આપણે અવાર નવાર સાંભળતા હોઈએ છીએ કે કોઈ એ કરેલા ખોટા કેસ ના લીધે નિર્દોષ વ્યક્તિ ને કારણ વિના હેરાન થતા હોય છે. પરંતુ આવા સમયે જો તે વ્યક્તિ પોતાની ધરપકડ સમયે જયારે આરોપી ને મળતા અધિકારો બાબતે સજાગ હોય તો તેને આ જાણકારી ઘણી જ રીતે મદદરૂપ બને છે. જો તે નિર્દોષ હશે તો તેને પોતે નિર્દોષ છે તેવું સાબિત કરવું ઘણું જ સરળ બની શકશે. વિના કારણે કોઈએ કરેલા કેસ બાબતે વધુ હેરાન થવાનો વારો નહિ આવે.
તો ચાલો આપણે જાણીયે કે બંધારણ દ્વારા ધરપકડ કરાયેલ વ્યક્તિને મળતા અધિકારો અને રક્ષણો બાબતે શું શું જોગવાઈ કરવામાં આવી છે ?
ગુનાનો આરોપ મૂકાયેલ વ્યક્તિઓને બંધારણના અનુચ્છેદ 20થી 22 થી કેટલાંક રક્ષણો આપવામાં આવેલ છે. અનુચ્છેદ 20થી અપાયેલ ત્રણ રક્ષણો નીચે મુજબ ત્રણ ભાગોમાં વહેંચી શકાય.
- પશ્ચાદવર્તી કાયદાઓ સામે રક્ષણ,
- એક જ ગુના માટે એકથી વધારે વખત કામ ચલાવવા માટે રક્ષણ,
- સ્વદીપ રોપણ સામે રક્ષણ.
હવે દરેક વિશે. આપશે થોડી વિગત જોઈએ.
1. પશ્ચાદવર્તી કાયદાઓ સામે રક્ષણ
કોઈ કૃત્ય બન્યા બાદ કોઈ કાયદો ઘડાય અને આવા કાયદા હેઠળ તે કૃત્યને ગુનાહિત જાહેર કરી તેના માટે સત્ત નિયત કરાય, તો આવો કાયદો પશ્વlદવર્તી (Retrospective) કાયદો છે. જે કૃત્ય ગુનાહિત હોય તે કૃત્ય કરતી વખતે જે કાયદો અમલમાં હોય તે કાયદા હેઠળ જ તે કૃત્ય બદલ ગુનેગારને સજા કરી શકાય છે. કૃત્ય બનવાના સમયે તે કૃત્ય નિર્દોષ હોય (એટલે કે ગુનાહિત ન હોય) અને ત્યારબાદ પડાયેલ કાયદા હેઠળ તેને પશ્વાદવર્તી આપી તેને ગુનાહિત જાહેર કરી શકાય નહીં. બીજા શબ્દોમાં કહીએ તો કૃત્ય કરતી વખતે પ્રવર્તમાન કાયદાનો કોઈ વ્યક્તિએ ભંગ કરેલ હોય, તો જ તેને દોષિત કરાવી શકાય. પ્રવર્તમાન કાયદાનો કોઈ વ્યક્તિએ ભંગ કર્યો ત્યારે કહેવાય કે જયારે તે વ્યક્તિએ કોઈ શિલાપાત્ર કૃત્ય કરેલ હોય. કૃત્ય થઈ ગયા પછી પડાયેલ કાયદાથી આવો કૃત્યને પશ્વાદવર્તી અસરથી ગુનાહિત કૃત્ય જાહેર કરાયું તો તેનાથી આ અનુચ્છેદનો ભંગ થાય છે.
આનો સીધો અર્થ એ થાય કે કોઈ વ્યક્તિને ગુના માટે દોષિત ત્યારે જ ઠરાવી શકાય કે જયારે તેણે કરેલ કૃત્યના સમયે પ્રવર્તમાન કાયદા પ્રમાણે તે કૃત્ય ગુનો બનતું હોય. જો કૃત્ય કર્યાના સમયે પ્રવર્તમાન કાયદા હેઠળ તે કૃત્ય ગુનાહિત ન હોય, તો પાછળથી કરાયેલ કાયદાથી તેને પશ્ચાદવર્તી અસરથી તે કૃત્યને ગુનાહિત જાહેર કરી શકાય નહીં. આ સિદ્ધાંત વધુમાં એમ કહે છે કે કોઈ વ્યક્તિને ગુનો કરતી વખતે પ્રવર્તમાન કાયદાથી કરી શકાઈ હોત તેનાથી વધુ સજા કરી શકાય નહીં. એટલે કે ગુનો થયાના સમયે અમલમાં હોય તે કાયદા હેઠળ નક્કી થયેલ શિક્ષા જ ગુનેગારને કરી શકાય. પશ્ચાદવર્તી કાયદાથી તેને વધારે સજા કરી શકાય નહીં.
