ગ્રામ પંચાયતોના હિસાબોનું ઓડિટ
ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં પ્રકરણ 5 માં પંચાયતોના કામકાજનું સંચાલન, તેની વહીવટી સત્તા અને ફરજો, તેની મિલકત અને ફંડ તથા હિસાબો વગેરે બાબત દર્શાવવામાં આવી છે. અહીંયા આપણે ભાગ ૧ માં ગ્રામપંચાયતોને લગતી જોગવાઈઓ માં ગુજરાત પંચાયત અધિનિયમ 1993 કલમ 121 માં ગ્રામ પંચાયતના થતા ઓડિટ વિશેની માહિતી મેળવશું.
૧૨૧. (૧) પંચાયતના હિસાબોનું ઓડિટ ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, ૧૯૬૩ની જોગવાઈઓ હેઠળ કરવું જોઈશે અને ઓડિટ પૂરું કર્યા પછી, એક મહિનાની અંદર ઓડિટ નોંધની એક નકલ પંચાયતને અને તાલુકા પંચાયતને મોકલવી જોઈશે.
(૨) પેટા-કલમ (૧)માં ઉલ્લેખેલી ઓડિટ નોંધ મળે એટલે, પંચાયતે ઓડિટની નોંધમાં દર્શાવવામાં આવી હોય તેવી કોઈ ખામીઓ અથવા નિયમ દોષ સુધારવા જોઈશે અને તે પ્રમાણે કર્યાની ખબર ત્રણ મહિનાની અંદર તાલુકા પંચાયતને મોકલવી જોઈશે અથવા આવી ખામીઓ અથવા નિયમ-દોષના સંબંધમાં, જે કાંઈ વધુ ખુલાસો તે આપવા માંગતી હોય તે ખુલાસો તેણે સદરહુ મુદતની અંદર તાલુકા પંચાયતને પૂરો પાડવો જોઈશે.
(૩) આવી ખબર અથવા ખુલાસો મળે એટલે, તાલુકા પંચાયત ઓડિટની નોંધમાં ચર્ચેલી સઘળી બાબતો અથવા તે પૈકી કોઈ બાબતના સંબંધ -
(ક) પંચાયતે આપેલી ખબર અથવા ખુલાસો સ્વીકારી શકશે અને વાંધો પાછો ખેંચી લેવાની કલેક્ટરને ભલામણ કરી શકશે.
અથવા
(ખ) આગામી ઓડિટ વખતે અથવા તે પહેલાંની કોઈ તારીખે તે બાબતની ફરી તપાસ કરવી એવો આદેશ કરી શકશે,
(ગ) ઓડિટની નોંધમાં દર્શાવેલી ખામીઓ અથવા નિયમ દોષો અથવા તે પૈકી કોઈપણ ખામી અથવા નિયમ દોષ દૂર કરવામાં અથવા સુધારવામાં આવ્યા નથી એમ ઠરાવી શકશે.
(૪) પેટા-કલમ (૨)માં ઉલ્લેખેલી કરેલી ખબર અથવા ખુલાસો, પોતાને મળ્યાની તારીખથી એક મહિનાની અંદર અથવા પંચાયત આવી ખબર અથવા ખુલાસો આપવાનું ચૂકે ત્યારે સદરહુ પેટા-કલમ (૨)માં ઉલ્લેખ કરેલી ત્રણ મહિનાની મુદત પૂરી થયેથી, તાલુકા પંચાયતે પોતાના નિર્ણયનો રિપોર્ટ કલેકટરને મોકલવો જોઈશે અને એવા રિપોર્ટની એક નકલ પંચાયતને મોકલવી જોઈશે જે કોઈ ખામીઓ અથવા નિયમ-દોષ દૂર કરવામાં અથવા સુધારવામાં આવ્યા નથી એમ તાલુકા પંચાયત ઠરાવે, તે તેણે પોતાના અભિપ્રાય પ્રમાણે તે ખામીઓ અથવા આવા નિયમ-દોષ સુધારી શકાય એમ છે કે કેમ, અને જો તે પ્રમાણે સુધારી શકાય એમ હોય, તો તે કેવી રીતે અને જો તે સુધારી શકાય એમ ન હોય, તો તે માફ કરી શકાય એમ છે કે કેમ, અને જે તે પ્રમાણે માફ કરી શકાય એમ હોય તો, ક્યા અધિકારીથી માફ કરી શકાય છે, તે ભાબત પોતાના રિપોર્ટમાં જણાવવી. વળી જે રકમને લગતી તે ખામીઓ અથવા નિયમ-દોષો હોય તે રકમ બદલ, તેના અભિપ્રાય અનુસાર હવે પછી ઠરાવ્યા પ્રમાણે, સરચાર્જ લેવો કે કેમ તે પણ તાલુકા પંચાયતે પોતાના રિપોર્ટમાં જણાવવું જોઈશે.
