રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં હાલ નહીં થાય ડિમોલિશન, હાઈકોર્ટનો મોટો આદેશ!
રાજકોટ | 31 જાન્યુઆરી ૨૦૨૬
![]() |
| | Jangleshwar | Rajkot | Demolition | |
જંગલેશ્વરના ડિમોલિશન મામલે હાઈકોર્ટનો મહત્વનો આદેશ! 3 મહિના સુધી જંગલેશ્વરમાં ડિમોલિશન નહીં થાય. હાઈકોર્ટે GRTને અપીલ પર નિર્ણય કરવા આદેશ આપ્યો છે. અરજદારોને રિહેબિલિટેશન માટે પણ કન્સીડર કરવા સૂચના આપી છે.
રાજકોટ: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર બનેલી ગેરકાયદે સોસાયટીઓના મકાનમાલિકોને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે 3 મહિના સુધી ડિમોલિશન પર સ્ટે આપી દીધો છે. GRTને અરજદારોની અપીલ પર 3 મહિનામાં નિર્ણય કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ અરજદારોને રિહેબિલિટેશન માટે પણ વિચારણા કરવાની સૂચના આપી છે.
મામલાની પૃષ્ઠભૂમિ
- સરકારી જમીન પર બનેલી ગેરકાયદેસર સોસાયટીઓના મકાનમાલિકોને તંત્ર દ્વારા જમીન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી.
- 27 જાન્યુઆરીના રોજ છેલ્લી ડિમોલિશન નોટિસો ફટકારવામાં આવી હતી.
- નોટિસ મુજબ 7 દિવસમાં જમીન ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું.
- આનાથી વિસ્તારમાં ડરનો માહોલ ફેલાયો હતો. મોટાભાગના રહીશો ડેમોલિશનના ભયથી પોતાના મકાનો ખાલી કરી અન્યત્ર જવા લાગ્યા હતા.
- રહીશોનું કહેવું હતું કે અમે વર્ષોથી અહીં વસવાટ કરીએ છીએ, હવે અમે ક્યાં જઈશું?
હાઈકોર્ટના મુખ્ય આદેશો
- 3 મહિના સુધી જંગલેશ્વરમાં કોઈ ડિમોલિશન નહીં થાય.
- GRTને અરજદારોની અપીલ પર 3 મહિનામાં નિર્ણય કરવાનો આદેશ.
- અરજદારોને રિહેબિલિટેશન માટે વિચારણા કરવાની સૂચના.
- અરજદારોએ ડિમોલિશન નોટિસને હાઈકોર્ટ તથા GRTમાં પડકારી છે.
જંગલેશ્વરમાં હાલ નહીં થાય ડિમોલિશન! હાઈકોર્ટે 3 મહિનાનો સ્ટે આપ્યો – GRTને અપીલ પર નિર્ણય કરવા અને રિહેબિલિટેશન માટે વિચારણા કરવાનો આદેશ. રહીશોને મોટી રાહત!
.jpg)