ગુજરાતના 25 વર્ષીય મહિલા સરપંચે ‘સમરસ’ મોડેલને પડકાર્યો, 104 મતોથી ચૂંટણી જીતી
જૂન ૨૦૨૫ માં જ્યારે સમગ્ર ગુજરાતમાં ૪,૫૬૪ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ, ત્યારે ૭૬૧ ગામોએ મતદાન ટાળીને બિનહરીફ સમરસ મોડેલ હેઠળ સર્વસંમતિથી નેતાઓની પસંદગી કરી હતી. આ બિનહરીફ પંચાયતોને રાજ્ય સરકાર તરફથી રોકડ પ્રોત્સાહનો આપવામાં આવે છે, જે નીતિ નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રજૂ કરવામાં આવી હતી અને હવે અન્ય રાજ્યો દ્વારા તેનું અનુકરણ કરવામાં આવી રહ્યું છે.
પરંતુ ૨૫ વર્ષીય સત્યાશા જગદીશચંદ્ર લેઉવા, સાબરકાંઠાના વડવાસામાં ઉછર્યા હતા અને ગામની નબળી માળખાકીય સુવિધા સાથે સંઘર્ષ કરતા હતા. શાળાના વર્ષોમાં, તે વર્ગો અને ટ્યુશન માટે દરરોજ ૭ કિમી મુસાફરી કરતી હતી, ઘણીવાર કાદવવાળા રસ્તાઓ પરથી પસાર થતી હતી. આમ તેને તમના ગામની હાલાકી સહન કરેલ હતી.
આજે પણ, ગામડાની શાળા ફક્ત 8 ધોરણ સુધી જ ચાલે છે અને ગરીબ પરિવારોની ઘણી છોકરીઓ વહેલા અભ્યાસ છોડી દે છે. ગંદુ પાણી ગલીઓમાં ભરાઈ જાય છે અને મૂળભૂત સ્વચ્છતાનો અભાવ છે.
સત્યેશાએ અમદાવાદમા કાયદાની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, એક ‘સ્પષ્ટ સંકલ્પ’ સાથે પાછી ફરી: તે જે ગામમાં ઉછરી હતી તેને સુધારવા માટે ૨૦૨૫માં સરપંચની ચૂંટણી લડવાનું નક્કી કર્યું.
પણ ગામના વડીલોની યોજના બીજી હતી. નામાંકન પહેલાં બે દિવસ દરમિયાન વડવાસામાં બેઠકો યોજાઈ હતી. વડીલો અને સ્થાનિક પ્રભાવકોએ સમરસ મોડેલને અનુસરવાનો આગ્રહ રાખ્યો હતો, એટલે કે ફક્ત એક જ ઉમેદવાર નામાંકન દાખલ કરશે જેથી ગામ "સમરસ" પંચાયત હોવા બદલ સરકારી ગ્રાન્ટ મેળવી શકે.
"સત્યશાએ આને ચૂંટણી લડવાના તેમના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન માનીને નામકન પાછું ખેંચવાનો ઇનકાર કર્યો. "નામાંકન પહેલાં પણ, પ્રભાવશાળી લોકો દવારા મીટિંગો બોલાવીને દબાણ કરવામાં આવ્યું હતું. પણ તેને નામાંકન પાછું ખેંચવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. પિતાના દબાણ અને વડીલોના ટોણા છતાં, તેણીએ પોતાનું નામાંકન નોંધાવ્યું. અને આ કામમાં ગામના યુવાનોનો તેને સાથ પણ મળ્યો અને તેણીએ સરપંચ પદ ૧૦૪ મતોથી જીત મેળવી.
વિજયી હોવા છતાં, સત્યશાને હજુ પણ સામાજિક પ્રતિકારનો સામનો કરવો પડે છે. વડીલો તેને યાદ અપાવવાનું ચાલુ રાખે છે કે સમરસ વિના, પંચાયતને વધારાની ગ્રાન્ટ મળશે નહીં, જે 5,000 થી ઓછી વસ્તીવાળા ગામોની પંચાયતો માટે ₹3 લાખ હોઈ શકે છે.
પણ સત્યેશા પોતાના ધ્યેયથી ડગી નહિ. તેમેને ગામના વિકાસના કામો પોતાના હાથ પર લીધા છે.
તેણીની પ્રાથમિકતાઓ સ્પષ્ટ છે:
શિક્ષણમાં સુધારો, સ્વચ્છતા વધારવી અને ગલીઓમાંથી સ્થિર પાણી સાફ કરવું વહીવટીતંત્રના સહયોગથી યુવા રોજગાર યોજનાઓ ઉપર કામ કરવું વગેરે સાથે પુસ્તકાલય સ્થાપવાનો પણ સમાવેશ થાય છે.
TAGS
#samras #satyesha #sabrkatha #vadvasa #panchayat
Source: down to erth news
(આ માહિતી માત્ર માહિતી માટે છે, કાનૂની સલાહ નથી)