2. એક જ ગુના માટે એકથી વધારે વખત કામ ચલાવવા સામે રક્ષણ
અનુચ્છેદ 20(2) હેઠળ એવા મૂળભૂત અધિકારની ખાતરી અપાયેલ છે કે એક જ ગુના માટે (For the same offence) એક જ વ્યક્તિ પર એકથી વધારે વખત કામ ચલાવી શકાય નહીં. યોગ્ય હકૂમત ધરાવતી અદાલતે કોઈ વ્યક્તિને કોઈ એક ગુના બદલ દોષિત કરાવી શિક્ષા કરેલ હોય, તો તે વ્યક્તિ સામે તે જ ગુનાસર ફરીવાર કામ ચલાવી તેને દોષિત ઠરાવી શિક્ષા કરી શકાતી નથી.
કોઈ વ્યક્તિને એક જ ગુના સબબ બે વખત ભયમાં મૂકવા સામે રક્ષણ આપતા આ સિદ્ધાંતને અંગ્રેજીમાં Doctrine of Protection against Double Jeopardy તરીકે ઓળખવામાં આવે છે. ઈંગ્લેન્ડમાં કોમન લો અને અમેરિકાનાં બંધારણમાં પણ આ સિદ્ધાંત સ્વીકારાયો છે. આ સિદ્ધાંતનો બચાવ લઈ શકાય તે માટે એ જરૂરી છે કે વાદગ્રસ્ત ગુનાઓ એક જ અથવા તમામ બાબતોમાં એકસરખા હોવા જોઈએ. જ્યારે જુદાંજુદાં તત્વોના બે અલગ ગુનાઓ હોય. ત્યારે તેને એક જ ગુનો (Same offence) ગણી શકાય નહીં. આ સિદ્ધાંતનો બચાવ લઈ શકાય તે માટે એ જરૂરી છે કે કોઈ એક વ્યક્તિ પર કામ ચલાવવામાં (Prosecution) આવેલ હોવું જોઈએ અને તેને શિક્ષા થયેલ હોવી જોઈએ. જ્યારે ફક્ત કામ ચલાવવામાં આવેલ હોય, પરંતુ શિક્ષા થયેલ ન હોય, ત્યાં આ જોગવાઈ લાગુ પડતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો જે વ્યક્તિ સામે કામ ચલાવવામાં આવેલ હોય અને તેને જો નિર્દોષ છોડી મૂકાયેલ હોય, તો તેની સામે તે જ ગુનાસર ફરીવાર કામ ચલાવી શકાય છે. આવા સમયે આ અનુચ્છેદ નો પ્રતિબંધ લાગુ પડતો નથી.
આ અનુચચ્છેદ હેઠળનો પ્રતિબંધ લાગુ પાડી શકાય તે માટે એ જરૂરી છે કે,
- કોઈ વ્યક્તિ સામે ગુનાનો આરોપ મૂકાયેલ હોવો જોઈએ, –
- તેની સામે કોઈ અદાલત કે જયુડિશિયલ ટ્રિબ્યુનલ સમક્ષ કામ ચલાવાયું હોવું જોઈએ. ફક્ત તપાસ (inquiry) સ્વરૂપની કામગીરી હોય, તો કામ ચલાવાયું (Prosecution) હોવાનું કહી ન શકાય,
- તેને દોષિત ઠરાવી શિક્ષા થયેલ હોવી જોઈએ.
જ્યારે કોઈની સામે એક વખત કોઈ એક ગુના બદલ કામ ચલાવાયું હોય અને તેમાં તેને શિક્ષા કરાયેલ હોય, પરંતુ બીજા વખત અન્ય કોઈ ગુનાસર તેની સામે કામ ચલાવવામાં આવે. તો આ પ્રતિબંધ લાગુ પડતો નથી. તે જ રીતે, સક્ષમ હકૂમત ધરાવતી અદાલત (Court of Competent Jurisdiction) સમક્ષ કામ ચલાવાયું હોવું જોઈએ અને આવી અદાલતે ગુના બદલ આરોપીને દોષિત ઠરાવી શિક્ષા કરેલ હોવી જોઈએ. જો સક્ષમ હકૂમત ન ધરાવતી અદાલતે શિક્ષા કરેલ હોય, તો આવા ગુનેગાર સામે ફરીથી તે જ ગુના બદલ ફરીથી કામ ચલાવી શકાય છે. અનુચ્છેદ 20(2) મુજબ, એક વ્યક્તિ સામે એક ગુના સતત કામ ચલાવી તેને શિક્ષા કરેલ હોય, તો ફરીથી તે જ ગુનાસર તેની સામે કામ ચલાવી તેને શિક્ષા કરી શકાતી નથી. ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973, ક. 300(1) પણ જણાવે છે કે તે જ હકીકતોના કારણસર આરોપી સામે બીજા કોઈ ગુના હેઠળ કામ ચલાવીને તેને શિક્ષા કરી શકાતી નથી.
