય પ્રયોગશાળા (ક. 12)

કલમ 12માં પર્યાવરણીય પ્રયોગશાળા વિશે જણાવેલ છે. જે મુજબ કેન્દ્ર સરકાર પર્યાવરણીય પ્રયોગશાળાની સ્થાપના કરી શકે છે. કે માન્યતા આપી શકે છે. કેન્દ્ર સરકાર સરકારી ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને -

(1) એક કે વધુ પર્યાવરણીય પ્રયોગશાળાઓની સ્થાપના કરી શકે છે; અથવા

(2) આ કાયદા હેઠળ પર્યાવરણીય પ્રયોગશાળાને સોંપાયેલ કાર્યો કરવા માટે એક કે વધુ પ્રયોગશાળાઓને અથવા સંસ્થાઓને પર્યાવરણીય પ્રયોગશાળા તરીકે નિર્દિષ્ટ કરે છે. પર્યાવરણીય પ્રયોગશાળાની સ્થાપના કર્યા બાદ કે નિર્દિષ્ટ કર્યા બાદ કેન્દ્ર સરકાર, પર્યાવરણીય

પ્રયોગશાળા માટે નીચેની બાબતો અંગે નિયમો બનાવે છે :

(1) પર્યાવરણીય પ્રયોગશાળાનાં કાર્યો; 
(2) પૃથક્કરણ અથવા પરીક્ષણ માટે હવા, પાણી, જમીન અથવા કોઈ પદાર્થના નમૂના આ

પ્રયોગશાળાને મોકલવા માટેની કાર્યપદ્ધતિ, પ્રયોગશાળાએ પોતાના પરિણામના આપવાના

અહેવાલનો નમૂનો અને એવા અહેવાલ માટે ચૂકવવાની ફી. (3) પ્રયોગશાળા પોતાનાં કાર્યો કરી શકે તે માટે જરૂરી અને લાભદાયક હોય એવી બીજી કોઈપણ બાબતો.

પ્રકરણ-16 : હવા [પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1981 અન્વયે રાજ્ય સરકારની સત્તાઓ

હવા [પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1981 અન્વયે રાજ્ય સરકારની સત્તાઓ 

હવા [પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ] ધારા હેઠળ રાજ્ય સરકારને મુખ્ય બે સત્તા મળેલ છે :


(1) રાજ્યમંડળને પદ ચ્યુત (સુપરસીડ) કરવાની સત્તા. 
(2) આદેશો આપવાની સત્તા,

(1) રાજ્યમંડળને પદચ્યુત (સુપરસીડ) કરવાની રાજ્ય સરકારની સત્તા (કલમ 47)

આ કાયદાની કલમ 47માં રાજ્યમંડળને પદચ્યુત કરવાની રાજ્ય સરકારની સત્તા વિશે જણાવેલ છે.

જે મુજબ - (એ) જે રાજ્યમંડળ આ કાયદા હેઠળનાં પોતાનાં કાર્યો બજાવવામાં સતત કસૂર કરે છે, અથવા ) એવા સંજોગો અસ્તિત્વમાં આવે કે, જાહેર હિતમાં એમ કરવું જરૂરી છે.

(બી - એવો રાજ્ય સરકારનો અભિપ્રાય થાય તો તે રાજ્યપત્રમાં જાહેરનામાથી તેમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેટલી એક વર્ષથી વધુ ન હોય. તેટલી મુદત સુધી, રાજ્યમંડળને પદચ્યુત કરી શકે છે.

ઉપર (એ)માં જણાવેલ કારણોસર જાહેરનામું પ્રસિદ્ધ કરતાં પહેલાં, રાજ્ય સરકારે જે તે મંડળને તેના બચાવની વાજબી તક આપવી જોઈએ અને મંડળના ખુલાસા અને વાંધા હોય તો તેની વિચારણા કરવી જોઈએ.

પેટાકલમ (2) તે મંડળને પદચ્યુત કરવાના જાહેરનામાને કારણે પેદા મુજબ રાજ્યમંડળને પદચ્યુત કરતું જાહેરનામું પ્રસિદ્ધ થતાં. થતી અસરો વિશે જણાવે છે.

જે (એ) મંડળના તમામ સભ્યોના હોા જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી ખાલી થશે.

(બી) આ કાયદાથી અથવા તે હેઠળ રાજ્યમંડળ વાપરે, બજાવે અથવા અદા કરે તેવી તમામ સત્તા, કાર્યો અને ફરજો, જ્યાં સુધી પેટાકલમ (3)ની જોગવાઈ મુજબ, યથાપ્રસંગ રાજ્યમંડળની પુનર્રચના ન થાય ત્યાં સુધી, રાજ્ય સરકાર આદેશ આપે તે વ્યક્તિ અથવા વ્યક્તિઓ વાપરશે. બજાવશે અથવા અદા કરશે.

(સી) રાજ્યમંડળની માલિકીની અથવા નિયંત્રણ હેઠળની તમામ મિલકત રાજ્યમંડળની પેટાકલમ (૩) હેઠળ પુનર્રચના કરવામાં ન આવે ત્યાં સુધી રાજ્ય સરકારમાં સ્થાપિત થશે.

પેટાકલમ (3) રાજ્ય સરકારની સત્તા વિશે જણાવે છે. જે મુજબ પેટાકલમ (1) હેઠળ પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામામાં, નિર્દિષ્ટ કરેલ મુદત પૂરી થયે, રાજ્ય સરકાર,

(એ) પોતાને જરૂરી લાગે તેટલી, છ મહિના કરતાં વધુ નહિ તેટલી મુદત સુધી પદચ્યુતિની મુદત વધારી શકશે: અથવા

(બી) નવી નિયુક્તિ અથવા નવી નિમણૂકથી રાજ્યમંડળની પુનર્રચના કરી શકે છે અને એ સંજોગોમાં પેટાકલમ (2) (એ) હેઠળ હોદા ખાલી કરનાર વ્યક્તિ પણ નિયુક્તિ અથવા નિમણૂકને પાત્ર ગણાશે.

પરંતુ રાજ્ય સરકાર, પેટાકલમ (1) હેઠળ નિર્દિષ્ટ કરેલ મૂળ મુદત અથવા આ પેટાકલમ હેઠળ વધારેલ મુદત પૂરી થાય તે પહેલાં ગમે ત્યારે રાજ્યમંડળની પુનર્રચના કરી શકે છે.

(2) આદેશો આપવાની સત્તા :

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ માટેના કેન્દ્રિય મંડળ તેમજ રાજ્ય મંડળને આદેશો આપવાની સત્તા ધરાવે છે.

જે મુજબ, કેન્દ્રીય મંડળ કેન્દ્ર સરકારે તેને આપેલા આદેશોનું પાલન કરવા બંધાયેલ છે. જ્યારે રાજ્યમંડળ, કેન્દ્રીય મંડળ અથવા જે તે રાજ્ય સરકારે આપેલ આદેશોનું પાલન કરવા બંધાયેલ છે. જ્યારે રાજ્યમંડળને આ રીતે આદેશ. કેન્દ્રીય બોર્ડે તેને આપેલા આદેશ સાથે અસંગત હોય તો કયા આદેશનું પાલન કરવું તેનો નિર્ણય કરવાનું કામ કેન્દ્ર સરકારનું છે. આ મુજબ આપવાના આદેશો હંમેશાં લેખિત જ હોવા જોઈએ. મૌખિક કે ટેલિફોન દ્વારા મળેલા આદેશો બંધનકારક નથી.

જ્યારે કેન્દ્ર સરકારનો એવો અભિપ્રાય હોય કે, કોઈ પણ રાજ્યબોર્ડે, કેન્દ્રીય બોર્ડ તેને આપેલ આદેશનું પાલન કર્યું નથી અને તેને પરિણામે ગંભીર કટોકટી ઊભી થઈ છે અને જાહેર હિત માટે એ જરૂરી છે, તો તે કેન્દ્રીય બોર્ડને નિર્દિષ્ટ કરી આપેલ વિસ્તારમાં નિર્દિષ્ટ સમય માટે. નિર્દિષ્ટ હેતુઓ માટે, રાજ્યબોર્ડનાં કોઈ પણ કાર્યો કરવાનો આદેશ આપશે.

જ્યારે ઉપરના આદેશ મુજબ, કનીય બોર્ડ, રાજ્યબીના હોઈ પણ કમાય બોર્ડ સામને માટે થયેલ બી, જો રા જવાબોડને એવી બર્થ વમૂલ કરવાની સત્તા મળેલ હોય તો. કેન્દ્રીય બોડે તે ખર્ચ વ્યાજસહિત અનીય બોર્ડ જયારે ચોક્કસ વિસ્તારમાં રાજ્યબોર્ડની કરજો બજાવતું હોય ત્યારે તે રાજ્યના બીજા વસૂલ વિસ્તારોમાં જે તે રાજ્યઓને પોતાની ફરજો બજાવવામાં કોઈ અવરોધ નડતો નથી. તે વિસ્તારમાં ને પીતાની કરજો જે રીતે નક્કી થયેલ હોય તે રીતે બજાવી શકે છે.


પ્રકરણ-15 : હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ] ધારા હેઠળ ફંડ, હિસાબો અને ઓડિટ

હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ] ધારો, 1981 હેઠળ ફંડ, હિસાબો અને ઓડિટ અંગેની જોગવાઈઓ જણાવો. હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ] ધારા હેઠળ મંડળની નાણાં ઉછીના લેવાની સત્તા 


હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ ધારાની કલમ-4 મુજબ દરેક રાજ્યમાં હવાનું પ્રદૂષણ અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટેનું રાજ્યમંડળ હોવું જરૂરી છે, પરંતુ જે કોઈ રાજ્યમાં પાણી [પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ] ધારો, 1974 અમલમાં હોય અને તે રાજ્ય સરકારે તે રાજ્ય માટે તે કાયદાની કલમ-4 હેઠળ પાણીનું પ્રદૂષણ અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટે રાજ્યમંડળની રચના કરી હોય તો, તે રાજ્યમાં આવું પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ માટેનું રાજ્યમંડળ"જ હવાનું પ્રદૂષણ અટકાવવા અને નિયંત્રણ કરવા માટેનું રાજ્યમંડળ ગણાય છે. પરંતુ જે રાજ્યમાં પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ કાયદો અમલમાં ન હોય ત્યાં અથવા કાયદો અમલમાં હોય છતાં પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ માટેના રાજ્યમંડળની રચના ન કરી હોય ત્યાં હવાના પ્રદૂષણના નિવારણ અને નિયંત્રણ માટે રાજ્યમંડળની રચના કરવાની હોય છે. આ રાજ્યમંડળને કેન્દ્ર સરકાર નિયમ મુજબ સહાય આપે છે. તેમજ મંડળનું પોતાનું પણ ફંડ હોય છે.

મંડળનું ફંડ (ક. 33)

આ કાયદાના હેતુ માટે, દરેક રાજ્યમંડળને પોતાનું આગવું ફંડ રહેશે, કેન્દ્ર સરકાર તેને વખતોવખત ચૂકવે તેવી તમામ રકમો, અને તે મંડળની (ફી. બક્ષિસ ગ્રાન્ટ, દાન, સખાવતો તરીકે રાજ્ય સરકાર પાસેથી ફાળા તરીકે મળે એવી) અન્ય તમામ આવકો મંડળના ફંડમાં જમા કરવામાં આવશે અને મંડળે કરવાની તમામ ચુકવણીઓ તેમાંથી કરવાની રહેશે.

આ કાયદા હેઠળનાં પોતાનાં કાર્યો કરવા માટે દરેક રાજ્યમંડળે પોતાને યોગ્ય લાગે તેટલી રકમ તે મંડળના ફંડમાંથી ચૂકવવાના ખર્ચ તરીકે ગણશે.પરંતુ પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) કાયદો, 1974ની કલમ 4 હેઠળ રચાયેલ પાણી પ્રદૂષણ નિયંત્રણ મંડળ કે જેને હવાનું પ્રદૂષણ અટકાવવા, તેનું નિયંત્રણ કરવા અથવા તેને ઓછું કરવાને લગતા, તે સમયે અમલમાં હોય તેવા કોઈ પણ કાયદા હેઠળ પોતાના કાર્યો બજાવવા માટે તે હેઠળના પોતાના ફંડમાંથી નાણાં વાપરવાની તે કાયદા હેઠળ સત્તા હોય તો તેને, આ કલમની કોઈ પણ બાબત લાગુ પડશે નહીં.

મંડળની નાણાં ઉછીનાં લેવાની સત્તા (ક. 33-એ)

મંડળ કેન્દ્ર સરકાર અથવા પ્રસંગ પ્રમાણે રાજ્ય સરકારની સંમતિથી અથવા તેને પોતાને આપેલ કોઈ પણ સામાન્ય અથવા ખાસ અધિકારની શરતો મુજબ, આ કાયદા હેઠળ પોતાના તમામ અથવા કોઈ પણ કાર્યો અદા કરવા માટે, લોન તરીકે કોઈ પણ સાધનોમાંથી નાણાં ઉછીના લઈ શકશે. અથવા બોન્ડ, ડિબેન્ચર અથવા પોતાને યોગ્ય લાગે તેવા બીજા કોઈ દસ્તાવેજ બહાર પાડી શકશે.

સમજૂતી : આ કલમની જોગવાઈ મુજબ મંડળને પોતાનાં કાર્યો બજાવવા માટે જો નાણાંની જરૂર પડે અને તેના કુંડમાં ન હોય તો ઉછીના લેવાની સત્તા ધરાવે છે. આ રીતે મંડળ આ કલમની જોગવાઈને આધીન રહીને નાણાં ઉછીનાં લઈ શકે છે.

અન્ય જોગવાઈઓ (ક. 34 થી 36)

(1) અંદાજપત્ર(કલમ 34):

આ કાયદાની કલમ 34 મુજબ, કેન્દ્રીય મંડળ તેમજ રાજ્યમંડળે દરેક નાણાકીય વર્ષ દરમિયાન નિર્દિષ્ટ નમૂનામાં અને નિર્દિષ્ટ સમયમાં આગામી નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર તૈયાર કરી જે તે સરકારને આપવાનું રહે છે.

(2) વાર્ષિક અહેવાલ (ક. 35) :

આ કાયદાની કલમ 35 મુજબ પોતાની પ્રવૃત્તિનો અહેવાલ તૈયાર કરી નિર્દિષ્ટ સમયમાં જે તે સરકારને મોકલવાનો હોય છે; અને સરકારે તે અહેવાલ યથાપ્રસંગ સંસદ સમક્ષ અથવા તો રાજ્ય વિધાનસભા સમક્ષ નિર્ધારિત સમયમાં રજૂ કરવાનો રહે છે.

(3) હિસાબ અને ઓડિટ (8. 36) :

કલમ 36ની જોગવાઈ મુજબ, મંડળે પોતાના હિસાબના તમામ રેકર્ડ રાખવા જોઈશે. તેમજ આ હિસાબો ઓડિટ કરાવવાના રહેશે અને આ ઓડિટ અહેવાલ યથાપ્રસંગ, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારને મોકલવાનો રહેશે. કેન્દ્ર સરકારે તે તેને મળ્યા પછી બનતી ત્વરાએ સંસદ સમક્ષ જ્યારે રાજ્ય સરકારે તેને મળ્યા પછી બનતી ત્વરાએ રાજ્ય વિધાનસભા સમક્ષ મૂકવાના રહેશે.




પ્રકરણ-14 : હવાનું પ્રદૂષણ અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટેની જોગવાઈઓ

હવા પ્રદૂષિત થવાના કારણો અને તેને અટકાવવાના ઉપાયો
હવા પ્રદૂષણ નિયંત્રણ ધારાના હવાના પ્રદૂષણો અટકાવવા અંગેના અગત્યના પ્રબંધો 
હવાને પ્રદૂષિત કરનારા પરિબળો 

હવા પ્રદૂષણ નિયંત્રક અને નિવારણ ધારા, 1981 હેઠળ ઔદ્યોગિક પ્લાન્ટસના ઉદ્યોગના નિયંત્રણ અંગેની જોગવાઈઓ કેસ-લૉ સહિત 

વાયુ પ્રદૂષણ



સજીવો માટે મુખ્ય ત્રણ આવશ્યકતાઓ છે : હવા, પાણી અને ખોરાક. આજે દરેક સ્થળોએ આપણને ગંદકી જોવા મળે છે. એ ગંદકીના કારણે હવા. પાણી અને ખોરાક સજીવો માટે પૂર્ણપણે યોગ્ય રહ્યા નથી. વૈજ્ઞાનિક શોધોને પરિણામે આજે યાંત્રિક શક્તિનો બહોળો ઉપયોગ થાય છે. યાંત્રિક શક્તિ ઉત્પન્ન કરવા વપરાતા પદાર્થોના દહનથી ઉત્પન્ન થતા ઝેરી વાયુઓ વાતાવરણમાં ભળે છે અને આપણી આસપાસના વાતાવરણને પ્રદૂષિત કરે છે. તેમજ ઔદ્યોગિક ક્રાંતિને કારણે પણ નીકળતા પદાર્થો વાતાવરણને પ્રદૂષિત કરે છે. દુનિયામાં દરેક સ્થળે આ સમસ્યા ઊભી થઈ રહી છે.

ભારતમાં પણ આ સમસ્યા છે. ભારત આજે ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. લગભગ બધા જ પ્રકારના ઉદ્યોગો ભારતમાં શરૂ થઈ ગયા છે. વળી. મોટા શહેરોમાં પેટ્રોલ, ડીઝલથી ચાલતા વાહનોનો વપરાશ પણ વર્તમાન યુગમાં ખૂબ જ વધી ગયો છે. તેથી હવાનું પ્રદૂષણ મોટાં શહેરોમાં ખૂબ જ વધી ગયું છે. તેને અંકુશમાં લેવા માટે ભારતમાં પણ કાયદા જરૂરી બન્યા. આથી ભારતની સંસદે હવા પ્રદૂષણને અટકાવવા અને નિયંત્રણમાં લેવા (Air Prevention and Control) Act, 1981 પસાર કર્યો. આ ધારો બંધારણનાં અનુચ્છેદ 253ની જોગવાઈ મુજબ ઘડાયો છે.

આ ભાયદા મુજબ, જ્યારે વાતાવરણા, જય પાણીમાં અથવા વના તાની જલદ પ્રમાણમાં હોય કે તે ાનળી દેદુ જીવતા નઈ ત્યારે તે પદાયમ વિઓને કે વિવાહ બેટાવા, જવાબ અાનકારક હોય કે અનિકારક હોવાની ની બજરી હોય તો તે પરિસ્થિતિને વૃષક યુગમ હું પન કરવાને હવામાં ખોવા કોઈપણ હવા પદપકની કહેવામાં આવે છે. હવાનું પત્રમાં સ્વાભામ, આ કાયદામાં 'હવાનું પષણ ની વ્યાખ્યd is it was called Absol વ્યાખ્યા આપેલ નથી. પ્રદ્રષિત હવા એટલે એવી હવા કે જેમાં શમાં આ પવાથી કે, વાયુ સ્વરૂપના પદાર્થ જેમાં પાપાછો ગદકી વગેરેનો પણ સમાવેશ થાયી એટું (પસ્પતિનું કે મિલકતરા બાત હોય કે જેના કા તે હેવા માનવીઓ અથવા અન્ય કોઈ પણ મજીવોને કે વનસ્પતિને કે મિલકતને માટે બનિકારક લેથટરો

હવાને પ્રદૂષિત કરતાં પરિબળો

હવાને પ્રદૂષિત કરતાં બે પ્રકારના પરિબળો છે:

(1) કુદરતી પરિબળો.

