સુપ્રીમ કોર્ટે ૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ કેરળના કેટલાક કો-ઓપરેટિવ બેંકોની અપીલો રદ કરી દીધી અને કહ્યું કે મંદિરના ખર્ચ અને દાનનો ખજાનો ભગવાનની મિલકત છે, તેને નબળી બેંકોને બચાવવા માટે વાપરી શકાય નહીં. આ ચુકાદો કેરળ હાઈકોર્ટના તે આદેશને મજબૂત કરે છે જેમાં થિરુનેલ્લી મંદિર દેવસ્વમને તેમના ફિક્સ્ડ ડિપોઝિટ પાછા કરવા કહેવામાં આવ્યા હતા.
![]() |
| સુપ્રીમ કોર્ટ |
કેસની પૃષ્ઠભૂમિ
- કેરળના વાયનાડ જિલ્લાના થિરુનેલ્લી મંદિર (દક્ષિણ કાશી તરીકે પણ ઓળખાય છે) દેવસ્વમે કો-ઓપરેટિવ બેંકોમાં આ રકમ ફિક્સ ડિપોઝિટ પેટે રાખ્યા હતા
- મેચ્યુરિટી પછી પણ બેંકોએ પૈસા આપવાનો ઈનકાર કર્યો – કારણ કે બેંકો નબળી ફનાન્સીયલ સ્થિતિમાં હતી
- દેવસ્વમે કેરળ કો-ઓપરેટીવે હાઈકોર્ટમાં અરજી કરી – HCએ 5 બેંકોને 2 મહિનામાં પૈસા આપવા આદેશ આપ્યો.
- બેંકોએ (મનંથાવાડી કો-ઓપરેટિવ અર્બન સોસાયટી, થિરુનેલ્લી સર્વિસ કો-ઓપરેટિવ બેંક વગેરે) સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી
સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી
“મંદિરનો પૈસો ભગવાનનો છે. તેને બચાવવો, રક્ષણ કરવો અને મંદિરના હિત માટે જ વાપરવો જોઈએ. તે કો-ઓપરેટિવ બેંકની આવક કે અસ્તિત્વનું સાધન બની શકે નહીં.”
– CJI સુર્યકાંત
- કોર્ટે કહ્યું: “આ પૈસા નબળી બેંકોને બચાવવા માટે નથી. તેને નેશનલાઇઝ્ડ બેંકમાં રાખો જ્યાં વધુ સુરક્ષા અને વ્યાજ મળે.”
- CJIએ પૂછ્યું: “મંદિરના પૈસા બેંકને બચાવવા માટે વાપરવા છે? તમારી સમસ્યા તો તમારી છે, જો ગ્રાહકો આકર્ષિત ન કરી શકો.”
- અપીલો રદ કરી, પણ બેંકોને હાઈકોર્ટમાં ટાઈમ એક્સટેન્શન માટે જવાની પરવાનગી આપી
ચુકાદાનો અર્થ અને અસર
- મંદિરોના ફંડ્સને ભગવાનની મિલકત તરીકે સુરક્ષિત રાખવાનો મજબૂત સંદેશ
- કો-ઓપરેટિવ બેંકો મંદિરના પૈસા પર આધાર ન રાખી શકે – તેમને વધુ ક્રેડિબિલિટી બનાવવી પડશે
- ભવિષ્યમાં આવા કેસોમાં મંદિરોને તેમના ફંડ્સ પાછા મેળવવામાં સરળતા મળશે
- કેરળમાં 5 બેંકોને 2 મહિનામાં પૈસા વાપસ કરવા પડશે (એક્સટેન્શન મળે તો વધુ સમય)