3. સ્વદોષારોપણ સામે પ્રતિબંધ
અનુચ્છેદ 20(3) એમ જાહેર કરે છે કે જેના પર ગુનાનો આરોપ મૂકાયેલ હોય, તેને પોતાની વિરુદ્ધ સાક્ષી બનવાની ફરજ પાડી શકાતી નથી. આને સ્વદોષારોપણ સામે પ્રતિબંધના સિદ્ધાંત (Doctrine against self- incrimination) તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકાનાં બંધારણમાં પણ એમ જોગવાઈ છે કે “No person shall be compelled in any criminal case to be a witness against himself".દિલ્હી જ્યુડીસિયલ સર્વિસ એસોસિયેશન વિ. સ્ટેટ ઑફ ગુજરાત કેસમાં આરોપીને મળતો આ અધિકાર નીચેનાં ઘટક તત્ત્વો ધરાવતો હોવાનું જણાવવામાં આવેલ છે.
- જેના પર કોઈ ગુનાનો આરોપ મૂકાયેલ હોય તે વ્યક્તિને લગતો આ અધિકાર છે.
- સાક્ષી થવા માટે કરવામાં આવતા દબાણ સામે રક્ષણનો આ અધિકાર છે.
- આવું દબાણ તેને પોતાની જાત વિરુદ્ધ પુરાવો આપવાને લગતું હોવું જોઈએ.
ભારતીય વિધિશાસ્ત્ર નિયમ પ્રમાણે આરોપીનો ગુનો નિઃશંક પુરવાર ન થાય ત્યાં સુધી આરોપી નિર્દોષ હોવાનું અનુમાન કરવામાં આવે છે. ફરિયાદ પક્ષે આરોપીનો ગુનો નિઃશંકપણે પુરવાર કરવાનો હોય છે. આરોપીને તેની ઇચ્છા વિરુદ્ધ કોઈ નિવેદન આપવા ફરજ પાડી શકાતી નથી. આ વિશેષાધિકાર, જેના પર ગુનાનું તહોમત મૂકાયેલ હોય તેને જ મળી શકે છે. તે માટે એ જરૂરી નથી કે ઈન્સાફી કાર્યવાહી (Trial) શરૂ થયેલી હોવી જોઈએ. જેના પર અદાલત તિરસ્કારના ગુનાનું તહોમત હોય, તે આ અર્થમાં ગુનેગાર નથી. જ્યારે શક પરથી પોલીસ કોઈની પૂછપરાક કરે ત્યારે તે આ અર્થમાં આરોપી છે. જેના પર ગુનાનું તહોમત મૂકાયેલ હોય તેવી વ્યક્તિમાં શકમંદ વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. આમ, અનુચ્છેદ 20(3) હેઠળનું રક્ષણ પોલીસ પૂછપરછને પણ લાગુ પડે છે. જેના પર ગુનાનું તહોમત મુકાવેલ હોય તે વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી આપવા થતા દબાણ સામે મળતું આ રક્ષણ છે. સાક્ષી થવું એટલે આરોપી તરફથી અદાલતમાં કે તેની બહાર મૌખિક કે લેખિત નિવેદન કરવું. 'સાક્ષી થવું” અને “પુરાવો રજૂ કરવો' બંને વચ્ચે તફાવત છે. તેથી અંગુઠાની છાપ લેવામાં આવે તો આ અર્થમાં તે નિવેદન નથી અને આ રક્ષણ તેવા પ્રસંગે મળી શકતું નથી.
આ રક્ષણ આરોપીને તેની વિરુદ્ધ પુરાવો આપવા સામેના દબાણ સામે મળે છે. જો આરોપી સ્વેચ્છાએ ગુનાની કબુલાત (Confession) કરે, તો આ રહગ્નનો લાભ મળતો નથી. આ રક્ષણનો લાભ મળવા માટે એમ બતાવવું જોઈએ કે પોતાની વિરુદ્ધ સાથી બનવાની આરોપીને ફરજ પાડવામાં આવી હતી. જો પોલીસે ઘણા કલાકો સુધી આરોપીની પૂછપરછ કરીને તેની પાસેથી તેની વિરુદ્ધનું નિવેદન મેળવેલ હોય, અથવા આરોપીને હેરાન કરી, ધાકધમકી કે લાલચ આપીને તેની વિરુદ્ધનું નિવેદન મેળવેલ હોય, તો અનુચ્છેદ 20(3)નો લાભ મળી શકે છે. સર્વોચ્ચ અદાલતે એક કેસમાં ઠરાવેલ છે કે આરોપીના આંગળાની છાપ કે હસ્તાક્ષર લેવામાં આવે, તો આરોપીનો અનુચ્છેદ 20(3) હેઠળ અપાયેલ સ્વાતંત્ર્યનો ભંગ થતો નથી.