(2) માનવસર્જિત પરિબળો

કુદરતી પરિબળો

(1) જ્વાળામુખી :

જ્યારે જ્વાળામુખી ફાટે છે ત્યારે દૂર દૂર સુધી ગરમ લાવા ઊડે છે. આસપાસની વનસ્પતિ કે મિલકતો ગરમ લાવામાં બળી જાય છે. યોતરફ રાખ છવાઈ જાય છે. રાખના રજકણો હવામાં ભળી જઈ કેટલીકવાર મોટા વાદળો રચી દે છે. જ્વાળામુખી ફાટવાના સ્થળથી અનેક કિલોમીટર સુધીની હવામાં કાર્બનના રજકરો ભળી જાય છે અને હવાને પ્રદૂષિત કરી દે છે. જ્વાળામુખીમાંથી કેટલીકવાર લાવા લાંબો સમય સુધી નીકળતો રહે છે. પરિણામે લાંબા સમય સુધી હવા પ્રદૂષિત રહે છે. આસપાસની વનસ્પતિ બળી જવો હવાને શુદ્ધ કરતાં કુદરતી પરિબળોનો નાશ થાય છે.

(2) દાવાનળ :

જંગલમાં જ્યારે દાવાનળ ફાટી નીકળે છે ત્યારે અસંખ્ય વૃક્ષો તેમાં બળી જાય છે. લાંબા સમય સુધી કેટલીકવાર દાવાનળની જાણ થતી નથી તો કેટલીક દાવાનળને કાબૂમાં લઈ શકાતો નથી. આ દાવાના વનમાં અનેક કિલોમીટર સુધી ફેલાઈ જાય છે તો કેટલીકવાર માનવવસ્તી નજીક પણ આવી જાય છે ને માનવવસ્તી ખાલી કરવાની પણ ફરજ પડે છે. આ દાવાનળમાં જંગલના અનેક વૃક્ષો સળગી જાય છે. આ દહનને પરિણામે હવામાં કાર્બનના રજકણો ભળતાં હવા પ્રદૂષિત બને છે. વળી બળી ગયેલા વૃક્ષોની જગ્યાએ નવા વૃક્ષો ઉગાડાતા નથી અને આ વનની ખાલી પડેલી જગ્યામાં સિમેટ કૉકીટના જંગલો ઊભા થઈ જાય છે. જેના પરિણામે કુદરતી રીતે હવાનું શુદ્ધિકરણની પ્રક્રિયામાં ઘટાડો થાય છે.

માનવસર્જિત પરિબળો

(1) ઔદ્યોગીકરણ :

માનવજીવનને સરળ અને સુખમય બનાવવા માટે વિજ્ઞાનની અનેક શોધો થતી રહે છે અને આ શોધો મુજબના નવા નવા યંત્રો-સાધનોના બહોળા ઉત્પાદન માટે ઉદ્યોગો સ્થપાતા રહે છે. જેવાં કે વિવિધ પ્રકારના કાપડ માટે કાપડ ઉદ્યોગો, વિવિધ સાધનો માટે ધાતુના અને પ્લાસ્ટીકના ઉદ્યોગો, સુંદર અને વૈવિધ્યપૂર્ણ રહેઠાણ માટે સિમેટ ઉદ્યોગ કેટલીકવાર પ્લાસ્ટીકના ઉપયોગથી ટકાઉ છત બનાવવા માટેના ઉદ્યોગો જેવાં અનેક મોટા મોટા કારખાના કાર્યરત થઈ રહ્યા છે. આવા કારખાનામાંથી નીકળતો ધુમાડો અને બાકીના બગાડથી તેમજ કારખાનામાં ચાલતા મશીનોના અવાજથી પ્રદૂષણ થતું રહે છે. કારખાનાના માલિકો કારખાનામાંથી નીકળતા અશુદ્ધ, રાસાયણિક પદાર્થોવાળા પાણીનો યોગ્ય નિકાલ કરવાનું ગોઠવતાં નથી. તેથી આ પાણી ખુલ્લું છોડી 2 છે જે વાતાવરણને પ્રદ્રષિત કરે છે. વળી ધાતુ પીગાળવાની બહી કે રાસાયણિક પદાર્થોના કારખાનામાંથી જે-તે પદાર્થના નાના રજકણો હવામાં બળી હવાને પ્રદૂષિત કરે છે.

(2) વાહનવ્યવહાર :

માનવને એક જગ્યાએથી બીજી જગ્યાએ મહેલાઈથી જવા માટે શોધાયેલા સાધનોમાં ખાજે ખૂબ જ -વધારો થઈ ગયો છે. મોટા શહેરોમાં દરેક વ્યક્તિ પાસે પોતાનું વાહન છે અને આ વાહનોમાં વપરાતા પેટ્રોલ, ડિઝલને કારણે હવામાં કાર્બનનું પ્રમાણ વધતું રહે છે ને હવા પ્રદૂષિત થતી રહે છે. વળી વર્તમાન યુગમાં અવકાશી સફર પણ સુગમતાથી મળતી થતાં અનેક વિમાનો, ખાનગી વિમાનો કે હેલીકોપ્ટરોનો વપરાશ વધ્યો છે. જેને પરિણામે પણ હવા પ્રદૂષિત થતી રહે છે.

(3) વસ્તીવધારો - ગરીબી :

માનવવસ્તીમાં દિવસે ને દિવસે વધારો થતો રહ્યો છે. વધતી વસ્તીને કારણે રહેઠાણના પ્રશ્નો ઊભા થાય છે. નાની નાની ઝૂંપડપટ્ટીમાં અનેક લોકો રહે છે. જેઓ માટે શૌચાલયો, સ્નાનગૃહો હોતા નથી. તેઓ ખુલ્લામાં જ પોતાના આ કાર્યો કરે છે. જેથી હવા પ્રદૂષિત થાય છે. વસ્તીવધારાને કારણે ગરીબી પણ વધે છે. જેથી આ ઝૂંપડપટ્ટી વધતી જાય છે. વળી આ લોકો ખોરાક બનાવવા માટે લાકડા, કોલમાં જેવા પદાર્થો વાપરે છે. જેનો ધુમાડો હવામાં ભળતાં હવા અશુદ્ધ બને છે. આ ઝૂંપડપટ્ટીમાં વીજળીની સગવડ હોતી નથી. તેઓ દીવા વાપરે છે. જેને લીધે પણ હવા પ્રદુષિત બને છે. આ લોકો નશો કરવાના આદિ હોય છે ને નશાના કારણે કોઈપણ કારણ વગર કે નકામી બાબતોમાં ઝઘડા કરી ઘોંઘાટ ફેલાવે છે, જે પણ એક પ્રદૂષણ જ છે.

(4) બેકારી - શહેરીકરણ :

અપૂરતા અને નબળા આયોજનને કારણે દરેક વ્યક્તિને નોકરી કે રોજગાર મળતા નથી, તો કેટલીકવાર પ્રાદેશિક મજૂરોને બદલે અન્ય રાજ્યોમાંથી મજૂરોને બોલાવવામાં આવે છે. જેના રહેઠાણના પ્રશ્નો ઉદ્દભવે છે જેને કારણે પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાય છે. વળી આજના યુગમાં ખેતીમાં બેફામ રાસાયણિક ખાતરોનો ઉપયોગ સમય જતાં જમીનને ઓછી ફળદ્રુપ કરી નાંખે છે. જેથી ગામડામાંથી શહેરોમાં સ્થળાંતર થતું રહે છે. જેથી રહેઠાણના પ્રશ્નો સર્જાય છે ને પ્રદૂષણ વધે છે.

(5) રસાયણોનો ઉપયોગ :

ખેતીમાં વધુ પેદાશ મેળવવા તેમજ ઊભા પાકને જંતુઓથી બચાવવા અનેક રસાયણોનો ઉપયોગ થાય છે. આ બધા રસાયણો અંતે પર્યાવરણમાં ભળે છે અને પ્રદૂષિત કરે છે. વળી આવા રસાયણોવાળું અનાજ મનુષ્યના ઉપયોગમાં જાય છે અને માનવને અનેક નવી વિકૃતિઓ લાગુ પડતી જાય છે.

(6) પશુપાલન :

ખેતી માટે તેમજ દૂધ મેળવવા માટે મોટા પાયે પશુપાલન કરવામાં આવે છે. આ પશુઓના મળમૂત્રની યોગ્ય નિકાલની વ્યવસ્થા હોતી નથી. જેને કારણે પણ પ્રદૂષણ ફેલાય છે. વળી ગાયના મળ વિસર્જન વખતે હવામાં અનેક ગણો મિથેન ગેસ ભળે છે. જે ઝેરી છે અને હવા પ્રદૂષિત કરે છે.

(7) બંધો બાંધવા :

પાણીની જરૂરિયાતને પહોંચી વળવા મોટા મોટા બંધો કે સરોવરો બાંધવામાં આવે છે. આને કારણે કેટલીક જમીનો હબાણમાં જવાથી ત્યાં રહેતા લોકોને અન્ય સ્થળે વસાવવા પડે છે ને તે માટે કેટલીકવાર જંગલો કાપી નાંખવા પડે છે જેથી કુદરતી રીતે હવાને શુદ્ધ કરતાં વૃક્ષોનો નાશ થતાં હવા પ્રદૂષિત થતી રહે છે. વળી નદીના પ્રવાહને રોકવાથી કે અન્યત્ર વાળવાથી જળસૃષ્ટિ પણ નાશ પામે છે ને તેનું પ્રદૂષણ પણ હવામાં ભળે છે. વિસ્થાપિતો માટે યોગ્ય વ્યવસ્થા ન થાય તો તેમની ગંદકી પણ હવાને પ્રદૂષિત કરે છે.

(8) વૃક્ષ છેદન :

કેટલીકવાર હાઈવે બનાવવા તો કેટલીકવાર એરપોર્ટ બનાવવા નો રેલવે લાઈન નાંખવા વૃક્ષો કાપી નાંખવામાં આવે છે. આ વૃક્ષોની જગ્યાએ અન્ય સ્થળે નવા વૃક્ષો ઉગાડવામાં આવતાં નથી. વૃક્ષોનું આડેધડ છેદન હવાને શુદ્ધ કરવામાં અંતરાય બને છે.

(9) શસ્ત્રોના પરીક્ષણ :

આજે દુનિયાના દરેક દેશો પોતાની સૈન્ય તાકાત વધારવા માટે નવા નવા શસ્ત્રો વિકસાવતા રહે છે અને તેનું પરીક્ષણ કરતાં રહે છે. આ પરીક્ષણ દરમિયાન અનેક ઝેરી વાયુઓ હવામાં ભળે છે ને હવાને પ્રદૂષિત કરે છે. વળી અણુ પરીક્ષણ પણ થતાં રહે છે અને સમગ્ર દુનિયાનું વાતાવરણ પ્રદૂષિત થતું રહે છે.

(10)નિકાલ થયા વગરનો કચરો :

દરેક ગામ કે શહેરમાં કચરાના ઢગલા હોય જ છે. તેનો યોગ્ય નિકાલ થતો નથી. સમય જતાં તે સડે છે અને અનેક ઝેરી ગેસો હવામાં ભળી હવાને પ્રદૂષિત કરે છે.

ગામ કે શહેરની હોસ્પિટલો પણ તેમના કચરાનો યોગ્ય નિકાલ કરતી નથી અને હોસ્પિટલની આસપાસ જ હોસ્પિટલના કચરાના ઢગલા હોય છે જેમાં માનવના મળ. મૂત્ર કે શરીરના કપાયેલા અંગો, લોહી, પરૂ વિગેરે વાળા રૂ પણ હોય છે, જે દુર્ગંધ તેમજ જંતુઓ પણ ફેલાવે છે.

મોટી શાકભાજી માર્કેટની આજુબાજુ પણ બગડેલા શાકભાજીનો ઢગલો હોય છે. જે પણ ઝેરી ગેસ તેમજ દુર્ગંધ ફેલાવી હવાને પ્રદૂષિત કરે છે.

જોખમી કચરો તો હવા. પાણી અને જમીન ત્રણેને પ્રદૂષિત કરે છે.

હવા પ્રદૂષણ નિયંત્રણ અને નિવારણ ધારાના હવાના પ્રદૂષણ અટકાવવાના પ્રબંધો

(1) હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તાર જાહેર કરવો :

રાજ્ય સરકાર રાજ્યમંડળ સાથે વિચાર-વિનિમય કર્યા બાદ નિયત સ્વરૂપમાં સરકારી ગેઝેટમાં જાહેરનામું બહાર પાડી રાજ્યના કેટલાક વિસ્તાર કે વિસ્તારોને આ કાયદાના હેતુઓ માટે હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તાર કે વિસ્તારો જાહેર કરી શકે છે.

રાજ્ય સરકાર રાજ્યમંડળ સાથે વિચાર-વિનિમય કર્યા બાદ, સરકારી ગેઝેટમાં જાહેરનામું બહાર પાડી, હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તારમાં વધારો કે ઘટાડો કરી શકે છે; કે કોઈ નવા વિસ્તાર કે વિસ્તારોને હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તાર જાહેર કરી શકે છે. આ નવો વિસ્તાર ક્યાં તો આગળ જાહેર કરેલ હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તારમાં સમાવિષ્ટ હોઈ શકે અગર તદ્દન નવો પણ હોઈ શકે.

રાજ્ય સરકાર, રાજ્યમંડળ સાથે વિચાર-વિનિમય બાદ, એવો અભિપ્રાય ધરાવતી થાય કે રાજ્યમાં જાહેર કરેલ હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તારમાં અથવા તેના કોઈ ભાગમાં, જો મંજૂર કરવામાં આવેલ બળતણ સિવાયનું અન્ય કોઈ બળતણ વાપરવા દેવામાં આવે તો હવા પ્રદૂષિત થઈ શકશે અથવા થવાને સંભવ રહેશે. તો રાજ્ય સરકાર સરકારી ગેઝેટમાં જાહેરાનામું પ્રસિદ્ધ થયાની તારીખથી, ઓછામાં ઓછા ત્રણ મહિના બાદની કોઈ પણ તારીખથી એવું કોઈ પણ બળતણ એવા વિસ્તાર કે તેના ભાગમાં વાપરવા પર પ્રતિબંધ મૂકી શકે છે.

રાજ્ય સરકાર રાજ્યમંડળ સાથે વિચાર-વિનિમય બાદ, સરકારી ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી, હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તાર અથવા તેના ભાગમાં જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલી તારીખથી મંજૂર કરેલ સાધન સિવાયનું અન્ય સાધન વાપરવા પર પ્રતિબંધ મૂકી શકે છે. આ માટે રાજ્યના જુદા જુદા હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તાર માટે તેમજ જુદાં જુદાં સાધનો માટે અલગ અલગ તારીખ નક્કી કરી શકે છે.

રાજ્ય સરકાર રાજ્યમંડળ સાથે વિચાર-વિનિમય કર્યા બાદ એવો અભિપ્રાય ધરાવતી હોય કે રાજ્યના હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તાર કે તેના કોઈ ભાગમાં બળતણ સિવાયના અન્ય કોઈ પણ વસ્તુ કે પદાર્થને બાળવાથી હવા પ્રદૂષિત થઈ શકશે કે થવાનો સંભવ રહેશે, તો તે સરકારી ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી હવા પ્રદુષણ નિયંત્રિત વિસ્તાર અથવા તેના કોઈ ભાગમાં જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલી તારીખથી એવી વસ્તુ કે પદાર્થ બાળવા ઉપર પ્રતિબંધ મૂકી શકે છે.

આ મુજબનું રાજ્ય સરકારે પ્રસિદ્ધ કરેલ જાહેરનામું ફક્ત સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ થાય તે આ જોગવાઈના સંદર્ભમાં બનાવેલા નિયમો હેઠળ પૂરનું ગણાતું નથી. આવું જાહેરનામું બઓછામાં ઓછા બે સ્થાનિક સમાચારપત્રકોમાં પ્રસિદ્ધ કરવું જોઈએ. એક કેસમાં અદાલતે કરાવ્યું છે કે આવું જાહેરનામું સરકારી ગેઝેટની સાથે સાથે જ અથવા ત્યારબાદ વાજબી સમયમાં સ્થાનિક સમાચારપત્રમાં પ્રસિદ્ધ થવું જોઈએ

કારણ કે તેનો હેતુ સંબંધિત લોકોને તેઓની જવાબદારી વિશે જાગૃત કરવાનો છે. (2) સ્વયંસંચાલિત વાહનોમાંથી નીકળતા ધુમાડા અંગે સૂચના આપવાની સત્તા :

આ કાયદા હેઠળના રાજ્ય મંડળે નિયત કરેલાં ધોરણો મુજબના જ હવા પ્રદૂષકો સ્વયંસંચાલિત વાહનોમાંથી હવામાં બહાર ફેંકાય તેની કાળજી રાખવા માટે મોટર વાહન અધિનિયમ, 1939 હેઠળ મોટર વાહનોની નોંધણીનો હવાલો સંભાળતા મંડળને યોગ્ય પગલાં લેવા રાજ્ય સરકાર રાજ્યમંડળ સાથે વિચાર- વિનિમય કર્યા બાદ સૂચનાઓ આપી શકે છે અને એ સૂચનાઓનું પાલન કરવું તે સંસ્થા માટે બંધનકર્તા છે.

એમ. સી. મહેતાના કેસમાં જ એવું તારણ નીકળ્યું હતું કે મોટર વાહનો જ હવામાં સૌથી વધુ પ્રદૂષણ

ફેલાવે છે. હવામાં પ્રદૂષણ ફેલાવવામાં તેમનો ફાળો 50% થી પણ વધુ હોય છે.

(3) ઔદ્યોગિક પ્લાન્ટના ઉપયોગ પર નિયંત્રણ લાદવાની સત્તા :

આ કાયદાની કલમ 19 (1) હેઠળ રાજ્યમંડળે જાહેર કરેલ હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તારમાં આ કલમની જોગવાઈને આધીન રહીને રાજ્યમંડળની પૂર્વસંમિત વિના કોઈ ઔદ્યોગિક પ્લાન્ટ સ્થાપી શકશે નહિ કે ચલાવી શકશે નહિ, પરંતુ જો કોઈ વ્યક્તિ. હવા (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા કાયદો, 1987ની કલમ-9નો અમલ શરૂ થયાના તુરત પહેલાંના સમયથી, હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તારમાં કોઈ ઔદ્યોગિક પ્લાન્ટ કે જેના માટે આ સુધારા કાયદો પહેલાં કોઈ સંમતિની જરૂર ન હતી, તે ચલાવતી હોય તો તે તેનો પ્લાન્ટ ચાલુ રાખી શકશે: પરંતુ તેણે આ કાયદો અમલમાં આવ્યાની ત્રણ મહિનાની મુદતમાં આવી સંમતિ માટે અરજી કરી દેવી જોઈએ. જો તેણે આવી અરજી કરી દીધેલ હોય તો, જ્યાં સુધી તેની અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી તે પ્લાન્ટ ચાલુ રાખી શકે છે.

જેઓ હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તારમાં જે કોઈ નવો ઔદ્યોગિક પ્લાન્ટ શરૂ કરવા માંગતા હોય તેમણે મંડળની પૂર્વસંમતિ માટે કરવાની અરજી અને જેઓ, હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો તે પહેલાંના સમયથી જ એ વિસ્તારમાં ઔદ્યોગિક પ્લાન્ટ ચલાવતી હોય તે વ્યક્તિઓએ અરજી કરવાની હોય છે.

જેઓ નવો ઔદ્યોગિક પ્લાન્ટ શરૂ કરવા માગતા હોય તેમને માટે મંડળની પૂર્વસંમતિ લેવી એ મુખ્ય શરત છે, જ્યારે જેમનો પ્લાન્ટ ચાલુ છે. તેમણે એ વિસ્તારને હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તાર જાહેર કરવામાં આવે ત્યારથી ત્રણ મહિનાની મુદતમાં સંબંધિત મંડળને સંમતિ માટે અરજી કરી દેવાની હોય છે. આવી અરજી તેના નિયત સ્વરૂપમાં, નિયત ફી સાથે કરવાની હોય છે.