(૫) કલેકટર, તાલુકા પંચાયતનો રિપોર્ટ વિચારણામાં લીધા પછી તથા પોતાને જરૂર લાગે એવી વધુ તપાસ કર્યા પછી, જે બાબત પોતાને કાયદા વિરૂદ્ધ હોવાનું જણાય તે બાબત નામંજૂર કરી શકશે અને ગેરકાયદેસર રીતે નાણાં આપનાર અથવા એ રીતે નાણાં આપવાને અધિકૃત કરનાર વ્યકિત પાસેથી સચાર્જ વસૂલ કરી શકશે અને
(ક) જે વ્યક્તિ પારોથી સરચાર્જ લઈને રકમ વસૂલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત સભ્ય હોય, તો તેની વિરૂદ્ધ કલમ ૨૬૭ની પેટા-કલમ (૨) અને (૩)માં વર્ણવેલી રીતે કાર્યવાહી કરી શકશે; અને
(ખ) જે વ્યકિત પાસેથી સરચાર્જ લઈને રકમ વસૂલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત સભ્ય ન હોય, તો તેનો ખુલાસો લીધા પછી, લેખિત હુકમ કરીને એમ ફરમાવી શકશે કે સરચાર્જ લઈને જે રકમ વસૂલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હોય તે રકમ, આવી વ્યકિતએ પંચાયતને ભરવી જોઈશે અને જો રકમ એક મહિનાની અંદર એવી રીતે ભરવામાં ન આવે તો, કલેક્ટરે તે રકમ જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલ કરવી અને ગ્રામ ફંડ ખાતે જમા કરવી જોઈશ.
(૬) આ કલમ હેઠળ કલેક્ટરે કરેલા સરચાર્જ અંગેના કોઈ હુકમથી નારાજ થયેલી વ્યક્તિ, કલેક્ટરને નિર્ણય તેને મળે તે તારીખથી એક મહિનાની અંદર, જિલ્લા કોર્ટને, આવા હુકમમાં સુધારો કરવા અથવા તે રદ કરવા માટે અરજી કરી શકશે અને તે કોર્ટ પોતાને જરૂરી લાગે તેવો પુરાવો લીધા પછી, આવા સરચાર્જને બહાલી આપી શકશે. તેમાં સુધારો કરી શકશે અથવા તે માફ કરી શકશે અને તે સંજોગોમાં તેને યોગ્ય લાગે તેવા ખર્ચને લગતો હુકમ કરી શકશે.
(૭) તાલુકા પંચાયત લેખિત હુકમ કરીને, એમ ફરમાવી શકશે કે પેટા-કલમ (૩) અને (૪) હેઠળના તેના સઘળા કાર્યો અથવા તે પૈકી કોઈ કાર્ય તેની સમિતિઓ પૈકી કોઈ એક સમિતિ પણ બજાવી શકશે.
TAGS
#ગ્રામપંચાયત #PanchayatAudit #AuditRules #GujaratLaw #LocalFundAudit #PanchayatHisab #TalatiMantri #GramPanchayat #RuralGovernance #AuditProcess #IndianLaw #GujaratPanchayat #VillageAdministration #PanchayatRules #Transparency #GovernmentAudit #GramVikas #LegalAwareness #PanchayatAct #GujaratAudit
Source: લૉ સાહિત્ય 9978399925
(આ માહિતી માત્ર માહિતી માટે છે, કાનૂની સલાહ નથી)