“લિવ-ઇન રિલેશનશિપ ગેરકાયદેસર નથી, રાજ્ય કપલ ને સુરક્ષા આપવા બંધાયેલું છે” – ઈલાહાબાદ હાઈકોર્ટ | Law Sahitya
“લિવ-ઇન રિલેશનશિપ ગેરકાયદેસર નથી, રાજ્ય કપલ ને સુરક્ષા આપવા બંધાયેલું છે” – ઈલાહાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો
![]() |
| Law Sahitya | Family Law | Live-in relationships |
ઈલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ વિવેક કુમાર સિંહે કહ્યું કે લિવ-ઇન રિલેશનશિપને “અનૈતિક” કહી શકાય, પણ તે “અપરાધ” નથી. કોઈ વ્યક્તિ પોતાનો જીવનસાથી પસંદ કરે તો કુટુંબીજનોને પણ તેમાં દખલ કરવાનો અધિકાર નથી. આર્ટિકલ ૨૧નું રક્ષણ લગ્ન વગરના જોડાને પણ મળે છે.
કેસની વિગતો
- લિવ-ઇનમાં રહેતા અનેક જોડાઓએ પોલીસ સુરક્ષા માટે અરજી કરી
- કારણ: કુટુંબીજનો તરફથી જીવને ખતરો
- રાજ્યનો વિરોધ: ભારતીય સમાજ લિવ-ઇનને લગ્નનો વિકલ્પ માનતો નથી, તે સામાજિક તાનાબાનાને નબળું પાડે છે
- 2023ના કિરણ રાવત કેસમાં ડિવિઝન બેન્ચે લિવ-ઇનને “સામાજિક સમસ્યા” કહી સુરક્ષા આપવાનો ઇનકાર કર્યો હતો
- સિંગલ જજે આ વિચારને અસ્વીકાર કર્યો અને કહ્યું કે તે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ વિરુદ્ધ છે
કોર્ટની મુખ્ય ટિપ્પણીઓ
“કોઈ પુખ્ત વયની વ્યક્તિ પોતાનો પાર્ટનર પસંદ કરે તો કુટુંબીજનોને દખલ કરવાનો અધિકાર નથી. રાજ્યનું કર્તવ્ય છે કે જોડાની જીવન અને સ્વતંત્રતાની રક્ષા કરે – ભલે તેઓ લગ્ન વગર સાથે રહેતા હોય.”
- લિવ-ઇનને “અનૈતિક” કહી શકાય, પણ “ગેરકાયદેસર” કે “અપરાધ” નથી.
- સુપ્રીમ કોર્ટના લતા સિંહ, ખુશબૂ જેવા ચુકાદાઓનો ઉલ્લેખ – લિવ-ઇનને માન્યતા.
- કિરણ રાવત કેસના ડિવિઝન બેન્ચના વિચારને અસ્વીકાર કર્યો.
- આર્ટિકલ ૨૧નું રક્ષણ દરેક લિવ ઈન માં રહેતા જોડા ને મળે છે.
ચુકાદાની અસર
- લિવ-ઇન જોડાઓને પોલીસ સુરક્ષા મળવી સરળ થશે.
- કુટુંબીજનોની ધમકીઓ સામે કાનૂની રક્ષણ મજબૂત.
- લિવ-ઇનને સમાજમાં વધુ માન્યતા મળશે.
- અન્ય હાઈકોર્ટ્સમાં આ ચુકાદો મિસાલ બનશે.