મંડળને આવી સંમતિ માટેની અરજી મળતાં મંડળ આ કાયદાની કલમ 58 (2) (એમ) હેઠળ રાજ્ય સરકારે ઘડેલા નિયમો મુજબની તપાસ કરશે. મંડળને સંમતિ માટેની અરજી મળ્યાની તારીખથી ચાર માસની મુદતની અંદર, રાજ્યમંડળે લેખિત હુકમ કરીને, અને હુકમનાં કારણોની નોંધ કરીને, હુકમમાં નિર્દિષ્ટ કરવામાં આવેલ હોય તે શરતોને આધીન અને નિર્દિષ્ટ કરવામાં આવેલ મુદત સુધીના સમય માટે, જે તે અરજી મંજૂર કરશે અગર નામંજૂર કરી શકશે. મંડળે આપેલી સંમતિ, જેટલી મુદત માટે આપી હોય તે મુદત પૂરી થતાં પહેલાં પણ મંડળ પોતે ધારે તો રદ કરી શકે છે. વળી, જે શરતોને આધીન રહી સંમતિ આપવામાં આવી હોય, તે શરતોનું પાલન કરવામાં ન આવ્યું હોય. તો નિર્દિષ્ટ મુદત પૂરી થયા પછી, નવી મુદત માટે સંમતિ આપવાની મંડળ ના પાડી શકે છે. પરંતુ આવી રીતે સંમતિ રદ કરતાં કે નવી મુદત માટે સંમતિ આપવાની ના પાડતાં પહેલાં, મંડળે સંબંધિત વ્યક્તિને સાંભળવાની વાજબી તક આપવી જોઈએ. આ રીતે સંમતિ મેળવનાર વ્યક્તિએ નીચેની સામાન્ય શરતોનું પાલન કરવું આવશ્યક છે. વળી જો મંડળે સંમતિ આપતી વખતે કોઈ વિશિષ્ટ શરત લાદી હોય તો તેનું પણ પાલન કરવું જે તે વ્યક્તિ માટે બંધનકારક છે.

સામાન્ય શરતો (ક. 21 (5)|

(1). જે સ્થળે ઇન્ડસ્ટ્રી શરૂ કરી હોય અથવા કરવાની હોય, ત્યા રાજ્યમંડળે નિયત કરેલા પારાધોરણ મુજબનાં જ નિયંત્રિત સાધનો ગોઠવવા જોઈએ અને વાપરવા જોઈએ.

((8) વિદ્યમાન નિયંત્રિત સાધનોમાં રાજ્યમંડળના આદેશો મુજબ ફેરફાર કરવો જોઈશે. (3) ઉપર જણાવેલ નિયંત્રિત સાધનો હંમેશાં સારી અને ચાલુ હાલતમાં રાખવાં જોઈશે.

(4) જરૂરિયાત હોય તો ચીમની રાજ્યમંડળના ધારાધોરણ મુજબની જ બાંધવી જોઈશે. જો

વિદ્યમાન ચીમની એ મુજબની ન હોય તો ફરી બાંધવી જોઈશે. (5) રાજયમંડળે નિર્દિષ્ટ કરેલ અન્ય શરતોનું પાલન કરવું જોઈશે.

ઉપર જણાવેલ શરતો (1), (2) અને (4)નું પાલન, રાજ્યમંડળ નિર્દિષ્ટ કરી આપે તેટલી મુદતમાં કરવું જોઈશે, પરંતુ જો કોઈ વ્યક્તિ જે તે વિસ્તારને હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે તેના તુર્ત પહેલાં જ તે હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તારમાં કોઈ ઉદ્યોગ માટે કોઈ ઔદ્યોગિક પ્લાન્ટ ચલાવતો હોય તો તેને માટે શરતોનું પાલન કરવાની સમયમર્યાદા, તે વિસ્તારને હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તાર જાહેર કરવાની તારીખથી ઓછામાં ઓછી છ માસની રહેશે.

 ઉપર જણાવેલ શરત (1) ના ધારાધોરણ મુજબનાં નિયંત્રિત સાધનો ગોઠવ્યા બાદ:

અથવા

(all) ઉપર જણાવેલ શરત (2) મુજબ રાજ્યમંડળની સૂચના મુજબ નિયંત્રિત સાધનોમાં ફેરફાર કર્યા બાદ કે બદલ્યા બાદ; અથવા

(સી) ઉપર જણાવેલ શરત (4) મુજબ, ચીમની બાંધી હોય કે ફરીથી બાંધી હોય તો; તેવાં નિયંત્રિત સાધનો કે ચીમનીમાં રાજ્યમંડળની પૂર્વપરવાનગી વિના યથાપ્રસંગ ફેરફાર કરી શકાશે નહીં કે બદલી શકાશે નહીં કે ફરી બાંધી શકાશે નહીં.

જો કોઈ પ્રૌદ્યોગિક વૈજ્ઞાનિક (Technological) સુધારણાને કારણે અથવા અન્ય કોઈ કારણે, જો રાજ્યમંડળનો એવો અભિપ્રાય થાય કે, ઉપર જણાવેલ સામાન્ય શરતો પૈકીની તમામ અથવા કોઈ પણ શરત (એટલે કે સમગ્ર નિયંત્રિત સાધન અથવા તેના કોઈ ભાગ)માં ફેરફાર કરવાની કે બદલવાની જરૂર છે. તો તે સંબંધિત વ્યક્તિને તેના બચાવની વાજબી તક આપ્યા બાદ. ક્યાં તો બધી જ શરતો અથવા તો તેમાંથી કોઈ પણ શરતમાં ફેરફાર કરી શકે છે. આ રીતે બદલાયેલી શરતોનું પાલન કરવું સંબંધિત વ્યક્તિ માટે ફરજિયાત છે.

જો કોઈ વ્યક્તિએ ઉદ્યોગ માટે આ જોગવાઈ મુજબ સંમતિ લીધી હોય અને ત્યારબાદ તે વ્યક્તિ તે ઉદ્યોગમાંનું પોતાનું હિત બીજી કોઈ વ્યક્તિને હસ્તાંતરિત કરી દે તો, હસ્તાંતરગૃહિતાને સંમતિ આપવામાં આવી હતી એવું માની લેવામાં આવે છે અને તે હસ્તાંતરગૃહિતા અસલમાં તેને જ સંમતિ આપવામાં આવી હતી તેમ ગણી બધી જ શરતોનું પાલન કરવા બંધાયેલો રહેશે.

કોઈ નવો નિર્દિષ્ટ ઔદ્યોગિક પ્લાન્ટ શરૂ કરવા માટે મંડળની સંમતિ એ પૂર્વવર્તી શરત છે. જો મંડળની સંમતિ મળે તો જ તે નવો ઉદ્યોગ શરૂ કરી શકાય. વળી, જો સંમતિ બાદ પણ કોઈ શરતોનું પાલન ન કરવામાં આવે તો. મંડળ બચાવની વાજબી તક આપ્યા બાદ, ઉદ્યોગ બંધ કરવાનો હુકમ કરી શકે છે.

(4) હવાને પ્રદૂષિત કરતી વ્યક્તિને તેમ કરતાં અટકાવવાની સત્તા :

કલમ-22ની જોગવાઈ મુજબ હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તારમાં આ કાયદાના પરિશિષ્ટમાં નિર્દિષ્ટ કરેલ ઉદ્યોગ કે ઔદ્યોગિક પ્લાન્ટ ચલાવતી કોઈ વ્યક્તિ આ કાયદાની કલમ 17 (1) (જી) હેઠળ રાજ્યમંડળે નિયત કરેલા ધોરણ કરતાં વધુ માત્રાના હવા પ્રદૂષકો બહાર ફેંકી શકશે નહીં અથવા બહાર કઢાવી શકશે નહી કે બહાર કાઢવાની પરવાનગી આપી શકશે નહીં.

(5) હવાને પ્રદૂષિત કરતી વ્યક્તિ સામે અદાલતમાં અરજી કરવાની મંડળની સત્તા :

આ કાયદા હેઠળ મંડળે નિયત કરેલાં ધોરણો કરતાં વધુ માત્રાના હવા પ્રદૂષકો હવામાં ફેંકવા એ આ કાયદાની કલમ 37 નીચે ગુનો બને છે. 1987ના સુધારાથી ઉમેરાયેલી આ કલમ 22 મંડળને પોતે નિયત કરેલા ધોરણના કરતાં વધુ માત્રાના હવા પ્રદૂષકો બહાર ફેંકનાર સામે એક વધારાનો ઉપાય આપે છે. જે મુજબ મંડળ મેટ્રોપોલીટન્ટ મેજિસ્ટ્રેટ કે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટને તેને તેમ કરવા ઉપર પ્રતિબંધ મૂકવાનો હુકમ કરવા અરજી કરી શકે છે.

કલમ 37 જજ્યારે બહાર ફેંકવાનું કાર્ય થઈ ગયું હોય ત્યારે લાગુ પડે છે. જ્યારે આ કલમ 22-એ

એવું બહાર ફેંકવાનું કાર્ય થવાનો સંભવ હોય ત્યારે લાગુ પડે છે. જ્યારે કૃત્ય ચાલુ રહેતું હોય ત્યારે આ

બંને કલમ લાગુ પડે છે. આવી અરજી મળતાં અદાલત કેસની હકીકત, પુરાવા તપાસી યોગ્ય હુકમ આપી શકે છે.

એક કેસમાં અદાલતે ઉદ્યોગ બંધ કરવાના બદલે તેમાંથી પ્રદૂષણ ન ફેલાય તેવા ઉપાયાત્મક પગલાં લેવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.

(6) પ્રવેશ કરવાની અને તપાસ કરવાની સત્તા :

હવાનું પ્રદૂષણ થતું અટકાવવા અને નિયંત્રણમાં રાખવા રાજ્યમંડળે અધિકૃત કરેલ વ્યક્તિ કે વ્યક્તિએ વાજબી સમયે કોઈપણ સ્થળે હવાના પ્રદૂષણની તપાસ કરવા પ્રવેશ કરી તપાસ કરી શકે છે.

(7) હવા અથવા બહાર નીકળતા ધુમાડાના નમૂના લેવાની સત્તા :

રાજ્યમાં કોઈપણ સ્થળે ચીમની કોઈ નળી અથવા છિદ્રમાંથી બહાર ફેંકાતા ધુમાડા, કોઈ પદાર્થ અથવા હવાના નમૂના પૃથક્કરણ માટે લેવાની સત્તા છે.


પ્રકરણ-13 : હવા પ્રદૂષણ નિવારણ અને તેના નિયંત્રણ કરવા માટેના કેન્દ્રીય અને રાજ્યમંડળો તેની સત્તા અને કાર્યો

હવા [પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ] ધારા હેઠળ રાજ્ય પ્રદૂષણ બોર્ડની રચના, સત્તા અને કાર્યો 

રાજ્યમંડળનું બંધારણ

જે કોઈ રાજ્યમાં પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) કાયદો, 1974 અમલમાં હોય અને તે રાજ્ય સરકારે તે રાજ્ય માટે તે કાયદાની કલમ 4 હેઠળ, પાણીનું પ્રદૂષણ અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટે રાજ્ય મંડાળની રચના કરી હોય. તે રાજયમાં આવે રાજ્યમંડળ આ કાયદાની કલમ હેઠળ રચાયે હવાનું પ્રદૂષણ અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટેનું રાજ્યમંડળ એવાનું ગણાશે અને તે મંડ કાયદા હેઠળ હવાનું પ્રદષણ અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટેના રાજ્ય મંડળની સત્તા થાપરો અને કાર્યો કરશે. આનાથી તે મંડળને પાણી (પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ) કાયદો, 1974 bom whe સત્તા અને તેણે કરવાનાં કાર્યો ઉપર કોઈ બાધ આવશે નહી. એટલે કે તે મંડળ એ બંને કાયદા અન્વયેની

જા વાપરશે અને પાણી (પદપણ નિવારણ અને નિવારણ કુકાળ, પાણીનું પ્રદ્રપણ અટકાવેય તેના ઘર સત્તા ને માથે માણમાં હોય. પરંતુ રાજ્ય સરકારે કરી હબાય, તેવા કોઈ પણ રાજ્ય માટે બાવાવા અને તેનું ને કાયા આપભાઓના રાજ્યમંડળની રચના ન કરી બેય મુજબ, એવા કોઈ પણ રાજ્યમ કાયદા હેઠવાના નિયંત્રણ કરાવ બંધારણ અંગે કલમ કમા જણાવેલ છે. તેવી તારીખથી આ કાયદા હેઠળ તાં રાજ્ય સરકાર રાજ્યા માં માં પાહેરનામું પ્રસિદ્ધ કરીને, નિર્દિષ્ટ કરે તેવી માં મિહિષ્ટ કરવામાં આવે તે મંડળને મળેલી સરકારી પ્રેરણા અને સોપેલાં કાર્યો કરવા માટે, જાહેર આમ્યમાં ની રચના કરશે, આવે તે નામનું. હવાનું

પ્રદૂષણ અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટેના રાજ્યમંડળની પણેણકલમ (2)માં રાજ્યમંડળની રચના વિશે જણાવેલ છે. જે મુજબ રાજ્યમંડળ નીચેના સભ્યોનું બનેલું :

ખો પર્યાવરણના રક્ષણને લગતી બાબતોના સંબંધમાં વિશિશક ભાનુ અથવા પ્રત્યક્ષ અનુભવ પર્યાવરી વ્યક્તિની રાજ્ય સરકાર મંડળના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરશે. રાજ્ય સરકાર પોતાને યોગ્ય લાગે તે મુજબ અધ્યક્ષને પૂર્ણકાલીન અથવા અંશકાલીન રાખી શકે;

(બી) રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરવા માટે. રાજ્ય સરકાર પોતાને યોગ્ય લાગે તેટલા નિયુક્ત કરેલા (વધુમાં વધુ પાંચ) સરકારી અધિકારીઓ:

(સી) રાજ્યમાં કાર્ય કરતા સ્થાનિક સત્તામંડળોના સભ્યોમાંથી રાજ્ય સરકારને યોગ્ય લાગે તેટલી નિયુક્ત કરેલ (વધુમાં વધુ પાંચ) વ્યક્તિઓ

(ડી) ખેતી, મત્સ્યોદ્યોગ અથવા ઉદ્યોગ અથવા વેપાર અથવા શ્રમિકોના હિતોનું અથવા રાજ્ય સરકારના અભિપ્રાય મુજબ જેનું પ્રતિનિધિત્વ હોવું જરૂરી હોય તેવા બીજા કોઈ પણ હિતનું પ્રતિનિધિત્વ કરવા, રાજ્ય સરકારે પોતાને યોગ્ય લાગે તેટલી નિયુક્ત કરેલ (વધુમાં વધુ ત્રણ) બિનસરકારી વ્યક્તિઓ; 

(ઈ) રાજ્ય સરકારની માલિકીની તેના નિયંત્રણ હેઠળની અથવા તેના વહીવટવાળી કંપનીઓ અથવા કોર્પોરેશનોનું પ્રતિનિધિત્વ કરવા રાજ્ય સરકારે નિયુક્ત કરેલ બે વ્યક્તિઓ;

(એફ) નિયત કરવામાં આવેલ, પ્રદૂષણ નિયંત્રણ અંગેની વૈજ્ઞાનિક, એન્જિનિયરિંગ અથવા વહીવટી પાસાઓની લાયકાત, જ્ઞાન અને અનુભવ ધરાવનાર, રાજ્ય સરકારે નીમેલ પૂર્ણકાલિન સભ્ય સચિવ.

આમ મંડળના સભ્યોની સંખ્યા, અધ્યક્ષ અને સચિવને સાથે ગણતાં કોઈ પણ સંજોગોમાં સત્તરથી વધશે નહીં.

રાજ્ય સરકારે રાજ્ય મંડળના સભ્યોની નિયુક્તિ કરતી વખતે. એવી ખાતરી કરવી જોઈશે કે એ સભ્યો પૈકી ઓછામાં ઓછા બે સભ્યો. હવાની ગુણવત્તાને સુધારવાને અથવા હવાનું પ્રદૂષણ અટકાવવાને. તેને નિયંત્રણમાં રાખવાને અને ઘટાડવાને લગતી બાબતોના સંબંધમાં વિશિષ્ટ જ્ઞાન અને પ્રત્યક્ષ અનુભવ ધરાવતી વ્યક્તિઓ છે.

આ કાયદા હેઠળ રચાયેલ દરેક રાજ્યમંડળ સંસ્થાપિત મંડળ છે. તેને કાનૂની વ્યક્તિ તરીકે માન્યતા મળે છે. આ કલમની જોગવાઈ મુજબ તેને કાયમી ઉત્તરાધિકાર અને સામાન્ય મહોર છે. આ કાયદાની જોગવાઈને આધીન રહીને. રાજ્યમંડળ મિલકત પ્રાપ્ત કરી શકે છે, તેનો નિકાલ કરી શકે છે. મંડળને કરાર કરવાની સત્તા પણ છે. વળી મંડળ પોતાના નામે દાવો કરી શકે છે તેમજ તેના પર પણ દાવો માંડી શકાય છે.

કેન્દ્રશાસિત પ્રદેશો માટે મંડળ

કેન્દ્રીય મંડળ જ કેન્દ્રશાસિત પ્રદેશો માટે રાજ્યમંડળની સત્તા વાપરશે અને કાર્થો કરશે એટલે કેન્દ્રશાસિત પ્રદેશો માટે તેમનું અલગ મંડળ રહેશે નહિ. કેન્દ્રીય મંડળ જ કેન્દ્રશાસિત પ્રદેશો માટે રાજ્યમંડળ ગણાશે. વળી કેન્દ્રીય મંડળ કોઈ પણ કેન્દ્રશાસિત પ્રદેશના સંબંધમાં આ કાયદા હેઠળની પોતાની સત્તા અને કાર્યો પૈકી તમામ અથવા કોઈ પણ સત્તા અને કાર્ય, કેન્દ્ર સરકાર નક્કી કરે તે વ્યક્તિને પશવા વ્યક્તિઓના મંડળને સોંપી શકશે.

મંડળની બેઠકો

કલમ 10 મંડળની બેઠકો વિશે જણાવે છે. જે મુજબ આ કાયદા હેઠળના હેતુઓ માટે, મંડળની દર ત્રણ મહિને ઓછામાં ઓછી એક બેઠક બોલાવવાની હોય છે, પરંતુ જો અધ્યક્ષનો એવો અભિપ્રાય હોય કે, તાકીદના સ્વરૂપનું કોઈ કામકાજ કરવાનું છે, તો તે ઉપર્યુક્ત હેતુ માટે પોતાને યોગ્ય લાગે તે સમયે મંડળની બેઠક બોલાવી શકશે. આ બેઠકોનું કાર્યસંચાલન આ કાયદાની કલમ 54 (2) (બી) મુજબ રાજ્ય સરકારે બનાવેલ નિયમો મુજબ કરવાનું હોય છે.

