રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં હાલ નહીં થાય ડિમોલિશન, હાઈકોર્ટનો મોટો આદેશ! | Jangleshwar | Rajkot | Demolition |
રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં હાલ નહીં થાય ડિમોલિશન, હાઈકોર્ટનો મોટો આદેશ!
![]() |
| | Jangleshwar | Rajkot | Demolition | |
રાજકોટ: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર બનેલી ગેરકાયદે સોસાયટીઓના મકાનમાલિકોને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે 3 મહિના સુધી ડિમોલિશન પર સ્ટે આપી દીધો છે. GRTને અરજદારોની અપીલ પર 3 મહિનામાં નિર્ણય કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ અરજદારોને રિહેબિલિટેશન માટે પણ વિચારણા કરવાની સૂચના આપી છે.
મામલાની પૃષ્ઠભૂમિ
- સરકારી જમીન પર બનેલી ગેરકાયદેસર સોસાયટીઓના મકાનમાલિકોને તંત્ર દ્વારા જમીન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી.
- 27 જાન્યુઆરીના રોજ છેલ્લી ડિમોલિશન નોટિસો ફટકારવામાં આવી હતી.
- નોટિસ મુજબ 7 દિવસમાં જમીન ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું.
- આનાથી વિસ્તારમાં ડરનો માહોલ ફેલાયો હતો. મોટાભાગના રહીશો ડેમોલિશનના ભયથી પોતાના મકાનો ખાલી કરી અન્યત્ર જવા લાગ્યા હતા.
- રહીશોનું કહેવું હતું કે અમે વર્ષોથી અહીં વસવાટ કરીએ છીએ, હવે અમે ક્યાં જઈશું?
હાઈકોર્ટના મુખ્ય આદેશો
- 3 મહિના સુધી જંગલેશ્વરમાં કોઈ ડિમોલિશન નહીં થાય.
- GRTને અરજદારોની અપીલ પર 3 મહિનામાં નિર્ણય કરવાનો આદેશ.
- અરજદારોને રિહેબિલિટેશન માટે વિચારણા કરવાની સૂચના.
- અરજદારોએ ડિમોલિશન નોટિસને હાઈકોર્ટ તથા GRTમાં પડકારી છે.
.jpg)