સમિતિઓનું બંધારણ

આ કાયદાની જોગવાઈ મુજબ રચાયેલ મંડળ, આ કાયદા હેઠળનાં પોતાનાં કૃત્યો કરવા માટે, પોતાને

યોગ્ય લાગે તેવા હેતુ કે હેતુઓ માટે, પોતાને યોગ્ય લાગે તેટલી સમિતિઓની રચના કરી શકે છે. આ સમિતિ ક્યાં તો બધા જ મંડળના સભ્યોની બનેલી હોઈ શકે અથવા તો થોડા બહારના સભ્યોની અને થોડા મંડળના સભ્યોની હોઈ શકે અથવા બધા જ બહારના સભ્યોની હોઈ શકે. આ રીતે રચાયેલ સમિતિઓની બેઠકો બોલાવવાનો સમય. સ્થળ અને બેઠકોના કાર્યસંચાલનની કાર્યરીતિ કલમ 53 અને 54 હેઠળ રચાયેલ નિયમો મુજબ કરવાની હોય છે. મંડળના સભ્યો સિવાયના સમિતિના સભ્યોને સમિતિની બેઠકમાં હાજરી આપવા માટે અને મંડળનું બીજું કોઈ પણ કામ કરવા માટે, કલમ 53 અને 54 હેઠળ રચાયેલ નિયમો દ્વારા નિયત કરવામાં આવેલી ફ્રી અને ભથ્થાંની ચુકવણી કરવામાં આવે છે.

રાજ્યમંડળનાં કાર્યો

આ કાયદાની કલમ 17માં રાજ્યમંડળના કાર્યો વિશે જણાવેલ છે. આ ઉપરાંત પ્રાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) ધારો, 1974 હેઠળ રાજ્યમંડળે કરવાનાં કાર્યો પણ કરવાનાં હોય છે. આમ રાજ્યમંડળે આ કાયદા હેઠળના તેમજ પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) ધારો, 1974 હેઠળના એમ

બંને કાયદા નીચેનાં કાર્યો કરવાનાં હોય છે. (1) હવાનું પ્રદૂષણ અટકાવવું. તેને નિયંત્રિત કરવા કે તેને ઓછું કરવા માટે વિસ્તૃત કાર્યક્રમનું આયોજન કરવું અને તેને અમલી બનાવવો. (કલમ 17 (1) (એ)]

(2) હવાના પ્રદૂષણને અટકાવવા, તેને નિયંત્રણમાં રાખવા કે તેમાં ઘટાડો કરવાને લગતી બાબતો અંગે રાજ્ય સરકારને સલાહ આપવી: (કલમ 17 (1) (બી)]

(3) હવાના પ્રદૂષણને લગતી માહિતી ભેગી કરવી અને તેનો પ્રસાર કરવો: (કલમ 17 (1) (સી)]

(4) હવાનું પ્રદૂષણ અટકાવવા, નિયંત્રિત કરવા કે તેને ઓછું કરવા, રોકેલી કે રોકવાની હોય તેવી વ્યક્તિઓને, કેન્દ્રીય મંડળની શરતો મુજબની આપવાની તાલીમ નક્કી કરવાના અને આપવાના કાર્યમાં કેન્દ્રીય મંડળને સહકાર આપવો: [કલમ 17 (1) (ડી))

(5) ઉત્પાદન પ્રક્રિયાની, ઔદ્યોગિક પ્લાન્ટની, નિયંત્રિત સાધનનું વાજબી સમયે નિરીક્ષણ કરવું અને હવાનું પ્રદૂષણ અટકાવવા. નિયંત્રિત કરવા કે ઘટાડવા માટે, યોગ્ય લાગે તે વ્યક્તિને પગલાં લેવા સૂચનાઓ આપવી. [કલમ 17 (1) (5)]

(6) મંડળને જરૂરી લાગે તો, હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તારોનું વાજબી સમયાંતરે નિરીક્ષણ કરવું ત્યાંની હવાની ગુણવત્તા નક્કી કરવી અને બે વિસ્તારીમાં હવાનું પ્રદુષણ અટકાવવા, નિયંત્રણમાં રાખવા કે ઘટાડવા માટે પગલાં લેવા: (કલમ 17 (1) (એક))

(7) કેન્દ્રીય મંડળે નિયત કરેલ હવાની ગુણવત્તાના ધૌરણને ધ્યાનમાં રાખી, કેન્દ્રીય મંડળ સાથે વિચાર-વિનિમય કર્યા બાદ ઔહોગિક પ્લાન્ટ અને ઓટોમોબાઈલ્સ અથવા જઠાજ કે વિમાન સિવાયના બીજા કોઈ પણ સાધન કે જે કોઈ હવા પ્રદુષકને બહાર કાઢતા હોય, તેમને માટે વાતાવરણમાં છોડવાના હવા પ્રદૂષકીનું પ્રમાણ નક્કી કરવું.

ઔદ્યોગિક પ્લાન્ટમાંથી વાતાવરણમાં બહાર કઢાતા હવા પ્રદૂષકોના પ્રકાર અને જથ્થાને ધ્યાનમાં રાખી પ્રમાણ નક્કી કરવાનું હોવાથી ખલગ અલગ પ્લાન્ટો માટે અલગ અલગ ધોરણ મંડળ નક્કી કરી શકે છે. (કલમ 17 (1) (જી)]

(8) જેને કારણે હવાનું પ્રદૂષણ થવાનું હોય તેવા કોઈ ઉદ્યોગના સ્થળ કે જગ્યાની યોગ્યતા અંગે રાજ્ય સરકારને સલાહ આપવી: (કલમ 17 (1) (એચ)]

(9) કેન્દ્રીય મંડળ અથવા રાજ્ય સરકાર, વખતોવખત સોપે તેવાં અને નિયત કરે તેવાં બીજાં

કોઈ પણ કાર્યો કરવા: (કલમ 17 (1) (આઈ)]

(10) આ કાયદાના હેતુઓનો અમલ કરવાના હેતુ માટે અને પોતાના કાર્યો કરવા માટે, પોતાને યોગ્ય લાગે તે અન્ય વસ્તુઓ અને બીજા કોઈ પણ કાર્યો કરી શકે છે. [કલમ 17 (1) (3)]

(11) આ કલમની જોગવાઈઓ મુજબનાં પોતાનાં કાર્યો કરવા માટે રાજ્યમંડળ પોતાની પ્રયોગશાળા કે પ્રયોગશાળાઓ સ્થાપી શકશે કે માન્યતા આપી શકશે. [કલમ 17 (2)]

જો કોઈ પણ ઉદ્યોગ, હવા પ્રદૂષક (Air Effluent) બહાર ફેંકતો હોય, તો તેને આ કાયદાની જોગવાઈઓમાંથી મુક્તિ આપતું જાહેરનામું પ્રગટ કરવાની રાજ્યમંડળ કે રાજ્ય સરકારને સત્તા નથી. આવું જાહેરનામું સત્તા બાહ્ય (Ultra Vires) ગણાય.

મંડળની સત્તાઓ

આ અધિનિયમની અલગ અલગ કલમો નીચે બોર્ડને વિવિધ સત્તાઓ આપેલ છે, જે ટૂંકમાં જોઈએ

(1) બોર્ડ આ અધિનિયમના હેતુ માટે, પોતાને યોગ્ય લાગે તેટલી સમિતિઓની રચના કરી શકે છે. આ સમિતિના સભ્યો તરીકે બોર્ડના સભ્ય સિવાયની બહારની વ્યક્તિને પણ રાખી શકે छे. [३सम 11]

(2) આ અધિનિયમ હેઠળનાં પોતાનાં કાર્યો કરવા માટે, જો બોર્ડ ઇચ્છે તો બહારની કોઈ પણ વ્યક્તિની સહાય કે સલાહ લઈ શકે છે. [કલમ 12]

(3) નિયમોને આધીન રહીને બોર્ડ વખતોવખત કોઈ નિપુણ વ્યક્તિને બોર્ડના સલાહકાર તરીકે નીમી શકે છે. [કલમ 14 (5)]

(4) આ અધિનિયમ હેઠળ બોર્ડે બજાવવાનાં કાર્યો પૈકી કોઈ કે બધાં, જો બોર્ડ ઇચ્છે તો, પોતાના અધ્યક્ષ, સભ્ય-સચિવ કે બોર્ડના કોઈ ઑફિસરને સોંપી શકે છે. [કલમ 15]

(5) કેન્દ્રીય બોર્ડ, રાજ્ય બોર્ડને આદેશો આપી શકે છે. [કલમ 18]

(6) રાજ્ય સરકાર સાથે કોઈ વિસ્તાર કે વિસ્તારો હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તાર જાહેર કરવા અંગે બોર્ડ વિચાર-વિનિમય કરી શકે છે. [કલમ 19]

(7) વાહનોમાંથી નીકળતા ધુમાડા માટેનાં ધોરણોના પાલન માટે સૂચનાઓ આપી શકે છે. [असम 20]

( 8) હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તારમાં, કોઈ ઉદ્યોગના હેતુ માટે કોઈ ઔદ્યોગિક પ્લાન્ટનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ લાદી શકે છે. તેમજ એવા ઔદ્યોગિક પ્લાન્ટનો ઉપયોગ કરવા માટે સંમતિપત્ર આપવાની કે ન આપવાની પણ સત્તા ધરાવે છે. [કલમ 21]

(9) હવામાં હવા પ્રદૂષકો છોડતી કે ફેકતી વ્યક્તિ કે ઔદ્યોગિક પ્લાન્ટને તેમ કરતાં અટકાવવાની અને તે માટે કોર્ટને અરજી કરવાની સત્તા છે. (કલમ 22. 22-એ]

(10) હવામાં કોઈ ચીમની, નળી કે અન્ય છિદ્ર દ્વારા છોડાતા કે ફેંકાતા ધુમાડાના કે અન્ય કોઈ ( હવા પ્રદૂષકોના નમૂના લેવાની, એ નમૂના લેવા માટે ત્યાં પ્રવેશવાની, તપાસ કરવાની, તેમજ એ નમૂનાઓનું પૃથક્કરણ કરાવી તેનો અહેવાલ મેળવવાની સત્તા છે. (કલમ 24. 25, 26, 27]

!!) બોર્ડ આ કાયદા હેઠળનાં પોતાનાં કાર્યો કરવા માટે કોઈ વ્યક્તિ, અધિકારી કે સ્થાનિક સત્તામંડળોને -

(1) કોઈ ઉદ્યોગ કે ઔદ્યોગિક પ્રક્રિયાને તદ્દન બંધ કરાવવાની, તેના પર પ્રતિબંધ મૂકવાની કે તેનું નિયમ કરવાની કે;

(2) વીજળી, પાણી કે અન્ય કોઈ સેવાનો પુરવઠો બંધ કરવાની, કે તેનું નિયમન કરવાની સૂચના આપી શકવાની સત્તા ધરાવે છે. જો કોઈ વ્યક્તિ કે અધિકારી કે સ્થાનિક સત્તામંડળ બોર્ડના આવા આદેશનું પાલન ન કરે તો તે આ અધિનિયમની કલમ-37 હેઠળ શિક્ષાપાત્ર બને છે.

રાજ્ય બોર્ડે એકવાર આપેલી પરવાનગી કોઈ પણ કારણ વગર રદ ન કરી શકે કે પાછી નવી કરી આપવાની ના ન પાડી શકે. જો કોઈ પણ કારણ વગર પરવાનગી પાછી નવી (Renew) કરવાની ના પડે તો માલિકને પૂરી ન શકાય (Irreparable) એવું નુકસાન થયેલું ગણાય.





પ્રકરણ-12 : ભારતીય વન્ય પ્રાણી (સંરક્ષણ) ધારો, 1972

ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારો, 1972 હેઠળ વન્ય પ્રાણીઓના શિકાર કરવા અંગેની જોગવાઈ

1972નાં વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ વન્ય પ્રાણીની વ્યાખ્યા આપો તથા વન્ય પ્રાણીઓનો શિકાર અને વેપાર નિયંત્રણો


વન્ય પ્રાણીઓ પર્યાવરણના અભિન્ન અંગ છે. વર્તમાન સમયમાં જંગલોનો મોટા પ્રમાણમાં નાશ થઈ રહ્યો છે જેને કારણે વન્ય પ્રાણીઓમાંના કેટલાંક લુપ્ત થઈ જવાના આરે આવી ગયા છે. વળી, વન્ય પ્રાણીઓનો શિકાર પણ પૈસા મેળવવા થાય છે. જેને કારણે પણ વન્ય પ્રાણીઓનો સંરક્ષણ માટે જરૂરિયાત ઊભી થવા પામે છે. પુરાણકાળમાં ધાર્મિક માન્યતા ઊભી કરી પ્રાણીઓના સંરક્ષણની જોગવાઈ હતી. વર્તમાન યુગમાં કાયદાઓ અમલી બનાવી વન્ય પ્રાણીના સંરક્ષણની જોગવાઈ કરવામાં આવેલ છે. બ્રિટિશ અમલ દરમિયાન 1887માં સૌ પ્રથમ વાર વન્ય પ્રાણી સુરક્ષા ધારો અમલી બનાવાયો હતો. સમયાંતરે સુધારા થતા રહ્યા અને 1972માં ભારતમાં વન્ય પ્રાણી સંરક્ષણ ધારો અમલમાં આવ્યો.

આ કાયદા મુજબ વન્ય પશુ (Wild Animal) એટલે આ વન્ય પ્રાણી સંરક્ષણ ધારાના પરિશિષ્ટ 1 થી 4 માં ઉલ્લેખિત કરવામાં આવેલ પ્રાણીઓ અને આ કાયદા મુજબ.

"શિકાર"માં તેનાં વ્યાકરણીય રૂપો અને સમૂલીય શબ્દો સાથે નીચેનાનો સમાવેશ થાય છે.

(એ) કોઈ પણ વન્ય પ્રાણીને અથવા બંધનમાં રાખેલા પ્રાણીની હત્યા કરવી અથવા ઝેર આપવું અથવા તેમ કરવાના બધા જ પ્રયત્ની કરવા.

(બી) કોઈ જંગલી અથવા બંદી પ્રાણીને પકડવું, શિકાર કરવો, જાળમાં ફસાવવું, પિંજરામાં રાખવું, તીવ્ર

ગતિએ દોડાવવું અથવા તકલીફ પહોંચાડવી અથવા આવું કરવાના બધાં જ પ્રયાસો કરવા. (સી) આવા પ્રાણીના શરીરના કોઈ પણ ભાગ પર ઈજા કરવી અથવા તેનો નાશ કરવો કે તેનો અંગ વિચ્છેદ કરવો અથવા વન્ય પક્ષી અથવા પેટે ચાલતા પ્રાણીના છેડાને નુકસાન કરવું અથવા

તેવા પક્ષી કે પેટે ચાલતા પ્રાણીઓના ઈંડાં કે માળાને તોડી નાખવા કે વેરવિખેર કરવા. ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમ-9 મુજબ વન્ય પ્રાણી સંરક્ષણ ધારાના પરિશિષ્ટ 1 થી 4માં જણાવેલ કોઈપણ પ્રાણીનો શિકાર કરવા પર પ્રતિબંધ છે, પરંતુ આ જ કાયદાની કલમ !! અને 12 હેઠળ કરવામાં આવેલ જોગવાઈ મુજબ, વિશિષ્ટ સંજોગોમાં આ કાયદાના પરિશિષ્ટ 1 થી 4 માં નિર્દિષ્ટ પ્રાણીઓનો શિકાર કરવાનો પરવાનો આપી શકાય છે.

કેટલાક પ્રસંગોમાં શિકારની પરવાની (કલમ 11) પ્રવર્તમાન અન્ય કોઈ કાયદામાં ગમે તે જોગવાઈ હોવા છતાં, પરિશિષ્ટ 4ની જોગવાઈઓને આધીન,

(એ) જો મુખ્ય વન્ય પ્રાણી અધિકારીને એમ ખાતરી થાય કે પરિશિષ્ટ 1માં નિર્દિષ્ટ કરાયેલ કોઈ વન્ય પશુ માનવજીવન માટે ખતરનાક બનેલ છે અથવા તે સાજુ ન થઈ શકે તેટલી હદે અશક્ત છે કે બીમાર થયેલ છે. તો કારણો સાથે લેખિત હુકમ કરીને આવા પશુનો શિકાર કરવા માટે કોઈ વ્યક્તિને પરવાનગી આપી શકે અથવા આવા પશુનો શિકાર કરાવી શકે. મુખ્ય વન્ય પ્રાણી અધિકારીને એમ ખાતરી થાય કે આવું પ્રાણી પકડી શકાય તેમ નથી. બેભાન કરી શકાય તેમ નથી અથવા તેને એ સ્થળ પરથી દૂર કરી શકાય તેમ નથી તે સિવાય કોઈ પણ વન્ય પ્રાણીનું મૃત્યુ નિપજાવવાનો હુકમ ન કરી શકે.

આવું કોઈ પકડવામાં આવેલ પાણી નું પાણી વનમાં પૂનાતિ જરાય કે મુખ્ય વન્ય પ્રાણી અવિકારીને તે ખાતરી સાથે કે આવુ પાણી વલભભેય પુનર્વલિત કરી શકાય તેમ નથી અને મા માટેનાં કારણોની લેખિતમાં નોંધ રાખવાની હોય છે.

(બી) જો યુવાને તેમાં પાણી પવિકારી અથવા અધિકૃત ધિરજાને અથવા હોઈ શ્રો મુખ્ય અને ગામ વિષ્ટિ કરાયેલ હોઈ પશુ માવજી ખમાટે મથવા (કોઈ જમીન પરનો ઊભા પાક સહિત) ભિલકત માટે ખતરનાક બુરોલ આવા પશુ કે સાધાન થઈ શકે તેટલી હો અશમન કે બીમાર છે. તો લેખિત હુકમ કરીને આવા પશુ કે પશુઓના સમૂહનો નિર્દિષ્ટ વિસ્તરમાં શિકાર કરાવી શકે અથવા આવા પશુ કે પશુઓના સમૂહનો તે નિદિર શિકાર કરવા માટે પરવાનગી આપી શકે,

ઉપરની જોગવાઈઓ શિવાય, પોતાના અથવા અન્ય વ્યક્તિના રક્ષણ માટેઅવલબલિબથી જો કોઈ વન્ય પશુની હત્યા કે ઈજા કરવામાં આવે તો તેનાથી કોઈ ગુનો બનતો નથી પરંતુ આ ભાઈ અને તે વ્યક્તિ આ અથદા હેઠળનો કોઈ ગુનો કરતી હોવી જોઈએ નહિ. બચાવમાં જે કોઈ વ્યક્તિએ કોઈ વન્ય પશુની હત્યા કરેલ હોય કે તેને ઈજા કરી હોય તો તે સરકારી મિલકત ગણાય છે. કોઈ વ્યક્તિએ સ્વબચાવાSelf defence)માં કોઈ વન્ય પશુની હત્યા કરેલ હોય તો પશુની હિંસકતા અથવા ક્રૂરતા (Farody) સુસંગત બાબત છે. એક કેસમાં આરોપી પર તેણે વાઘનો શિકાર કરેલ લેવાનો આરોપ હતો. આ કેસમાં ઠરાવાયુ હતું કે વાઘ પોતે સ્વભાવથી હિંસક પ્રાણી હોવાથી આરોપીએ સ્વબચાવમાં તેની હત્યા કરી હોવાનો બચાવ સ્વીકારવો જોઈએ. તેણે વાઘનો શિકાર કરવા ગયેલ હોવાની રજૂઆત સ્વીકારી શકાય નહિ. આ કેસમાં આરોપીએ શુદ્ધબુદ્ધિથી અને સ્વબચાવમાં વાઘની હત્યા કરેલ હોવાનો બચાવ સ્વીકારીને તેને નિર્દોષ છોડી મૂકવામાં આવેલ હતો.

ખાસ હેતુઓ માટે પરવાનો [ક. (12)] :

આ કાયદામાં અન્યત્ર ગમે તે જોગવાઈ કરાયેલ હોવા છતાં, મુખ્ય વન્ય પ્રાણી અધિકારી, નીચેના કોઈ હેતુસર કોઈ વ્યક્તિને, નિયત ફી ભરવામાં આવ્યેથી અને નિયત શરતોને આધીન, શિકાર કરવાનો પરવાનો આપી શકે છે.

હેતુઓ :

(1)  શિક્ષણ

(2) વૈજ્ઞાનિક સંશોધન

(3) વૈજ્ઞાનિક વ્યવસ્થા : વન્ય પશુઓના વૈકલ્પિક કુદરતી નિવાસસ્થાનની સ્થાન બદલી અથવા કોઈ વન્ય પશુની હત્યા કર્યા સિવાય કે ઝેર આપ્યા સિવાય કે તેનો નાશ કર્યા સિવાય તેની વસ્તી વ્યવસ્થા.

4) નમૂનાઓનો સંગ્રહ : ક. 38 (આઈ) હેઠળ માન્ય પ્રાણી સંગ્રહાલયો માટે આવો ( પરવાનો આપી શકાય તેમજ સંગ્રહસ્થાન (ZoO) અને તેના જેવી સંસ્થા માટે આવો પરવાનો નમૂનાઓનો સંગ્રહ માટે આપી શકાય.

(5) જીવન રક્ષક દવાઓ(Life saving drug)ના ઉત્પાદન માટે સાપનું ઝેર મેળવવા, ભેગું કરવા કે તૈયાર કરવાના હેતુ માટે આ કલમ હેઠળ પરવાનો આપી શકાય. પરંતુ જોગવાઈ એવી કરવામાં આવે છે કે -

(એ) પરિશિષ્ટ-1માં ઉલ્લેખિત કોઈ વન્ય પશુના સંબંધમાં કેન્દ્ર સરકારની પૂર્વપરવાનગી સિવાય: (બી) વન્ય પશુઓના સંબંધમાં રાજ્ય સરકારની પૂર્વપરવાનગી સિવાય;

આવો પરવાનો આપી શકાય નહિ. આમ, કયા હેતુઓ માટે શિકાર કરવાનો પરવાનો આપી શકાય, તેની આ કલમમાં જોગવાઈ કરવામાં આવેલ છે. આ કલમ મુજબના હેતુઓ 4 છે. પરિશિષ્ટ 1માં ઉલ્લેખિત વન્ય પશુઓના સંબંધમાં પરવાનો આપતા અગાઉ કેન્દ્ર સરકારની પૂર્વપરવાનગી મેળવવી જોઈએ. અન્ય પશુઓના સંબંધમાં આવો પરવાનો આપતા અગાઉ રાજ્ય સરકારની પૂર્વપરવાનગી મેળવવી જોઈએ.


પરવાનગી મોકૂફી અથવા નિરસન (ક. 13) :

રાજ્ય સરકારના સામાન્ય અથવા ખાસ હુકમને આધીન, મુખ્ય વન્ય પ્રાણી અધિકારી અથવા અન્ય અધિકૃત અધિકારી યોગ્ય અને પૂરતા કારણોની નોંધ કરીને પરવાનો મોકૂફ (Sepend) કે 20 (Revoke) કરી શકે છે.

પરંતુ જોગવાઈ એવી કરવામાં આવે છે કે આવી કોઈ હુકમ કરતાં પહેલાં પરવાના ધારકને સાંભળવાની વાજબી તક આપવામાં આવેલી હોવી જોઈએ.

1991માં રદ કરાયેલી આ કલમ ફરીથી 1995માં અમલી બનાવવામાં આવેલ છે. મુખ્ય વન્ય પ્રાણી અધિકારી અથવા અન્ય અધિકૃત અધિકારી, યોગ્ય અને પૂરતાં કારણોસર, આવા કારણોની લેખિત નોંધ કરીને કલમ-11 કે 12માં નિર્દિષ્ટ કરાયેલ શિકાર કરવાનો અપાયેલ પરવાનો કે તે પરવાનગી મોકૂફ કે રદ કરી શકે છે. મુખ્ય વન્ય પ્રાણી અધિકારીનો આવો હુકમ રાજ્ય સરકારના સામાન્ય અથવા ખાસ હુકમને સ્વાધીન છે. પરંતુ પરવાના ધારકને સાંભળવાની યોગ્ય તક આપેલી હોવી જોઈએ.

નિર્દિષ્ટ છોડનું રક્ષણ

ભારતીય વન્ય પ્રાણી [સંરક્ષણ ધારો), 1972 હેઠળ નિર્દિષ્ટ છોડના રક્ષણ અંગેની
જોગવાઈ

નિર્દિષ્ટ છોડના રક્ષણ અંગેની જોગવાઈ ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારામાં 1991 માં થયેલ સુધારાથી ઉમેરવામાં આવી છે.

નિર્દિષ્ટ છોડ એટલે ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારાના પરિશિષ્ટ 6માં ઉલ્લેખિત છોડો. પરિશિષ્ટ 6માં નિર્દેશિત છોડોના રક્ષણ અંગે કલમ 17A થી 17H સુધીમાં જોગવાઈ કરવામાં આવેલ છે. જે મુજબ,

નિર્દિષ્ટ છોડ ચૂંટવા કે ઉખેડવા પર પ્રતિબંધ (ક. 17-એ)

(1) આ પ્રકરણમાં અન્યથા બાકાત કરવામાં આવેલ હોય તે સિવાય કોઈ વ્યક્તિ -

(2) કેન્દ્ર સરકારે જાહેરનામાથી નિર્દિષ્ટ કરેલ વિસ્તારમાંથી અને કોઈ જંગલના વિસ્તારમાંથી ઇરાદાપૂર્વક કોઈ છોડ ચૂંટશે નહિ કે મૂળમાંથી ઉખાડશે નહિ કે તેનો નાશ કરશે નહિ. નુકસાન કરશે નહિ અથવા એકત્રિત કરશે નહિ.

(બી) કોઈ નિર્દિષ્ટ છોડ. તે જીવંત હોય કે નિર્જીવ અથવા તેના કોઈ ભાગનો કબજો ધરાવશે નહિ. વેચાણ કરશે નહિ, વેચાણની દરખાસ્ત કરશે નહિ, અથવા બક્ષિસ કે અન્ય રીતે તેનું હસ્તાંતર કે પરિવહન કરશે નહિ.

પરંતુ જોગવાઈ એવી કરવામાં આવે છે કે પ્રકરણ-4ની જોગવાઈઓને આધીન, અનુસૂચિત જાતિના સભ્યો પોતે જે વિસ્તારમાં રહેતા હોય તે સ્થળેથી મળી આવતા નિર્દિષ્ટ છોડ શુદ્ધબુદ્ધિથી અંગત ઉપયોગ અથવા તેનો કબજો ધરાવે તો કાયદેસર છે.

માટે ચૂંટે, એકત્રિત કરે આમ, આ કલમથી એવું ઠરાવવામાં આવે છે કે આ પ્રકરણની અન્યથા જોગવાઈ કરવામાં આવેલ હોય તે સિવાય કોઈ પણ વ્યક્તિ ઇરાદાપૂર્વક નિર્દિષ્ટ છોડ ચૂંટશે. ઉખેડશે. નુકસાન, નાશ. પ્રાપ્ત અથવા એકત્રિત કરશે નહિ. આ પ્રતિબંધ કોઈ પણ વન, જમીન અને કેન્દ્ર સરકારે જાહેર નિર્દિષ્ટ કરેલ વિસ્તારને લાગુ પડે છે. તે જ રીતે છોડ જીવંત હોય કે નિર્જીવ કોઈ વ્યક્તિ આવા છોડ કે તેના ભાગનો કબજો ધરાવી શકે નહિ. વેચાણની દરખાસ્ત કરી શકે નહિ અથવા બક્ષિસથી કે અન્ય રીતે હસ્તાંતર અથવા પરિવહન કરી શકે નહિ. આદિવાસી જાતિના લોકોને આ પ્રતિબંધથી બાકાત રાખવામાં આવ્યા છે.

ખાસ હેતુઓ માટે પરવાનગી (ક. 17.બી)

રાજ્ય સરકારની પૂર્વપરવાનગીથી મુખ્ય વન્ય પાણી અવિહાવી, ઉબાડવા. ખાસ નિદિષ્ટ સહેલ વિસ્તાર જંગલની જમીનમાંથી નિવિષ્ટ છએક મંટવા, હવા હ કરnd the કરવા કે એકત્ર કરવા કે તેનું પરિવહન કરવાની તેમાં નિદિષ્ટ કરેલ શરતોને આધીન, નીચેના હેતુખી માટે પરવાનગી આપી શકે છે.

(એ) શિક્ષણ

(બી) વૈજ્ઞાનિક સંશોધન:

((સી) વૈજ્ઞાનિક સંસ્થામાં વનસ્પતિ સંગ્રહ એકત્ર કરવા. જાળવી રાખવા કે પ્રદર્શિત કરવા માટે

आपवाः

(ડી) આ સંબંધમાં કેન્દ્ર સરકારે માન્ય કરેલ વ્યક્તિ અથવા સંસ્થાના પ્રચાર માટે, આમ, આ કલમથી ક. 17-એનો અપવાદ ઉત્પન્ન કરવામાં આવ્યો છે. એટલે કે આ કલમમાં નિર્દિષ્ટ કરાયેલ હેતુઓ માટે મુખ્ય વન્ય પ્રાણી અધિકારી રાજ્ય સરકારની પૂર્વપરવાનગીથી નિર્દિષ્ટ છોડ ચૂંટવા, ઉખાડવા, પ્રાપ્ત કરવા, એકત્ર કરવા કે તેનું પરિવહન કરવાની પરવાનગી આપી શકે છે.

પરવાનગી વિના નિર્દિષ્ટ છોડની ખેતી પર પ્રતિબંધ (ક. 17-સી)

આ કલમમાં એમ ઠરાવવામાં આવેલ છે કે રાજ્ય સરકારે અધિકૃત કરેલ અધિકારી કે મુખ્ય વન્ય પ્રાણી અધિકારીએ પરવાનો આપેલ હોય તે સિવાય, કોઈ વ્યક્તિ નિર્દિષ્ટ છોડની ખેતી કરી શકે નહિ. પરંતુ આ કાયદામાં 1991માં થયેલ સુધારા અગાઉ કોઈ વ્યક્તિ નિર્દિષ્ટ છોડની ખેતી કરતી હોય તો તેણે છ માસમાં પરવાનો મેળવવા માટે અરજી કરવી જોઈએ. પરવાનો (Licence) મેળવવા માટે અરજી કર્યા બાદ છોડની ખેતી કરવાનું તેણે ચાલુ રાખેલ હોય અને તેની અરજી નામંજૂર થાય તો વચગાળાના સમય દરમિયાન તેણે કરેલ ખેતી ગેરકાયદેસર બનતી નથી. પરવાનો આપતી વખતે તેમાં શરતો નિર્દિષ્ટ કરી શકાય છે.

પરવાના વિના નિર્દિષ્ટ છોડના વેપાર પર પ્રતિબંધ (ક. 17-ડી)

કલમ 17-સી હેઠળ પરવાના વગર નિર્દિષ્ટ છોડની ખેતી કરવા પર પ્રતિબંધ છે. જ્યારે આ કલમ હેઠળ પરવાના વિના નિર્દિષ્ટ છોડના વેપાર પર પ્રતિબંધ મૂકાયો છે. મુખ્ય વન્ય પ્રાણી અધિકારીએ માન્ય કરેલ પરવાનો અથવા રાજ્ય સરકારે આ સંબંધમાં અધિકૃત કરેલ વ્યક્તિએ માન્ય કરેલ પરવાના સિવાય, કોઈ વ્યક્તિ નિર્દિષ્ટ છોડનો વેપાર, ધંધો કે રોજગારી કરી શકે નહિ. પરંતુ આ કાયદામાં 1991માં સુધારો થયા અગાઉ તરત જ કોઈ વ્યક્તિ આવો ધંધો કે વ્યવસાય 60 દિવસ અગાઉથી કરતો હોય અથવા આ ગાળા દરમિયાન પરવાનો મેળવવા તેણે અરજી કરી હોય અને તેની અરજી નામંજૂર થાય તો પણ વચગાળાના સમય દરમિયાન તેણે કરેલ વ્યવસાય, ધંધો કે રોજગાર ગેરકાયદેસર નથી.

સ્ટોકની જાહેરાત (ક. 17-ઈ)

આ કાયદામાં 1991ના વર્ષમાં સુધારો કરાયો છે. આ સુધારો લાગુ પાડવાની તારીખથી 30 દિવસમાં નિર્દિષ્ટ છોડની ખેતી કે વેપાર કરનાર દરેક વ્યક્તિએ નિર્દિષ્ટ છોડ કે તેના ભાગનો કેટલો સ્ટોક 1991નો સુધારો લાગુ પડયાની તારીખે હતો તે જાહેર કરવાનું રહેશે. ક. 44ની પેટા ક. 3 થી 8, 45, 46, 47 ની જોગવાઈઓ, ક. 17-સી અને ક. 17-ડી હેઠળ જાણે કે પશુઓનો વેપાર કે પશુમાંથી બનતી વસ્તુઓની જેમ પરવાનો કે અરજીને લાગુ પડશે.

પરવાનાગ્રહિતા પાસે છોડ વગેરેનો કબજો (ક. 17-એફ)

આ કલમ મુજબ આ કાયદા હેઠળના નિયમો મુજબ જે શરતોએ પરવાનો (Licence) અપાયો હોય. તે મુજબ જ નિર્દિષ્ટ છોડનો કબજો ધરાવી શકાય. તે સિવાય કોઈ પરવાનો ધારક (Licencee) આ પ્રકરણ
(એ) (1) કોઈ નિર્દિષ્ટ છોડ, તેનો ભાગ કે અંશ કે જેની 8. 17-ઈ હેઠળ સ્ટોકની જાહેરાત કરવી જોઈતી હતી, પણ ન કરેલ હોય. (2) કોઈ નિર્દિષ્ટ છોડ કે તેનો ભાગ કે અંશ રાખવા બાબતમાં આ કાયદો કે તે હેઠળના નિયમો જો તે કાયદેસર રીતે પ્રાપ્ત કરાયેલ ન હોય તો આવી વસ્તુ. છોડ કે તેનો ભાગ પોતાના હવાલા કે કબજામાં રાખી શકાશે નહિ.

(બી) (1) કોઈ નિર્દિષ્ટ છોડ ચૂંટવા, ઉખેડવા કે પ્રાપ્ત કરવા કે એકત્ર કરવા અથવા (2) નિર્દિષ્ટ છોડ તેનો ભાગ કે તેનો અંશ વેચાણ કરવા, વેચાણની દરખાસ્ત કરવા કે તેના અંકુશ. હવાલો કે કબજામાં રાખવા, મેળવવા કે પ્રાપ્ત કરવા નિર્દિષ્ટ છોડનો કબજો ધરાવી શકાશે नहि.

નિર્દિષ્ટ છોડની ખરીદી (ક. 17-જી) પરવાના ધારક સિવાય કોઈ પણ વ્યક્તિ પાસેથી નિર્દિષ્ટ છોડ ખરીદી, મેળવી કે પ્રાપ્ત કરી શકાય

નહિ. પરંતુ ક. 17-બીમાં નિર્દિષ્ટ કરેલ વ્યક્તિને આ કલમ લાગુ પડતી નથી.

છોડ સરકારી મિલકત ગણાશે (ક. 17-એચ)

જે કોઈ નિર્દિષ્ટ છોડ, તેનો ભાગ કે તેના અંશ સંબંધમાં આ કાયદો, નિયમો કે આ કાયદા હેઠળના આદેશો વિરુદ્ધ ગુનો બનેલ હોય, તો તે રાજ્ય સરકારની મિલકત ગણાશે. જો નિર્દિષ્ટ છોડ કેન્દ્ર સરકારે જાહેર કરેલ અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પ્રાપ્ત કરેલ કે એકત્ર કરેલ હોય, તો છોડ કે તેની ભાગ કેન્દ્ર સરકારની મિલકત ગણાશે.

કલમ 39ની પેટાકલમ (2) અને (3) જે રીતે કલમ 39ની પેટાકલમ (1)માં નિર્દિષ્ટ કરવામાં આવેલ વન્ય પશુઓ અને ચીજવસ્તુઓને જે રીતે લાગુ પડે છે, તે રીતે, આ બંને પેટાકલમો, શક્ય હોય ત્યાં સુધી નિર્દિષ્ટ છોડ અથવા તેના ભાગને લાગુ પડશે.

વન્ય પ્રાણી સલાહકાર બોર્ડ.

સલાહકારી સમિતિ (ક. 33-બી)

(1) રાજ્ય સરકાર એક સલાહકારી સમિતિની રચના કરશે જેમાં -

(1) મુખ્ય વન્ય પ્રાણી અધિકારી અથવા તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિ, કે જે વન્ય સંરક્ષણ અધિકારીથી ઊતરતા નહિ હોય તેવા સમિતિના અધ્યક્ષ રહેશે; જેમાં,

(ii) એક રાજ્ય વિધાનસભાના રાભ્ય કે જેમના નિર્વાચન ક્ષેત્રમાં અભયારણ્ય આવેલ હોય; તે;

(ⅲ) પંચાયતી રાજ સંસ્થાઓના ત્રણ પ્રતિનિધિઓ;

(iv) બિન-સરકારી સંસ્થાના બે પ્રતિનિધિઓ;

વન્ય પ્રાણી સંરક્ષણના ક્ષેત્રમાં સક્રિય ભૂમિકા ભજવતી ત્રણ વ્યક્તિઓ;

(vi) ગૃહ અને પશુચિકિત્સા સંબંધી વિભાગોનો હવાલો સાંભળનાર દરેક વિભાગોમાંથી એક પ્રતિનિધિ:

(vii) જો હોય તો માનદ્ વન્ય પ્રાણી અધિકારી; અને

(viii) અભયારણ્યનો હવાલો સંભાળનાર અધિકારી કે જે સભ્ય-સચિવ તરીકે કાર્ય કરશે:

- નો સમાવેશ થાય છે.

(2) સમિતિ અભયારણ્યના વધુ સારા સંરક્ષણ અને વ્યવસ્થા માટે અભયારણ્યની અંદર અને આસપાસ રહેતા લોકોની હિસ્સેદારી અંગે લેવા યોગ્ય પગલાં વિશે સલાહ આપશે.

(1) સમિતિ શીયાના માટે આવાક સહવીની સંખવા મક્કી કરવા સહિત પોતાની દરેક Mand માટે પીતે જ વ્યવાચ્યા કરવી.

 મૃગયા ચિહ્ન.

"ગાલિક" (Tronty) એટલે કોઈ કૃત્રિમ કે કુદરતી હીને સખયામાંની જાળવવામાં આવેલ ઉપડની જીવજંતુ શિવાયનું કોઈ બદી પ્રાણી અથવા અન્ય પ્રાણી સમગ્ર અથવા તેનો કોઈ ભાગ અને તેમાં * રએ) ફૂવાહીવાળા ચાપડા, પાતળા પાપડી બને પાણીઓની ખાલેમાં મમાલી બરવાની ભારી

તૈયાર કરી ગોઠવવામાં આવેલ સમગ્ર પ્રાણીના કે તેના કોઈ ભાગના નમૂનાઓની અનેર (બી) સાબર સીંગ, અસ્થિ, કાચબા અથવા કરચલાની પીઠ, ખાલુ સીગડા, કોડાના સીગ, વાળ, પીળ, નખ, દાંત, હાથીદાંત, કસ્તુરી, ઈડાખો, માળાઓ અને મધપુડાનો સમાવેશ થાય છે. “પ્રક્રિયા કર્યા વિનાનું મૃગયાયિક" (Unicured Trophy) એટલે પ્રાણીઓની ખાલમાં મસાલો ભરવાની કળાં ન કરવામાં આવેલ હોય તેવું ઉપદ્રવી જીવજંતુ સિવાયનું બંદી પ્રાણી અથવા અન્ય વન્ય પ્રાણી સમગ્ર અથવા તેની હોઈ ભાગ અને વહેલ માછલીના પેટમાંથી નીકળતો મીણ જેવી પદાર્થ અને અન્ય પ્રાણીમાંથી બનાવવામાં આવતી બનાવટોનો સમાવેશ કરવામાં આવે છે.

પરવાના સિવાય મૃગયાચિહ્ન અને પશુમાંથી બનતી વસ્તુઓના વ્યવહાર

પર પ્રતિબંધ (ક. 44) (1) પ્રકરણ 4-એની જોગવાઈઓને આધીન પેટાકલમ 4 હેઠળ મંજૂર કરવામાં આવેલ પરવાના

અને તે અનુસાર હોય તે સિવાય, કોઈ વ્યક્તિ - (1) પશુમાંથી બનાવાયેલ કોઈ વસ્તુના ઉત્પાદક અથવા વૈપારી તરીકે, અથવા

હેઠળ (એ)

(2) પ્રાણીઓની ખાલમાં મસાલો ભરવાની કળાના નિષ્ણાત તરીકે, અથવા મૃગયાચિહ્ન અથવા પ્રક્રિયા વિનાના મૃગયાચિહ્નના વેપારી તરીકે; અથવા

(3) (4) બંદી પશુઓના વેપારી તરીકે; અથવા

) કોઈ પણ ભોજનાલયમાં માસ રાંધી અથવા પીરસવાનો;

(બી (સી) સાપનું ઝેર મેળવવાનો, એકત્ર કરવાનો અથવા તૈયાર કરવાનો અથવા તે અંગેનો વ્યવહાર કરવાનો;

- ધંધો શરૂ કરી શકશે નહી કે ચાલુ રાખી શકશે નહી.

પરંતુ જોગવાઈ એવી કરવામાં આવે છે કે આ પેટાકલમની કોઈ પણ જોગવાઈથી આ કાયદાની શરૂઆતની તરત અગાઉ, પેટાકલમમાં ઉલ્લેખિત વેપાર અથવા ધંધો કરતી વ્યક્તિને, આવી શરૂઆતથી 30 દિવસના સમય સુધી અથવા પોતાને પરવાનો મેળવવા માટે તેને તેટલા સમયમાં અરજી કરેલ હોય. ત્યારે તેને પરવાનો ન આપવામાં આવે ત્યાં સુધી અથવા તેને પરવાનો આપી શકાય તેમ ન હોવાની તેને લેખિત જાણ કરવામાં ન આવે ત્યાં સુધી આવી વેપાર કે ધંધો કરતાં અટકાવી શકાશે નહિ.

વધુમાં એવી પણ જોગવાઈ કરવામાં આવે છે કે મોરની પૂંછડીનાં પીંછામાંથી બનાવવામાં આવેલ વસ્તુઓના વેપારી અને તેના ઉત્પાદકોને આ પેટાકલમ લાગુ પડશે નહિ.

ખુલાસો : આ કલમના હેતુઓ માટે, 'ભોજનાલય' માં હોટલ, રેસ્ટોરન્ટ અથવા જ્યાં ચુકવણી થયેથી ખાદ્ય પદાર્થો પીરસવામાં આવતા હોય તેનો સમાવેશ થાય છે. ભલે પછી પૈસાની ચુકવણી ખાદ્ય વસ્તુઓ માટે અલગ કરવામાં આવી હોય કે પછી રહેવા કે જમવાની રકમમાં તેનો સમાવેશ કરવામાં આવતો હોય.

(2) પશુમાંથી બનતી ચીજોના દરેક ઉત્પાદક અથવા વેપારી, અથવા બંદી પશુઓના મૃગયાચિહ્ન કે પ્રક્રિયા વિનાના મૃગયાચિહ્નમાં દરેક વેપારી અથવા પશુની ખાલમાં મસાલો ભરવાની કળામાં નિષ્ણાતે, આ કાયદાની શરૂઆતથી 15 દિવસમાં અથવા યથાપ્રસંગ, જાહેરાતની તારીખથી બનાવવામાં આવતી, વસ્તુઓ મુખ્ય વન્ય પ્રાણી અધિકારી સમક્ષ જાહેર કરશે અને મુખ્ય વન્ય પ્રાણી અધિકારી. અથવા થથાપ્રસંગ, અધિકૃત અધિકારી પ્રશુમાંથી બનાવવામાં આવેલ દરેક ચીજ, બદી પશુ, મૃગથાચિહ્ન કે પ્રક્રિયા વિનાનું મૃગથાચિહ્ન પર ઓળખચિત મૂકી શકશે. ) પરવાનો મેળવાવનો ઇરાદો ધરાવતી પેટાકલમ (1)માં ઉલ્લેખિત દરેક વ્યક્તિ, પરવાના

(3 માટે મુખ્ય વન્ય પ્રાણી અધિકારી અથવા અધિકૃત અધિકારીને અરજી કરશે. (4) () પેટાકલમ (3)માં ઉલ્લેખિત દરેક અરજી નિયત કરવામાં આવે તેવા નમૂનામાં અને તેટલી ફી ચૂકવીને મુખ્ય વન્ય પ્રાણી અધિકારી કે અધિકૃત અધિકારીને કરવામાં આવશે.

(બી) મુખ્ય વન્ય પ્રાણી અધિકારી કે અધિકૃત અધિકારી અરજદારનો પૂર્વઇતિબસ કે પૂર્વઅનુભવ ધ્યાનમાં લેશે, તેમજ પરવાનો મંજૂર કરવાથી વન્ય પ્રાણીની સ્થિતિ પર થનાર સંભવિત અસરો અને આ સંબંધમાં નિયત કરવામાં આવે તેવી અન્ય બાબતો લક્ષમાં લઈને અને પોતાને યોગ્ય લાગે તેવી તપાસ કર્યા બાદ જ્યારે એમ ખાતરી થાય કે પરવાનો મંજૂર કરવો જોઈએ તે સિવાય પેટાકલમ (1)માં

ઉલ્લેખિત પરવાનો મંજૂર કરવામાં આવશે નહિ. (5) આ કલમ હેઠળ મંજૂર કરવામાં આવેલ દરેક પરવાનામાં જે પ્રાંગણમાં અને જે શરતોને આધીન રહીને ધંધો કરવાનો હોય, તેનો નિર્દેશ કરવામાં આવશે.

6) આ કલમ હેઠળ મંજૂર કરાયેલ દરેક પરવાનો - (

(जे) તેની મંજૂરીની તારીખથી એક વર્ષ માટે કાયદેસર રહેશે;

(બી) હસ્તાંતરપાત્ર બનશે નહિ: અને

(સી) એકી વખતે 1 વર્ષથી વધારે નહિ તેટલા સમય માટે તાજો કરાવી શકાશે. (7) પરવાના ધારકને પોતાના કેસની રજૂઆત કરવાની વાજબી તક આપવામાં આવેલ હોય

તે સિવાય અને મુખ્ય વન્ય પ્રાણી અધિકારીને અથવા અધિકૃત અધિકારીને ખાતરી થાય 3-

(i) પરવાનો નામે કરવા માટેની અરજી તે માટે નિર્દિષ્ટ કરાયેલ મુદત પૂરી થયા બાદ કરવામાં આવેલ હતી;

(ii) પરવાનો મંજૂર કરવાના અથવા તાજો કરી આપવાના સમયે, અરજદારે કરેલ કોઈ નિવેદન ખોટું અથવા મહત્ત્વની બાબતોમાં અસત્ય હતું; અથવા

(i) અરજદારે પરવાનાની કોઈ શરત અથવા આ કાયદાની કોઈ જોગવાઈ, અથવા આ કાયદા હેઠળના કોઈ નિયમનો ભંગ કરેલ છે. અથવા અરજદારે નિયત શરતોનું કરેલ નથી; " તે સિવાય, પરવાનો તાજો કરી આપવા માટેની અરજી નામંજૂર કરી શકાશે નહિ,

(8) પરવાનો મંજૂર કરવાની અથવા તાજો કરવાની અરજી મંજૂર કરતો કે નામંજૂર કરતો દરેક હુકમ લેખિત હોવો જોઈએ.

(9) ઉપરની પેટાકલમ નાના જીવજંતુને લાગુ પડતી નથી.

ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારો, 1972 પ્રમાણે અભયારણ્યમાં પ્રવેશ પર નિયંત્રણ.
અભયારણ્ય.

ભારતમાં 1960ના દાયકામાં વન્ય પ્રાણીના સંરક્ષણ અંગેની ચિંતા શરૂ થઈ હતી અને 1972માં ભારતીય વન્ય પ્રાણી (સંરક્ષણ) ધારો અમલી બનાવાયો. બંધારણમાં 42માં સુધારાથી અનુ. 48A દાખલ કરવામાં આવ્યો છે. ને લા પાવરણ, જંગલ નેમજ વન્ય પ્રાણીની તેમજ વનસંપતિની જાળવણી અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ નક્કી કરવામાં આવી છે.

1972થી અમલી બનેલાં ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધાશમાં અનેક વખત સુધારાઓ કરવામાં આવ્યા છે અને વિવિધ જોગવાઈઓ જેવી કે નિર્દિષ્ટ છોડના રક્ષણ માટેની વગેરે નવી ઉમેરવામાં આવી છે. આ કાયદાની જોગવાઈ મુજબ અભયારણ્ય એટલે. આ કાયદાના પ્રકરણ-4 હેઠળ જાહેર કરવામાં આવેલ અભભ્યારણ્ય તેમજ આ જ કાયદાની કલમ 66ની પેટા કલમ(4) હેઠળ અભયારથ તરીકે માનવામાં આવતા વિસ્તારનો પણ અભયારણ્યમાં સમાવેશ થાય છે.

અભયારણ્યની જાહેરાત

આ કાયદાની કલમ-18 હેઠળ રાજ્ય સરકારને કોઈ વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવાની મત્તા છે. સરકારના મતે જે વિસ્તાર વન્ય પશુઓ અથવા પર્યાવરણની જાળવણી માટે પર્યાવાશે વિજ્ઞાન (Ecology) વનસ્પતિ સૃષ્ટિ, કુદરતી તેમજ પ્રાણી વિજ્ઞાનની દ્રષ્ટિએ પૂરતું મહત્ત્વ ધરાવતો ભથ તે વિસ્તારને જાહેરનામું પ્રસિદ્ધ કરીને અભયારણ્ય તરીકે રચવાના પોતાના ઇરાદાની જાહેરાત કરી શકું છે. આવો વિસ્તાર આરક્ષિત વન (Reserve Forest) કે જળ હકૂમત (Torritorial Wators) સિવાયનો લેવો જોઈએ. રાજ્ય સરકારની આ જાહેરાતમાં આવા વિસ્તારનું વર્ણન રસ્તાઓ, નદીઓ, ટેકરીઓ અથવા અન્ય જાણીતી અને તરત ઓળખાઈ આવે તેવી સરહદો દ્વારા કરવું જોઈએ.

કલેક્ટરોની નિમણૂક (ક. 18-બી)

રાજ્ય સરકાર વન્ય પ્રાણી (સંરક્ષણ) સંશોધન ધારો, 2002 લાગુ થયાના નેવું દિવસની મુદતમાં અથવા કલમ-18 હેઠળ જાહેરનામું બહાર પડયાના ત્રીસ દિવસની અંદર, અભયારણ્ય કે જે અંગે કલમ- 18ની પેટા કલમ (1)માં ઉલ્લેખ કરવામાં આવેલ હોય, તેની સાથે સંલગ્ન રહેલ જમીનમાં અથવા તેના પર રહેતી વ્યક્તિઓના અધિકારો લાગુ થવાના. તેની પ્રકૃતિ અને તેના વિસ્તાર અંગે તપાસ કરવા માટે એક અધિકારીની કલેક્ટર તરીકે કાર્ય કરવા માટે નિમણૂક કરશે.

કલેક્ટર દ્વારા અધિકારોનો નિર્ણય (ક. 19)

જ્યારે ક. 18 હેઠળ કોઈ વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયેલ હોય, ત્યારે અભયારણ્યની હદમાં આવતા વિસ્તારની જમીનમાં કે તેની ઉપર કોઈ વ્યક્તિના અધિકારોના અસ્તિત્વ, પ્રકાર અને તેની વ્યાપ્તિ સંબંધમાં કલેક્ટર તપાસ કરશે અને તેનો નિર્ણય કરશે.

અધિકારો ઉદભવ થતા પર બાધ (ક. 20)

કલમ 18 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરાયા બાદ, વસિયતી કે બિનવસિયતી વારસા અધિકાર દ્વારા સંપાદન કરાયેલ હોય તે સિવાય, આવા જાહેરનામામાં ઉલ્લેખિત વિસ્તારની હદની અંદર આવેલી જમીનમાં કે તેના પર કોઈ અધિકાર સંપાદિત કરી શકાશે નહિ.

કલેક્ટરની જાહેરાત (ક. 21)

કલમ 18 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરાયેલ હોય ત્યારે કલેક્ટર 60 દિવસની અંદર તેમાં સમાવિષ્ટ થયેલા વિસ્તારમાં અથવા આવા વિસ્તારની આસપાસના દરેક નગર અને ગામમાં પ્રાદેશિક ભાષામાં જાહેરાત પ્રસિદ્ધ કરશે અને તેમાં -

(એ) શક્ય હોય ત્યાં સુધી, અભયારણ્યનું સ્થળ અને હદ નિર્દિષ્ટ કરવામાં આવશે; બી) ક. 19માં નિર્દિષ્ટ કરાયેલ કોઈ અધિકાર માટે હક્કદાવો કરતી વ્યક્તિને, જરૂરી વિગતો સાથે (

આવા અધિકારનો પ્રકાર અને મર્યાદા અને તેના સંબંધમાં માંગવામાં આવેલ વળતરની જો કોઈ રકમ હોય. તો તેની વિગતો નિર્દિષ્ટ કરતો લેખિત હક્કદાવો, નિયત નમૂનામાં આવી જાહેરાતની તારીખથી બે માસમાં કલેક્ટર સમક્ષ રજૂ કરવાની ફરજ પાડવામાં આવશે

કલેક્ટર દ્વારા તપાસ (8. 22)

કલેક્ટર, હક્કદાવી રજૂ કરનાર પર નિયત નીટિસની બજવણી કર્યા પછી. જેટલા પ્રમાણમાં રાજ્ય સરકારના રેકોર્ડ પરથી અને જાણકારી ધરાવતી કોઈ વ્યક્તિના પુરાવા પરથી તે નક્કી કરી શકાય તેટલે


(એ) ક. 21ના ક્લોઝ (બી) હેઠળ તેમની સમક્ષ રજૂ કરવામાં આવેલ હક્કદાવો: અને

(બી) ક. 19માં નિર્દિષ્ટ કરાયેલ અને કે. 2ાના ક્લોઝ (બી) હેઠળ હક્કદાવો ન કરાયેલ હોય.

- તેવા કોઈ અધિકારના અસ્તિત્વ વિશે તપાસ કરશે.

કલેક્ટરની સત્તાઓ (ક. 23)

 ક. 22માં હક્કદાવો કરાયેલ અધિકારોના અસ્તિત્વ બાબતે તપાસ કરવાના હેતુ માટે કલેક્ટરને નીચે મુજબની સત્તાઓ રહેશે. (એ) કોઈ જમીનમાં અથવા તેના ઉપર પ્રવેશ કરવાની, તેની માપણી તથા નિશાની કરવાની તથા

નકશો તૈયાર કરવાની અથવા તેમ કરવા માટે અન્ય કોઈ અધિકારીને અધિકૃત કરવાની; (બી) દાવાઓની ઇન્સાફી કાર્યવાહી (Trial) માટે દીવાની અદાલતમાં સ્થાપિત થયેલ સત્તાઓ જેવી જ સત્તાઓ.

અધિકારોનું સંપાદન (ક. 24)

ક. 18 હેઠળ પ્રગટ કરાયેલ જાહેરનામાથી અભયારણ્યની હદમાં આવતા વિસ્તારની જમીનમાં આવતા કે તેની ઉપર કોઈ વ્યક્તિના અધિકારોના અસ્તિત્વ બાબત તપાસ કરવાની કલેક્ટરની ફરજ છે. આવી તપાસ કર્યા બાદ કલેક્ટર અધિકારના હક્કદાવાનો કાં તો સંપૂર્ણતઃ કે અંશતઃ સ્વીકાર કરશે. અથવા સંપૂર્ણતઃ કે અંશતઃ નામંજૂર કરશે.

જ્યારે હક્કદાવો સંપૂર્ણતઃ કે અંશતઃ સ્વીકારવામાં આવેલ હોય, ત્યારે કલેક્ટર -

(એ) સૂચિત અભયારણ્યની હદમાંથી આવી જમીન બાકાત રાખી શકે; અથવા

(બી) આવી જમીનના માલિક અથવા અધિકાર ધરાવનાર અને રાજ્ય સરકાર વચ્ચે સમજૂતીથી આવા માલિક અથવા આવા અધિકાર ધરાવનાર આવી જમીનમાં કે તે પરના પોતાના અધિકારો જમીન સંપાદન ધારો, 1894માં જોગવાઈ થયા મુજબ વળતર મળ્યેથી સરકારને સોંપવા સંમત થયેલ હોય તે સિવાય, આવી જમીન અથવા અધિકારો સંપાદિત કરવાની કાર્યવાહી કરી શકે.

(સી) મુખ્ય વન્ય પ્રાણી અધિકારીની સાથે વિચારણા કરીને અભયારણ્યની જમીનમાં અથવા જમીન ઉપર કોઈ વ્યક્તિનો અધિકાર ચાલુ રાખવાની પરવાનગી આપી શકે.

સંપાદન કાર્યવાહી (ક. 25)

(1) આવી જમીન અથવા આવી જમીન પરના અથવા તેમાંના અધિકારો સંપાદન કરવાના હેતુ માટે -

(એ) કલેક્ટરને જમીન સંપાદન ધારો, 1894 હેઠળ કાર્યવાહી કરતાં કલેક્ટર તરીકે ગણવામાં આવશે; (બી) હક્કદાવો કરનારને, હિત ધરાવનાર વ્યક્તિ તરીકે અને તે કાયદાની ક. 9 હેઠળ

આપવામાં આવેલ નોટિસ મુજબ તેની સમક્ષ હાજર થનાર વ્યક્તિ તરીકે ગણવામાં આવશે:

(सी) ક. 9ની પૂર્વવર્તી (Foregoing) કલમોની જોગવાઈઓનું પાલન થવાનું ગણવામાં આવશે:

(ડી) જ્યારે વળતરની બાબતમાં હક્કદાવો કરનાર પોતાની તરફેણમાં થયેલ ચુકાદાનો સ્વીકાર ન કરે, તો તે કાયદાની ક. 18ના અર્થમાં તેણે ચુકાદાનો સ્વીકાર ન કરેલ હોય તેવી હિત ધરાવતી વ્યક્તિ તરીકે તેને ગણવામાં આવશે અને તે કાયદાન ભાગ ડની જોગવાઈ હેઠળ ચુકાદા વિરુદ્ધ દાદ મેળવવાને હક્કદાર બનશે.તા

(5) હકદાવો કરનારની સંમતિથી કલેક્ટર અથવા બંને પક્ષકારોની સંમતિથી અદાલn જમીન અથવા પૈસાના સ્વરૂપમાં અથવા અંશત: જમીન અને અંશત વિલાસ સ્વરૂપમાં વળતર અપાવી શકે; અને

(એક) જાહેર રસ્તો અથવા જાહેર ગૌચર બંધ થવાની બાબતમાં હલેક્ટર, રાજ્ય સરકારની પહેર જરાથી વ્યવહાર અથવા અનુકૂળ હોય તે રીતે વૈકલ્પિક જાહેર રસ્તો કે જાય ગીચર બાબતમાં જોગવાઈ કરી શકે.

(2) આ કાયદા હેઠળ કોઈ જમીન કે તેમાંના હિતનું કરવામાં આવેલ સંપાદન જાહેર હિત માટે

થયેલ હોવાનું ગણાશે. સંપાદનની પ્રક્રિયા સંપૂર્ણ કરવા માટેની સમયમર્યાદા (ક. 25-એ)

(1). કલેક્ટર કલમ 18 હેઠળ શક્ય હોય ત્યાં સુધી અભયારણ્યની જાહેરાત થયાનાં બે વર્ષની મુદતની અંદર કલમ-19 થી 25 બંને કલમો સાથેની જોગવાઈઓ હેઠળની કાર્યવાહી પરિપૂર્ણ કરશે. ય

(2) જો કોઈ કારણોસર બે વર્ષની મુદતમાં કાર્યવાહીઓ પરિપૂર્ણ ન થઈ શકે તો પણ જાહેરાતનો અંત આવશે નહિ.

અભયારણ્ય તરીકે વિસ્તારની જાહેરાત (ક. 26-એ)

(1) જ્યારે

(ये) ક. 18 હેઠળ જાહેરનામું પ્રગટ કરાયેલ હોય અને હક્કદાવો કરવાનો સમય પૂરો થયેલ હોય ત્યારે અને અભયારણ્ય તરીકે જાહેર કરવાનો ઇરાદો હોય તે વિસ્તારમાંની જમીનના સંબંધમાં જો કોઈ હક્કદાવો રજૂ કરવામાં આવેલ હોય અને રાજ્ય સરકારે તે તમામનો નિકાલ કરેલો હોય: અથવા

(બી) કોઈ આરક્ષિત વન કે જળ હકૂમતના કોઈ ભાગ સાથે મળી ગયેલ કોઈ વિસ્તાર માટે રાજ્ય સરકારને એમ લાગે કે આવો વિસ્તાર વન્ય પ્રાણીઓ કે પર્યાવરણની જાળવણી, વિસ્તાર કે વિકાસની દૃષ્ટિએ પર્યાવરણ વિજ્ઞાન, પ્રાણી અથવા વનસ્પતિ વિજ્ઞાન, ભૂસ્વરૂપ વિજ્ઞાન, તેમજ પ્રાકૃતિક દૃષ્ટિએ પૂરતું મહત્ત્વ ધરાવે છે અને રાજ્ય સરકારને એમ લાગે કે આવા વિસ્તારનો અભયારણ્યમાં સમાવેશ કરવો

જોઈએ: - તો રાજ્ય સરકાર જાહેરનામું પ્રગટ કરી અભયારણ્યમાં જે વિસ્તારનો સમાવેશ કરવાનો હોય તેની

હદની સ્પષ્ટતા કરશે કે જાહેરનામામાં નિર્દિષ્ટ કરવામાં આવેલ તેવી તારીખથી આ વિસ્તાર અભયારણ્ય

બનશે. પરંતુ જોગવાઈ એવી કરવામાં આવે છે કે જ્યારે જળ હકૂમતના કોઈ ભાગને અભયારણ્ય વિસ્તારમાં ભેળવવામાં આવે, ત્યારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની પૂર્વપરવાનગી મેળવવાની રહેશે.

વધુમાં એવી જોગવાઈ કરવામાં આવે છે કે જ્યારે જળ હકૂમતનો કોઈ વિસ્તારનો અભયારણમાં સમાવેશ કરવામાં આવે ત્યારે, સ્થાનિક માછીમારોના વ્યાવસાયિક હિતોના રક્ષણ માટે પૂરતા પગલાં લીધા બાદ આવા વિસ્તારની હદ મર્યાદા નક્કી કરવામાં આવશે.

(2) પેટાકલમ (1)માં ગમે તે જોગવાઈ હોવા છતાં, આવા જળ હકૂમતમાંથી નિર્દોષ રીતે પસાર થતા

કોઈ વાહન, વહાણ કે આગબોટના અધિકારને પેટા ક. (1) હેઠળ પ્રગટ કરવામાં આવેલ જાહેરનામામાંથી

કોઈ અસર થશે નહિ.

(3) રાષ્ટ્રીય મંડળની ભલામણ સિવાય રાજ્ય સરકાર અભયારણ્યની હદમાં કોઈ ફેરફાર કરી શકશે નહિ. 


અભયારણ્યમાં પ્રવેશ પર નિયંત્રણ (ક. 27)

(२)  (બી) ફરજ પરના જાહેર સેવકા મુખ્ય વન્ય પ્રાણી અધિકારી અથવા અધિકૃત અધિકારીએ અભયારણ્યની હદમાં

જેને રહેવાની પરવાનગી આપેલ હોય તેવી વ્યક્તિ; (સી) અભયારણ્યની હદમાં આવેલ સ્થાવર મિલકત પર જેને કોઈ અધિકાર હોય તેવી વ્યક્તિ:

(51) (5) જાહેર ધોરીમાર્ગ ઉપર થઈને અભયારણ્યમાંથી પસાર થતી કોઈ વ્યક્તિ; અને પેટાક્લોઝ (એ), (બી) અથવા (સી)માં ઉલ્લેખિત વ્યક્તિઓ સિવાયના આશ્રિતો:

- તે સિવાયની કોઈ વ્યક્તિ ક. 28 હેઠળ આપવામાં આવેલ પરવાનગીની શરતો હેઠળ અને તે અનુસાર હોય તે સિવાય, અભયારણ્યમાં પ્રવેશ કરી શકશે નહિ અથવા રહી શકશે. નહિ.

(2) દરેક વ્યક્તિ તે અભયારણ્યમાં રહેતી હોય ત્યાં સુધી -

(ये) આ કાયદા વિરુદ્ધનો ગુનો અભયારણ્યમાં થતો રોકવા,

(जी) આ કાયદા વિરુદ્ધનો કોઈ ગુનો અભયારણ્યમાં કરવામાં આવેલ છે, તેમ માનવાને કારણ હોય ત્યારે ગુનેગારની શોધ કરવા અને તેની ધરપકડ કરવામાં મદદ કરવા:

(सी) વન્ય પશુના મૃત્યુનો અહેવાલ કરવા અને મુખ્ય વન્ય પ્રાણી અધિકારી કે અધિકૃત અધિકારી તેનો હવાલો સંભાળે નહિ, ત્યાં સુધી તેનું શબ સલામત રાખવા;

(51) આવા અભયારણ્યની પોતાને જાણ કે માહિતી હોય તેવી કોઈ આગનું શમન કરવા અને જેની પોતાને જાણ કે માહિતી હોય તેવી અભયારણ્યની નજીકમાં કોઈ ફેલાતી આગ પોતાની સત્તામાં કાયદેસરના ઉપાયો દ્વારા અટકાવવા; અને

(5) કાયદા વિરુદ્ધનો ગુનો બનતો રોકવા અથવા આવા ગુનાની તપાસમાં પોતાની સહાય માગતા કોઈ પણ વન અધિકારી, મુખ્ય વન્ય પ્રાણી અધિકારી અથવા પોલીસ અધિકારીને મદદ કરવા બંધાયેલ રહેશે.

(3) અભયારણ્યની હદ સીમાચિન્હને નુકસાન કરવાના ઇરાદાથી કે ભારતીય ફોજદારી ધારો, 1860ની વ્યાખ્યા મુજબનો અન્યાયી લાભ લેવાના ઇરાદાથી કોઈ વ્યક્તિ, આવી હદ નિશાનીમાં ફેરફાર, નાશ, હેરફેર કે વિકૃત કરી શકશે નહીં.

(4) કોઈ વ્યક્તિ અભયારણ્યની જમીન પરના વન્ય પશુ કે તેના બચ્ચાને સતાવી કે ત્રાસ આપી શકશે નહીં.

પ્રવેશ માટે પરવાનગી (ક. 28)

(1) મુખ્ય વન્ય પ્રાણી અધિકારી કોઈ વ્યક્તિને તેની અરજી પરથી નીચેની તમામ અથવા કોઈ પણ હેતુઓ માટે અભયારણ્યમાં પ્રવેશ કરવાની પરવાનગી આપી શકે -

(એ) વન્ય જીવનું અન્વેષણ અથવા અભ્યાસ અને તેને સહાયક અથવા આનુષંગિક હેતુઓ,

(બી) ફોટોગ્રાફી

(સી) વૈજ્ઞાનિક સંશોધન

(ડી) પ્રવાસન

(ઈ) અભયારણ્યમાં રહેતી કોઈ વ્યક્તિ સાથે કાયદેસરનું કામકાજ.

(2) અભયારણ્યમાં પ્રવેશ અને રહેવાની પરવાનગી, નિયત કરવામાં આવે તેવી શરતો અને ફીની ચુકવણીને આધીન રહેશે.

અભયારણ્યનો નાશ કરવા કે તેમાં પરવાનગી વગર શિકાર પર પ્રતિબંધ (ક. 29) આ કલમથી કોઈ પણ વ્યક્તિને અભયારણ્યમાંથી કોઈ પણ પશુનો નાશ, અંગત ઉપયોગ કે પશુના કોઈ વ્યવિન્ય તેવા હરણા કરવાની મારી સાઈ મહી કે તેને નુકસાન પહોંચાડી ધન્ય પ્રાણી અવિરતિ કોઈ પાયા પશુન તેના નિવાસસ્થાનથી વચિત કરી શકે નહી. સિવાય કે મુખ્ય વન્ય પ્રાણી અધિકારીએ પરવાનગો રભાસોય પરવાનગી ત્યારે જ આપી શકાય કે જ્યારે સમય ગુરુભાવોને સુધારી થાય કે કોઈ વન્ય આપેલ પાણીનો નીશા અમર ઉપયોગ કે તેની હેરફેર વન્ય પ્રાણીઓની સુવ્યવસ્થા કે સુધારણા માટે જરૂરી છેને સિવાય આવી પરવાનગી શકાતી નથી.

કોઈ પણ વ્યક્તિને અભયારણ્યમાંથી કોઈ પણ પશુ કે જેમાં વન્ય પેદા કુદર તાપણ સમાવેશ થાય છે. નો નાશ, અંગત ઉપયોગ કે તેને દૂર કરવાનું અથવા કોઈ પણ વન્ય પશુતા દરતી નિવાસસ્થાનનો નાય રહેતા મનુ અમને બથયો બદલી કરવાની અથવા અભયારણ્યની અંદર આવકારી દ્વારા પરવાપાણીના વહેણની દિશા બદલી અટકાવી કે વિસ્તારી શકે નહિ, સિવાય કે મુખ્ય પ્રાણી અધિકારી દ્વારા પરવાનગી આપવામાં આવેલ હાલી આવી પરવાનગી ત્યા સુધી આપવામાં આવશે નહિ કે જ્યાં સુધી રાજ્ય સરકાર મંડળ સાથે વિચારણા કરીને ખાતરી ન કરે કે અભયારણ્યમાંથી આવા પ્રાણીને દૂર કરવાનું અથવા અભયારણ્યના વિદરના અકરીયને બહારના પાણીના વહેણને બદલવું વન્ય પ્રાણીઓના વિકાસ અને તેમના માટેની વધુ દ્વારી વ્યવસ્થા માટે આવશ્યક છે. જ્યાં વન્ય પેદાશ અભયારણ્યમાંથી દૂર કરવામાં આવે તો ત્યાં તેનો ઉપયોગ ફક્ત અભયારણ્યની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોની વાસ્તવિક વ્યક્તિગત જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવશે અને કોઈ પ્રકારના વેપારના હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે નહિ.

ખુલાસો : આ કલમના હેતુ માટે, કલમ ૩૩ના ક્લોઝ (ડી) હેઠળ પરવાનગી આપવામાં આવી હોય તેવાં પાલતુ પશુઓને ચરાવવાનું અથવા ફેરવવાનું કૃત્ય આ કલમ હેઠળ પ્રતિબંધિત કૃત્ય માનવામાં આવશે નહિ.

અન્ય નિયંત્રણો (કલમો 30 થી 32)

આગ લગાડવા પર પ્રતિબંધ (ક. 30) :

આ કલમ જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ અભયારણ્યને નુકસાન થાય તે રીતે -

(1) અભયારણ્યને આગ લગાડશે નહીં: અથવા

(2) અગ્નિ સળગાવાશે નહીં: અથવા

(3) સળગતો અગ્નિ છોડી જશે નહીં.

હથિયારો સાથે અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ (ક. 31)

કોઈ પણ વ્યક્તિ મુખ્ય વન્ય પ્રાણી અધિકારીની લેખિત પરવાનગી સિવાય, હથિયાર સાથે અભયારણ્યમાં પ્રવેશ કરી શકશે નહી. આવી લેખિત પરવાનગી ક્યારે આપી શકાય તે અંગે કોઈ ચોક્કસ ધોરણ આ કલમમાં નિર્દિષ્ટ કરાયેલ નથી. એટલે કે તે મુખ્ય વન્ય પ્રાણી અધિકારીની વિવેકબુદ્ધિ(Discre- tion)ની બાબત છે.

હાનિકારક પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ (ક. 32)

કોઈ પણ વ્યક્તિ અભયારણ્યમાં કઈ વન્ય પશુને –

(1) ઈજા થાય; અથવા

(2) તેને ભયમાં મૂકે:

તેવું રસાયણ કે સ્ફોટક પદાર્થ કે અન્ય પદાર્થો વાપરી શકે નહીં. જે રીતે ક. ૩૦માં આગ લગાડવા પર પ્રતિબંધ છે તે જ રીતે, અભયારણ્યમાં કોઈ વન્ય પશુને ઈજા થાય કે તેને ભયમાં મૂકે તેવી કોઈ પણ જાતનું રસાયણ, સ્ફોટક કે અન્ય પદાર્થ અભયારણ્યમાં વાપરવા પર આ કલમથી પ્રતિબંધ મૂકાયેલ છે.

કેન્દ્ર સરકારે જાહેર કરેલ અભયારણ્ય (. 38)

જ્યારે રાજ્ય સરકાર, અળચારા અંદરનો ન હોય તેવી પોતાના નિયંત્રણ હેઠળનો વિસ્તાર કેન્દ્ર સરકારને ભાડાપટ્ટે આપે અથવા અન્ય રીતે હસ્તાંતર કરે, ત્યારે કેન્દ્ર સરકારને જો એમ ખાતરી થાય કે તેને આ રીતે હસ્તાંતર કરાયેલ વિસ્તારના સંબંધમાં કે. 18માં નિર્દિષ્ટ કરાયેલ શરતો પૂર્ણ કરાયેલ છે. તો આવા વિસ્તારને જાહેરનામાથી અભયારણ્ય તરીકે જાહેર કરી શકરો અને કે. 19 થી 35. 54 અને 55ની જોગવાઈઓ જે રીતે રાજ્ય સરકારે જાહેર કરેલ અભયારણ્યના સંબંધમાં લાગુ પડે છે તે રીતે આવા અભયારણ્યના સંબંધમાં પણ લાગુ પડશે.



રાષ્ટ્રીય ઉદ્યાન (રાષ્ટ્રીય ઉપવન), માન્ય પ્રાણી સંગ્રહાલય, રાષ્ટ્રીય પ્રાણી મંડળ, રાષ્ટ્રીય વન્ય પ્રાણી મંડળ રચના અને કાર્યો.

રાષ્ટ્રીય ઉપવન.


રાષ્ટ્રીય ઉદ્યાન (ક. 35) (1) જ્યારે રાજ્ય સરકારને એમ જણાય કે અભયારણ્યમાં હોય કે ન હોય તેવા વિસ્તારની પર્યાવરણ

વિજ્ઞાન, પ્રાણી અને વનસ્પતિ વિજ્ઞાન, ભૂસ્વરૂપ વિજ્ઞાન કે પ્રાણીવિજ્ઞાનની અગત્યના કારણે તેમાંના વન્ય

પશુઓ અથવા તેની આસપાસના વિસ્તારની જાળવણી કે વિકાસના હેતુ માટે રાષ્ટ્રીય ઉદ્યાન રચવાની જરૂર છે. તો જાહેરનામાંથી આવા વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે રચવાનો પોતાનો ઇરાદો જાહેર કરી શકે. પરંતુ જોગવાઈ એવી કરવામાં આવે છે કે જ્યારે જળ હકૂમતનો કોઈ ભાગ રાષ્ટ્રીય ઉદ્યાનમાં સમાવિષ્ટ કરવાનો ઇરાદો હોય, ત્યારે ક. 26-એની જોગવાઈઓ જે રીતે અભયારણ્યની જાહેરાતના સંબંધમાં લાગુ પડે છે તે રીતે રાષ્ટ્રીય ઉદ્યાનની જાહેરાતમાં લાગુ પડશે.

(2) પેટાકલમ (1)માં ઉલ્લેખિત જાહેરનામામાં રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવાના વિસ્તારની હદ નિર્દિષ્ટ કરવામાં આવશે.

(૩) જ્યારે કોઈ વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવાનો ઇરાદો હોય, ત્યારે ક. 19 થી ક. 26-એ (ક. 24ની પેટાકલમ (2)ના ક્લોઝ (સી) સિવાય, બંને કલમો સહિત)ની જોગવાઈઓ શક્ય હોય ત્યાં સુધી, અભયારણ્યમાંની કોઈ જમીનના સંબંધમાં તપાસ, હક્કદાવાનો નિર્ણય અને અધિકારોના અંત બાબતમાં જે રીતે લાગુ પડે છે, તે રીતે આવા વિસ્તારમાંની કોઈ જમીનના સંબંધમાં ઉપર્યુક્ત બાબતોમાં લાગુ પડશે.

(4) જ્યારે નીચેના બનાવો બનેલ હોય -

(એ) હક્કદાવાઓ રજૂ કરવાનો સમય પસાર થઈ ગયેલ હોય, અને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવાના ઇરાદાવાળા વિસ્તારોમાંથી કોઈ જમીનના સંબંધમાં રજૂ કરાયેલા

(બી) તમામ હક્કદાવાઓનો રાજ્ય સરકારે નિકાલ કરી દીધેલ હોય; અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં સમાવિષ્ટ કરવાની સૂચિત જમીનો સંબંધમાં તમામ અધિકારો રાજ્ય સરકારમાં સ્થાપિત થયેલા હોય;

- ત્યારે રાજ્ય સરકાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે વિસ્તારનો સમાવેશ થતો હોય, તેની હદોનો નિર્દેશ કરતું જાહેરનામું પ્રગટ કરશે અને તેમાં એવી જાહેરાત કરવામાં આવશે કે જાહેરનામામાં નિર્દિષ્ટ કરવામાં આવે તે તારીખે અને તે તારીખથી સદરહુ વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન ગણાશે.

(5) રાષ્ટ્રીય ઉદ્યાનની હદમાં, રાષ્ટ્રીય મંડળની ભલામણ સિવાય ફેરફાર કરી શકાય નહીં.

(6) મુખ્ય વન્ય પ્રાણી અધિકારીએ પરવાનગી આપેલ હોય અને તે અનુસાર હોય તે સિવાય, કોઈ વ્યક્તિ રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી કોઈ વન્ય પશુનો કે વન્ય પેદાશનો નાશ, અંગત ઉપયોગ કે તેની હેરફેર કરી શકશે નહીં. અથવા કોઈ વન્ય પશુના કુદરતી નિવાસસ્થાનનો નાશ કે તેને નુકસાન કે તેમાં ફેરફાર કોઈ પણ કૃત્ય દ્વારા કરી શકશે નહીં અથવા રાષ્ટ્રીય ઉદ્યાનના અંદર અથવા બહારના વિસ્તારમાં આવેલ પાણીના વહેણને અટકાવી અથવા વિસ્તારી શકશે નહી કે તેના માર્ગમાં ફેરફાર કરી શકશે નહી અને આવી પરવાનગી ત્યાં સુધી આપવામાં આવશે નહીં કે જયાં સુધી રાષ્ટ્રીય મંડળની સાથે મલાહ મમલન કી બાદ રાજ્ય સરકારને સંતોષ થાય કે રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી આવા વન્ય પ્રાણીને ખસેડવું અથવા રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર અથવા બહાર સ્થિર પાણીના વહેણમાં પરિવર્તન કરવું રાષ્ટ્રીય ઉદ્યાનના વિકાય અને સુવ્યવસ્થા માટે આવશ્યક છે. (૭) રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ પાલતુ પશુ ચરાવવાની પરવાનગી આપી શકાશે નહીં બને ખાવા રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રવેશ કરવા માટે અધિકૃત વ્યક્તિએ કોઈ પશુનો વાહન તરીકે ઉપયોગ કરેલ હોય તે સિવાય આવા પાલતુ પશુને પ્રવેશવા દઈ શકાશે નહીં.

(8) 8. 27. 5. 28, 8. 30 श्री ३२ म४ ७. उन लोड (से), (जी) (सी) ने 8. 33-ध्ये अने 3, 34ની જોગવાઈઓ, જે રીતે અભયારણ્યના સંબંધમાં લાગુ પડે છે તે રીતે શક્ય હોય ત્યાં સુધી રાષ્ટ્રીય ઉદ્યાનના સંબંધમાં પણ લાગુ પડશે.

ખુલાસો : આ કલમના હેતુઓ માટે, અભયારણ્યની અંદર અથવા બહાર આવેલ કોઈ વિસ્તાર કે જે અંગેના અધિકારો નષ્ટ કરવામાં આવેલ છે અને કોઈ કાયદા હેઠળ અથવા અન્ય રીતે જમીન રાજ્ય સરકારમાં સ્થાપિત કરવામાં આવેલ હોય. તો આવા વિસ્તારની નોંધણી જાહેરાત બહાર પાડીને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે કરી શકાશે અને કલમ 19 થી 26 બંને કલમની જોગવાઈઓ હેઠળની કાર્યવાહીઓ અને આ કલમની પેટાકલમો (3) અને (4)ની જોગવાઈઓ લાગુ પડશે નહિ.

પ્રાણી સંગ્રહાલય (ક. 38-એચ)

(1) સત્તાધિકારીએ માન્ય કરેલ હોય તે સિવાય કોઈ પ્રાણી સંગ્રહાલય કામગીરી કરી શકશે નહિ.

(1-એ) વન્ય પ્રાણી (સંરક્ષણ) સંશોધન ધારો, 2002 લાગુ થયા બાદ સત્તાધીશની પૂર્વપરવાનગી મેળવ્યા વગર કોઈ પ્રાણી સંગ્રહ્મલય ઊભું કરી શકાશે નહિ.

પરંતુ જોગવાઈ એવી કરવામાં આવે છે કે જો કોઈ પ્રાણી સંગ્રહાલય વન્ય પ્રાણી (સંરક્ષણ) (સુધારો) ધારો, 1991 શરૂ થયાની તારીખ અગાઉથી કામ કરતું હોય, તો આવી તારીખથી 18 મહિના સુધી આવું પ્રાણી સંગ્રહાલય કામગીરી કરી શકે છે અને જો ઉપયુક્ત સમયમાં માન્યતા માટે અરજી કરવામાં આવેલ હોય તો આવી અરજીનો નિકાલ ન થાય કે તે પાછી ખેંચવામાં ન આવે ત્યાં સુધી કે માન્યતાનો ઇન્કાર થવનાની બાબતમાં આવા ઇન્કારનો હુકમની તારીખથી વધારાના 6 માસ કામગીરી કરી શકે છે.

(2) પ્રાણી સંગ્રહાલયની માન્યતા માટેની દરેક અરજી નિયત કરવામાં આવે તેવા નમૂનામાં અને

તેવી ફીની ચુકવણી થયેથી સત્તાધિકારીને કરવામાં આવશે. (3) દરેક માન્યતા પત્રમાં શરતો, જો કાંઈ હોય તો, નિર્દિષ્ટ કરવામાં આવશે અને તેને આધીન રહીને અરજદાર પ્રાણી સંગ્રહાલયની કામગીરી કરશે.

(4) જ્યારે સત્તાધિકારીને એમ ખાતરી થાય કે વન્ય પ્રાણીના રક્ષણ અને જાળવણીનાં હિતો ધ્યાનમાં લઈને, નિયત કરવામાં આવેલ ધોરણો અને અન્ય બાબતોનું યોગ્ય પાલન કરવામાં આવેલ છે અને માન્યતા આપવી જોઈએ, તે સિવાય અન્ય કોઈ પ્રાણી સંગ્રહાલયને માન્યતા આપવામાં આવશે નહિ.

(5) અરજદારને સાંભળવાની વાજબી તક આપ્યા સિવાય પ્રાણી સંગ્રહાલયની માન્યતા માટેની અરજી રદ કરી શકાશે નહિ.

(6) પેટાકલમ (4) હેઠળ આપવામાં આવેલ માન્યતા, કારણોની લેખિત નોંધ કરીને સત્તાધિકારી મોકૂફ રાખી શકે અથવા રદ કરી શકે.

પરંતુ જોગવાઈ એવી કરવામાં આવેલ છે કે આવી મોકૂફ અથવા રદ કરવાનો હુકમ કરતાં અગાઉ પ્રાણી સંગ્રહાલયની કામગીરી કરતી વ્યક્તિને સાંભળવાની વાજબી તક આપવામાં આવશે.

(7) પેટાકલમ (5) હેઠળ કોઈ પ્રાણી સંગ્રહાલયને માન્યતા આપવાનો ઇન્કાર કરવાના હુકમ સામે અથવા પેટાકલમ (6) હેઠળ માન્યતા મોકૂફ કે રદ કરવાના હુકમની સામે કેન્દ્ર સરકારને અપીલ કરી શકાશે.

લ) પેસકલમ (લ) હેઠળની અપીલ કરવાના હુકમની જાણું અરજદારને થયાની તારીખથી 19. દિવસમાં કરવામાં આવશે.

પરંતુ જોગવાઈ બેથી કરવામાં આવે છે કે જો કેન્દ્ર સરકારને એમ ખાતરી થાય કે નિયત સમયમાં અપીલ રજૂ ન કરવાનું અરજદાર પાસે પૂરનું કારણ હનું નો ઉપયુક્ત સમય પૂરી થયા પછી પણ અપીલ દાખલ કરી શકાય.

પ્રાણી સંગ્રહાલય દ્વારા પ્રાણીની પ્રાપ્તિ

(B. 35-આઈ)

(1) આ કાયદાની અન્ય જોગવાઈઓને આપીન કોઈ પણ પ્રાણી સંગ્રહાલય પરિશિષ્ટ (1) અને (2)

માં નિદિષ્ટ કરેલ કોઈ પણ અન્ય પ્રાણી કે બદી પશુની પ્રાપ્તિ કે તબદિલી કે વેચાણ સત્તાધિકારીની પૂર્વપરવાનગી સિવાય કરી શકશે નહીં.

(2) કોઈ પણ પાણી સંગ્રહાલય માન્યતા પ્રાપ્ત (અધિકૃત) પ્રાણી સંગ્રહાલય સિવાયના અન્ય કોઈ પાસેથી કે અન્ય કોઈને વન્ય પ્રાણી કે બેદી પશુ પ્રાપ્ત, તબદિલ કે વેચાણ કરી શકશે નહી.

રાષ્ટ્રીય વન્ય પ્રાણી મંડળ / વન્ય પ્રાણી માટે રાષ્ટ્રીય મંડળની રચના (ક. 5.એ)

વન્ય (1) કેન્દ્ર સરકાર વન્ય પ્રાણી (સંરક્ષણ) સંશોધન ધારો, 2002 લાગુ થયાના ત્રણ માસની અંદર પ્રાણી માટેના રાષ્ટ્રીય મંડળની રચના કરશે જેમાં નીચે મુજબના સભ્યો રહેશે

વડાપ્રધાન અધ્યક્ષ તરીકે,

(બી) વનો અને વન્ય પ્રાણીનાં ખાતર્તાનો હવાલો સંભાળનાર મંત્રી ઉપાધ્યક્ષ તરીકે, (સી) સંસંદના ત્રણ સભ્યો પૈકી બે લોકસભામાંથી અને એક રાજ્યસભામાંથી;

(5) વનો અને વન્ય પ્રાણીનો હવાલો સંભાળનાર યોજના આયોગનો એક સભ્ય

(5) કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરાયેલ બિનસરકારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરનાર પાંચ વ્યક્તિઓ:

(એફ) કેન્દ્ર સરકાર દ્વારા શ્રેષ્ઠ સંરક્ષણવિદ્દો, સૃષ્ટિવિજ્ઞાનવિદ્દો અને પર્યાવરણવિદ્દોમાંથી નિયુક્ત કરવામાં આવેલ દસ વ્યક્તિઓ;

(6) કેન્દ્ર સરકારમાં વનો અને વન્ય પ્રાણીનો હવાલો સંભાળનાર મંત્રાલય અથવા વિભાગનાં ભારત સરકારના સચિવા

(એચ) લશ્કરના મુખ્ય અધિકારી;

(આઈ) ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયનો હવાલો સંભાળનાર સચિવ; ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના અર્થ વિભાગનો હવાલો

(3) સંભાળનાર સચિવ:

(3) ભારત સરકારનાં નાણાંમંત્રાલયના ખર્ચ વિભાગનો હવાલો સંભાળનાર સચિવ:

(એલ) ભારત સરકારનાં જનજાતિ કલ્યાણ મંત્રાલયનાં સચિવ:

(એમ) કેન્દ્ર સરકારમાં વનો અને વન્ય પ્રાણી વિભાગના અથવા મંત્રાલયના વન્ય ડાયરેક્ટ જનરલ;

(એન) ભારત સરકારના પર્યટન વિભાગમાં ડાયરેક્ટર જનરલ;

(সী) વન્ય સંશોધન અને શિક્ષા, દહેરાદૂનના ભારતીય પરિષદના ડાયરેક્ટ જનરલ:

(પી) ભારતીય વન્ય જીવ સંસ્થા, દહેરાદૂનના અધ્યક્ષ; (5) ભારતના પ્રાણીશાસ્ત્ર સંબંધી સંશોધનના અધ્યક્ષ:

(આર) ભારતના વનસ્પતિશાસ્ત્ર સંબંધી સંશોધનના અધ્યક્ષ; (એસ) ભારતીય પશુચિકિત્સા સંબંધી સંશોધન સંસ્થાના અધ્યક્ષ:

(ટી) કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય સત્તાના સભ્ય સચિવ;

(यु) સમુદ્રશાસ્ત્ર સંબંધી રાષ્ટ્રીય સંસ્થાના અધ્યક્ષ;

(વી) કેન્દ્ર સરકાર દ્વારા ક્રમાનુસાર, દમ રાજ્યો અને નરિ કેન્દ્રશાસિત પ્રદેોમાંથી, દરેકમાંથી એક એવા કરવામાં આવેલ પ્રતિનિધિઓ,

ઠબલ્યુ) વન્ય જીવ સંરક્ષણના અધ્યક્ષ કે જે રાષ્ટ્રીય મંડળના સભ્ય-સચિવ રહેશે.

( (2) હોલની રૂએ સભ્ય બનેલા સિવાયના સભ્યોના હોદાની મુદત, ખાલી જગ્યા ભરવા માટેની પદ્ધતિ કે જે પેટાકલમ (1)ના ક્લોઝ (ઈ) (બેક) અને (વી)માં દર્શાવેલ છે તે અને રાષ્ટ્રીય મંડળના સભ્યોએ કરવાનાં કાર્યો માટે અનુસરવાની પ્રક્રિયા નિયત કરવામાં આવે તે મુજબની રહેશે.

((3) હોદાની રૂબે સભ્ય બનેલા સિવાયના સભ્યો તેમણે બજાવેલ કરજોના સંબંધમાં તેમણે કરેલ ખેંચર્ચાઓ મુજબ ભથ્થા નિયત કરવામાં આવે તે મુજબ મેળવવાને પાત્ર થશે.

((4) તે સમયે અમલમાં હોય તેવા અન્ય કોઈ કાયદામાં કોઈ પણ જોગવાઈ હોય છતાં, રાષ્ટ્રીય મંડળના સભ્યોનું કાર્યાલય નફો મેળવવાનું કાર્યાલય માનવામાં આવશે નહિ.

રાષ્ટ્રીય મંડળની સ્થાયી સમિતિ (કલમ 5-બી)

(1) રાષ્ટ્રીય મંડળ, તેને યોગ્ય લાગે તો. રાષ્ટ્રીય મંડળ પ્રત્યાયુક્ત કરે તે ફરજો બજાવવા અને તે સત્તાનો ઉપયોગ કરવા એક સ્થાયી સમિતિની રચના કરશે.

(2) સ્થાયી સમિતિમાં ઉપાધ્યક્ષ, સભ્ય-સચિવ અને ઉપાધ્યક્ષ દ્વારા રાષ્ટ્રીય મંડળના સભ્યોમાંથી નિર્દેશિત કરવામાં આવે તેના દસ કરતાં વધુ નહિ તેટલા સભ્યો રહેશે.

((3) રાષ્ટ્રીય મંડળ, જરૂરિયાત મુજબ સમયે-સમયે તેને સોંપવામાં આવેલ કાર્યોની બજવણી માટે સમિતિઓ, પેટાસમિતિઓ અથવા અભ્યાસી સમૂહોની રચના કરી શકશે.

રાષ્ટ્રીય મંડળનાં કાર્યો (કલમ 5-સી)

(1) રાષ્ટ્રીય મંડળને યોગ્ય લાગે તેવા માપદંડો મુજબ વન્ય પ્રાણી અને વનોના સંરક્ષણ અને

વિકાસને પ્રોત્સાહન આપવાની રાષ્ટ્રીય મંડળની ફરજ રહેશે. (2) આગળની જોગવાઈઓની સામાન્યતાનો પૂર્વગ્રહ રાખ્યા સિવાય નીચે મુજબનાં પગલાંઓ લઈ શકશે.

(ये) વન્ય પ્રાણીના તેમજ વનપેદાશના સંરક્ષણને પ્રોત્સાહન આપતી અને વન્ય પ્રાણીના તેમજ વનપેદાશના ગેરકાયદેસર વેપાર તેમજ શિકારને અસરકારક રીતે અંકુશમાં લેવા માટેની નીતિઓ ઘડવી અને આ માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને સલાહ આપવી.

(બી) રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને બીજા સંરક્ષિત ક્ષેત્રો ઊભાં કરવા, તેમની વ્યવસ્થા કરવા અને આવા વિસ્તારોમાંની પ્રવૃત્તિઓ પર નિયંત્રણો મૂકવા અંગેની ભલામણો કરવી.

(सी) વન્ય પ્રાણી અથવા તેમના કુદરતી નિવાસસ્થાન ઉપર કરવામાં આવતી વિવિધ યોજનાઓ અને પ્રવૃત્તિઓની અસરની તપાસ હાથ ધરવી અથવા કરાવવી. (ડી) દેશમાં વન્ય પ્રાણીના સંરક્ષણ ક્ષેત્રમાં થયેલ વિકાસનું સમયે - સમયે મૂલ્યાંકન

(ઈ) કરવું અને આ સંદર્ભમાં સુધારો લાવવા માટે ધારાધોરણો સૂચવવાં. દેશમાં વન્ય પ્રાણીની સ્થિતિના સંદર્ભમાં ઓછામાં ઓછા બે વર્ષમાં એક વાર અહેવાલ તૈયાર કરી જાહેર કરવો.

 વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એક્ટ, 1972નાં લક્ષણો, ઉદ્દેશો તેમજ ભૂમિકા 

વર્તમાનમાં ભારતમાં જંગલોનો મોટાં પ્રમાણમાં નાશ થયો છે. અગાઉ આપણે ત્યાં સારાં પ્રમાણમાં જંગલો હતા. વૃક્ષછેદન તેમજ વન્ય પ્રાણીઓના શિકારથી પર્યાવરણમાં ઘણી અસમતુલા પેદા થઈ છે. સૌ પ્રથમ રાજા અશોકના સમયમાં વન્ય પ્રાણી તથા પર્યાવરણ સુરક્ષા પારી પડાયો હતો. ત્યારબાદ ઉમેરિશ સરકારે વન્ય પ્રાણી સુરક્ષા ધારો. 1887 પડેલ હતો. આ કાયદાથી પક્ષીઓના વેચાણ પર પ્રતિબંધ મુકાથી હતો. પરંતુ તેની હત્યા પર કોઈ પ્રતિબંધ હતો નહીં. ત્યારબાદ બ્રિટિશ સરકારે via buds to formal Protection Act, 1912 4યો હતો. આ કાયદાથી પક્ષીઓ તેમજ પ્રાણીઓની હત્યા પર પ્રતિબંધ મૂકાયો હતો. આ કાયદો 1935માં સુધારાયો હતો.

ભારતીય બંધારણમાં આ વિષય રાજ્ય થાદીની નોંધ 20માં મૂકાયો છે. સપ્ટે. 1972માં કેન્દ્ર સરકારે આ કાયદો પડયો છે. અનુ 48A થી પર્યાવરણ, જંગલ તેમજ વન્ય પ્રાણીની સુધારણા અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ નિયત કરવામાં આવી છે. આ કાયદામાં 1982 1986, 1991, 1993, 1995 તેમજ 2002માં સુધારાઓ થયા છે. વન્ય છોડનાં રક્ષણ અંગે સૌ પ્રથમ નવું પ્રકરણ દાખલ કરવામાં આવેલ છે.

ઉદ્દેશ

આ કાયદાનો ઉદ્દેશ વન્ય પક્ષી, પ્રાણીઓ, જંગલ, છોડ વગેરેનું જતન-રક્ષણ કરવાનો છે. વન્ય પક્ષી તેમ જ પ્રાણીઓની થતી હત્યા અટકાવવાનો છે. આ કાયદા હેઠળ અભ્યારણ, રાષ્ટ્રીય ઉપવનો જાહેર કરી તેની જાળવણી કરી. છોડની વિવિધ પ્રજાતિઓની જાળવણી કરવાનો છે.

લક્ષણો

1. આ કાયદાથી વન્ય પક્ષી, પ્રાણી તેમજ છોડને રક્ષણ આપવામાં આવેલ છે. કાયદાની જોગવાઈના ભંગ બદલ કડક શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલ છે.

2. આ કાયદામાં એક ખાસ જોગવાઈ એ છે કે આ કાયદાના ભંગ બદલ સ્વૈચ્છિક સંસ્થાઓને અદાલતી કાર્યવાહી કરવાની સત્તા અપાયેલ છે. આ અગાઉ સ્વૈચ્છિક સંસ્થાઓને આ સત્તા નહીં. તેમને માત્ર અહેવાલ કરવાની સત્તા હતી.

3. વન્ય પ્રાણી અભ્યારણના 10 કિ.મી.ના રહેતા લોકોને રાજ્ય સરકારની પરવાનગી વિના હથિયાર રાખવા પર પ્રતિબંધ મૂકાયેલ છે. 

4. અભ્યારણમાં છોડ કાપવાની તેમજ પક્ષી કે પ્રાણીની હત્યા કરવાની મનાઈ કરમાવવામાં આવેલ

5. હાથીદાંતમાંથી બનતી વસ્તુઓના વેપાર પર પ્રતિબંધ મૂકાયો છે.

6. વન્ય પશુ-પ્રાણીઓની હેરફેરની મનાઈ કરમાવાયેલ છે. તે માટે રાજ્ય સરકારની પૂર્વપરવાનગી

હોવી જરૂરી છે. 

7. આ કાયદાનો ભંગ કરવા ઉપયોગમાં લેવાયેલ સાધનો, વહાણો અને હથિયારો જપ્ત કરવાની સરકારને સત્તા છે. 

8. આ કાયદાથી સૌ પ્રથમ છોડને રક્ષણ આપવામાં આવેલ છે.